નાનકડો બાળક જીવલેણ બીમારીનો સામનો કરી રહ્યો છે, તેને બચાવી લો! તમારી ઉદારતાથી એક ખીલતું બાળપણ સમૃદ્ધ થઈ જશે, આગળ આવો અને મદદ કરો

નાનકડો શૌર્ય પોતાના જન્મથી જ થેલેસેમિયા જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી આ લોહીની બીમારીએ તેણી પાસેથી એક સામાન્ય અને ખુશહાલ બાળપણ છીનવી લીધું છે, કેમ કે, તેને જીવિત રહેવા માટે નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. તેની મુલાયમ ત્વચા પર સોય લગાવતી વખતે હૃદય કાંપી ઊઠે છે. શૌર્યને જે ઈન્જેક્શનથી […]

વાવાઝોડું તાઉ-તે આવતીકાલે વહેલી સવારે ગુજરાત છોડશે, અમદાવાદથી ઉત્તર ગુજરાત થઈ રાજસ્થાન તરફ જઈ શકે છે

ઉનાથી એન્ટર થયેલું વાવાઝોડું ગઈકાલ રાતથી ગુજરાતને ઘમરોળી રહ્યું છે, જે આજે પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાત થઈને કાલ સવાર સુધી રાજસ્થાન પહોંચે પછી અસર ઓછી થવાની શક્યતા છે. જો કે આ દરમિયાન 100 કિમીની ઝડપે પવનની સાથે ભારે વરસાદ પણ પડી શકે છે. મહેસૂલ સચિવે કહ્યું વાવાઝોડું ધીમું પડી રહ્યું છે રાજ્યના મહેસુલ સચિવ […]

તાઉ-તે વાવાઝોડાથી મુંબઈથી 175 કિલોમીટર દૂર ભારતીય જહાજ ડૂબ્યું: 170 લોકો ગુમ થયા, ભારતીય નેવી દ્વારા 146ને બચાવી લેવાયા

મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ્સ નજીક તાઉ-તે વાવાઝોડાથી ફસાયેલા ભારતીય જહાજ P-305 દરિયામાં ડૂબી ગયું છે. ભારતીય નેવી દ્વારા 146 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 170થી વધુ લોકો ગુમ છે. આ જગ્યાએ એક અન્ય ભારતીય જહાજ ફસાયું છે. એમાં સવાર લોકોને બચાવવા INS કોલકાતાને મોકલવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે એમાં […]

તાઉ-તે વાવાઝોડું અમરેલીથી આગળ નીકળી ગઢડા તરફ વધ્યું, ઉનાથી લઈ ભાવનગર સુધી તબાહી મચાવી, હજું કયા વિસ્તારોને ઘમરોળશે? જાણો

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડું હાલ અમરેલીથી આગળ નીકળી ગઢડા તરફ વધ્યું છે. અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે. રાજ્યના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ હાલ 17 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું […]

‘તાઉ તે’ 1200 kmનું અંતર કાપી ગુજરાતને વેરવિખેર કર્યું, છેલ્લાં 20 વર્ષમાં આટલા અંતર બાદ 7 દિવસ સુધી સક્રિય રહેનારું પ્રથમ વાવાઝોડું, 5 રાજ્યોમાં કહેર

તાઉ-તે વાવાઝોડાએ લક્ષદ્વીપની દક્ષિણ દિશામાં સક્રિય થઈને ગુજરાત નજીક દીવ દરિયાકાંઠે પહોંચવા માટે લગભગ 1200 કિલોમીટરનું અંતર કાપ્યું છે. છેલ્લા બે દાયકામાં અરબી સમુદ્રમાં સર્જાયેલા કોઈ વાવાઝોડાએ હજી સુધી આટલું અંતર બનાવ્યું નથી. તાઉ-તે ચક્રવાત 7 દિવસમાં આ અંતરને આવરી લે છે અને પશ્ચિમ કાંઠાનાં 5 રાજ્યો અને 2 દ્વીપ પર ભારે તબાહી મચાવી છે. […]

ગુજરાતમાં ‘તાઉ-તે’નું તોફાન, દીવથી પ્રવેશી વાવાઝોડું ભાવનગર પહોંચ્યું; વેરાવળ-સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ

તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાયું છે અને ઉના તરફથી ભાવનગર જિલ્લામાં પહોંચ્યું છે. હાલ ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વાવાઝોડાની આંખનો ભાગ પ્રવેશ્યો છે. સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 7135 કેસો નોંધાયા, 81 લોકોના કોરોનાથી મોત, 12,342 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં એકબાજુ તાઉ તે વાવાઝોડાની આફત માથે છે. તેવામાં આજે રાજ્યમાં કોરોનાને લઈને થોડા રાહતના સમાચાર છે. આજે રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં 7135 કેસો નોંધાયા છે. જ્યારે 81 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 12,342 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અને રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 85.68 ટકા પર પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોનાનાં […]

‘તાઉ-તે’નું તાંડવ: મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ, દરિયામાં 10-13 ફૂટ ઊંચાં મોજાં ઊંછળ્યાં, જુઓ વિડિયો

મુંબઈમાં તાઉ-તે વાવાઝોડાની અસરથી 185 કિમી ઝડપે પવનની સાથે અતિભારે વરસાદ પડી રહ્યો છે. તાઉ-તે વાવાઝોડાની ગંભીર અસર પડી મુંબઈમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે અનેક વાહન ફસાયેલા દેખાયા ભરઉનાળે રસ્તા પર કેડસમા પાણી ભરાયા અનેક લોકો ફસાયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે તાઉ-તે વાવાઝોડું મુંબઈના દરિયાથી ટકરાઈને ગુજરાત તરફ વધ્યું છે. […]

‘તાઉ તે’ વાવાઝોડું અત્યંત ભયાનક રીતે ગુજરાત પર ત્રાટકશે: હવામાન વિભાગ, વાવાઝોડાનો 35 કિમીનો વ્યાપ અને 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે

ગુજરાતમાં ‘તાઉ-તે’ વાવાઝોડું ભયાનક રીતે આગળ વધી રહ્યું છે. ત્યારે હાલ હવામાન વિભાગના જણાવ્યાનુસાર વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને 175 કિ.મીની ઝડપે ટકરાશે. હવામાન વિભાગના વિજ્ઞાનિક મનોરમા મોહંતિ હાલ વાવાઝોડા સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે આ વાવાઝોડું અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન’ જાહેર કરાયું છે. જેના અનુસંધાન રાજ્યમાં ગ્રેટ ડેન્જરનું […]

ઘરે જ બનાવો લસણનું અથાણું.. ખાવાની પડી જશે મજા, જાણો બનાવવાની સરળ રીત

ભોજનનો સ્વાદ વધાર માટે લોકો ખાવામાં લસણ ઉમેરે છે. તેમા એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિઅલ અને એન્ટી ફંગલ તત્વ રહેલા છે. લસણને શાકના મસાલામાં પીસીને, વઘાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આજે આપણે લસણનું અથાણું બનાવીશું. લસણની તાસીર ગરમ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય લસણનું અથાણું.. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]