વડોદરા: ભેંસની વફાદારી માલિકને મોંઘી પડી, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો

કૂતરા માલિક પ્રત્યેની પ્રખર વફાદારી માટે જાણીતા છે. પરંતુ પાદરા તાલુકાની એક ભેંસ કૂતરાઓની વફાદારીને પણ ટપી ગઈ અને આની કિંમત તેના માલિકને ચૂકવવી પડી! અરવિંદ લુહાર નામના ખેડૂતને 22મી જાન્યુઆરીના રોજ પોતાની ભેંસ કરજણમાં રહેતા દૂરના સંબંધી ભેરા લુહારને આપી દેવી પડી કારણકે તે 15,000 રૂપિયાની લોન ના ચૂકવી શક્યો. તેણે આફ્રિકા જવા માટે […]

ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે વરસાદમાં બારી બંધ ના થઈ, 7 વર્ષની લાંબી લડાઈ બાદ રેલવેને ચૂકવવું પડશે વળતર

ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ઘણી વાર બારી બરાબર બંધ ના થતી હોય કે પછી મુસાફરી દરમિયાન બીજી પણ કોઈ સમસ્યા આવે ત્યારે આપણે તેને મોટાભાગે નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ. જોકે, રેલવે તમામ મુસાફરોને તેણે જે ક્લાસનું ભાડું ચૂકવ્યું હોય તે ક્લાસમાં મળતી પૂરેપૂરી સવલત આપવા માટે બંધાયેલી છે. આમ ના કરવા પર મુસાફર […]

સુરતમાં સુમુલના નામે ડુપ્લિકેટ ઘી બનાવતું આખું કારખાનું ઝડપાયું, શું તમે આવું ઘી તો નથી આરોગી રહ્યાને?

સુરતમાં ફરી એકવાર નકલી ઘી (Duplicate ghee making) બનાવવાનું રેકેટ પોલીસે ઝડપી પાડ્યું છે. મનપા આરોગ્યની ટીમ (SMC health team) દ્વારા બાતમીના આધારે પોલીસને સાથે રાખીને એક ટેમ્પોને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદમાં પૂછપરછ કરતા સરથાણા વિસ્તારમાંથી એક ગોડાઉન પણ મળી આવ્યું હતું. આ મામલે પોલીસે કાર્યવાહી કરી પાંચ લોકોની અટકાયત કરી છે, જ્યારે […]

ખોડલધામમાં ગુજરાતનો સૌથી લાંબો 1551 ફૂટ અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, વિશ્વનું પહેલું મંદિર કે જ્યાં ધર્મધજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવાય છે

પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે કોરોના વોરિયર્સના સન્માનમાં સૌથી લાંબો 1551 ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ગાંધીનગરના રાધે રાધે પરિવારના કાર્યકરો દ્વારા 26મી જાન્યુઆરી નિમિત્તે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મા ખોડલનો પણ […]

અમદાવાદમાં રિક્ષામાં મુસાફર બેસાડી લૂંટ કરતી બબલુ ગેંગ ઝડપાઈ, મુખ્ય સાગરીત સહિત ત્રણ આરોપીઓની ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી

રાત્રીના સમયે એકલ દોકલ મુસાફરને રિક્ષામાં બેસાડી મુસાફરનો કિંમતી સામાન, રોકડ કે મોબાઈલની લૂંટ કરીને રીંગ રોડ પર તરખાટ મચાવતી ગેંગના મુખ્ય સાગરીત સહિત ત્રણ આરોપીઓની અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે. 21મી ડિસેમ્બરે સીજી રોડ પર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની કંપનીમાં નોકરી કરતા કૌશલ આચાર્ય અસલાલી સર્કલથી રિક્ષામાં બેઠા હતાં. આ રિક્ષામાં પાછળની સીટમાં અગાઉથી […]

સુરતમાં બેંક મેનેજરે ધાબા પર કર્યો આપઘાત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો, ગુજરાતી અને અંગ્રેજીમાં સુસાઈડ નોટ મળી

સુરત શહેરમાં આપઘાતનો સીલસીલો યથાવત છે. શહેરમાં પાલનપુર પાટિયાની એક સોસાયટીમાં કેનેરા બેંકના મેનેજર તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિનો પોતાના ઘરના ધાબા પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે મકાનની છત પરથી લટકતો મૃતદેહ મળ્યો હતો. એકના એક દીકરાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે. સુરતમાં સતત આપઘાતની ઘટના […]

ગમે તે સીઝનમાં રોગોથી બચવા અને ઈમ્યૂનિટી વધારવા માટે આ વસ્તુ ખાઓ અને બાળકોને પણ ખવડાવો

સંપૂર્ણ હેલ્થ મેળવવા, ઇમ્યૂનિટી વધારવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે આ બેસ્ટ રીતથી ખાઓ ડ્રાયફ્રુટ્સ, જાણો ફાયદા. રોગોથી બચવા માટે દરરોજ થોડી માત્રામાં પણ સૂકા મેવા ખાવા એ શ્રેષ્ઠ ઉપાય છે સંપૂર્ણ હેલ્થ મેળવવા, ઇમ્યૂનિટી વધારવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે મોટા ભાગના બધાં જ ડાયટિશ્યન્સ ડ્રાયફ્રૂટ્સને દરરોજના ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. સિઝન […]

હૃદયરોગથી બચીને રહેવું હોય તો આજથી જ આ 8 સુપરફૂડ્સ ખાવાનું શરૂ કરી દો, જાણો અને શેર કરો

તંદુરસ્તીભર્યું જીવન જીવવા માટે અને હાર્ટને હેલ્ધી રાખવા માટે ફક્ત કસરત પૂરતી નથી, પરંતુ યોગ્ય આહાર અને ઊંઘ પણ લેવી જરૂરી છે. હાથની બંધ મુઠ્ઠી સમાન નાના, કોમળ અને ચોવીસ કલાક અવિરત કામ કરનાર અગત્યનું અંગ હૃદય જીવનની લાઇફલાઇન છે. શરીરના આ મહત્વપૂર્ણ અવયવને સ્વસ્થ અને ફિટ રહે તે માટે ડાયટ પર ધ્યાન આપવું ખૂબ […]

ATMમાં ખામી સર્જાતા નીકળવા લાગ્યાં પાંચ ગણા રૂપિયા, થોડીવારમાં જ લોકોએ પૈસા ઉપાડવા માટે લાઇનો લગાવી દીધી

ઉત્તર પ્રદેશના કુશીનગર (Kushinagar- Uttar Pradesh)માં એક નવાઈ પમાડતો બનાવ સામે આવ્યો છે. અહીં એક એટીએમ (ATM)માં કોઈ ટેક્નિકલ સમસ્યા આવી હતી. જે બાદમાં એટીએમમાં જેટલી રકમ ઉપાડવા માંગતા હોય તેનાથી પાંચ ગણી રકમ બહાર નીકળતી હતી. ધારો કે કોઈ વ્યક્તિ 500 રૂપિયા ઉપાડવા (ATM money withdrawal)નો કમાન્ડ આપે તો એટીએમ 2500 રૂપિયા આપતું હતું. […]

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાનો બનાવ સામે આવ્યો: શિક્ષિત યુગલે ધાર્મિક વિધિ દરમિયાન પોતાની બે દીકરીઓને મારી નાખી, ફરીથી જીવતી થશે તેવો દાવો

આંધ્ર પ્રદેશમાં અંધવિશ્વાસની પરાકાષ્ઠાનો એક બનાવ સામે આવ્યો છે. અહીં ચિત્તોર જિલ્લામાં માતાપિતાએ તેની બે અપરિણીત દીકરીઓની હત્યા કરી નાખી છે. અંધશ્રદ્ધાને કારણે માતાપિતાએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ બનાવ શિવાનગર ગામ ખાતે બન્યો હતો. યુગલે રવિવારે રાત્રે કોઈ ધાર્મિક વિધિ કરતા સમયે બંને દીકરીઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેમનું માનવું હતું કે […]