સાંભળી ન શકતા દિકરાની થતી પજવણીથી તંગ પરિવારનું કઠોર પગલું: ડોક્ટરે પત્ની અને 2 બાળકોને ઝેરનું ઈન્જેક્શન આપી આત્મહત્યા કરી લીધી
મહારાષ્ટ્રના અહેમદનગરમાં એક ડોક્ટરે શનિવારે આત્મહત્યા કરી લીધી અને તેમણે સાથે જ સમગ્ર પરિવારનો પણ અંત લાવી દીધો. તેમના પરિવારમાં પત્ની અને 2 દિકરા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે કર્જતના રાશિન ગામમાં રહેતા ડો.મહેન્દ્ર થોરાટે પહેલા પત્ની અને બાળકોને ઝેરનાં ઈન્જેક્શન આપી દીધા અને ત્યારબાદ પોતે ફાંસી લગાવી લીધી. તેણે સુસાઈડ નોટમાં લખ્યું કે તેમનો દિકરો […]