Browsing category

સમાચાર

દારૂના હપ્તા પોલીસથી લઇ રાજ્યના CM સુધી પહોંચે છે, ગુજરાતમાં તમામ જગ્યાઓ પર દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે: અમિત ચાવડા

દારૂબંધી પર રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે કરેલા નિવેદન બાદ જાણે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. ગેહલોત સરકારના નિવેદન પર ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ જવાબ આપ્યો હતો. આજે દારૂબંધી મામલે રાજસ્થાન સીએમ અને ગુજરાતના CM સામસામે આવી ગયા છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે આજે એક આશ્ચર્ય ઉદ્દભવે તેવું નિવેદન આપ્યું હતૂં. તેમણે ગુજરાતમાં દારૂબંધી વિશે […]

ઓઢવમાં છોટાલાલની ચાલી પાસેથી યુવક-યુવતીની લાશ મળી આવી, યુવકના પરિવારજનો ધમકી આપતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

ઓઢવ સ્થિત છોટાલાલની ચાલી પાસે આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં લિવ-ઈન-રિલેશનશીપમાં રહેતા યુવક અને યુવતીએ આપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પૂજાએ લખ્યું હતું કે‘હમ દોનો એક દુસરે સે બહુત પ્યાર કરતે થે, ઈન લોગોને હમે અલગ કર દિયા’. યુવકના કાકા અને પરિવારના સભ્યો ધમકી આપતા અને સાથે નહી રહેવા દેતા […]

અમદાવાદમાં બાઈકની અડફેટે આવતા જુડવા ભાઈઓના મોત: માતાનો આક્ષેપ- 108 અડધો કલાક મોડી આવતા જોડિયા બાળકોનાં મોત

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓ વધવાની જગ્યાએ વધી રહી છે. જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે. નારોલ વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિર પાસે લાંભા ગામના વળાંકે એક બાઇકચાલકે રસ્તા પર માતા સાથે પસાર થઈ રહેલા જોડિયા ભાઈઓને ટક્કર મારતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં બંનેનાં મોત નિપજ્યાં હતાં. આ અંગે […]

જિયોના ગ્રાહકોને બીજા નેટવર્ક પર કોલ કરવા માટે હવે પ્રતિ મિનિટ 6 પૈસા ચૂકવવા પડશે, આ ચાર્જ આજથી લાગૂ થશે

રિલાયન્સ જિયોના ગ્રાહકોને બીજી કંપનીના નેવટર્ક પર કોલ કરવા માટે હવે 6 પૈસા પ્રતિ મિનટ ચૂકવવા પડશે. તેના માટે તેમને ઇન્ટરકનેક્ટ યૂઝેઝ ચાર્જ (આઇયૂસી) ટોપ અપ કરાવવું પડશે. જોકે જેટલાનું ટોપ અપ કરાવશો એટલી જ કિંમતનો ડેટા દઇને વળતર આપવામાં આવશે. આ નિયમ 10 ઓક્ટોબરથી લાગૂ થશે. કંપનીએ બુધવારે આ માહિતી જાહેર કરી હતી. ટેલિકોમ […]

માતૃભૂમિની રક્ષા કરતા સાબરકાંઠાનો 20 વર્ષીય જવાન શહીદ, ભારે હૈયે વલોપાત સાથે ગામ હિબકે ચઢ્યું

માતૃભૂમિની રક્ષા કાજે ગયેલા સાબરકાંઠાના તલોદનો એક જવાન શહીદ થયો હોવાના માઠા સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાનના બિકાનેરમાં પોતાની ફરજ બજાવતા 20 વર્ષીય આર્મીમેન વિપુલસિંહ સોલંકી શહીદ થતા તેમના વતન સહિત પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દોલતાબાદના આર્મી જવાન 20 વર્ષીય વિપુલસિંહ સોલંકી મા ભૌમની રક્ષા કરતા કરતા શહીદી વ્હારી છે. વિપુલસિંહ સોલંકી રાજસ્થાનના […]

ગુજરાતનું ‘અનોખું’ પેટ્રોલ પંપ કે જ્યાં પૈસાનું મીટર ચાલુ પણ પેટ્રોલનું ટીપું પણ ન આવે બોલો

મોટા ભાગના લોકો બજેટનો એક મોટો હિસ્સો પોતાના વાહનોના ઈંધણ પાછળ ખર્ચતા હોય છે. ગ્રાહક તરીકે બધેથી માર પડતો હોય છે ત્યારે સુરતમાં કોસંબા પાસે આવેલ HPના પેટ્રોલ પંપમાં ગેરરીતિ સામે આવી છે. આ પંપનુ મીટર ચાલુ હોવા છતા પેટ્રોલ આવતું નથી. 35 રૂપિયા સુધી મીટર ચાલવા છતા પેટ્રોલ આવતુ નથી. આ મામલે ગ્રાહકો પેટ્રોલ […]

ઓનલાઇન જમવાનું મંગાવતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો, ગ્રાહકને થયો કડવો અનુભવ, બે પીઝા કેટલામાં પડ્યા જાણો

રાજ્યભરમાં ઓનલાઇન ખરીદી કરતા લોકો સાથે ઠગાઇના અનેક કેસો સામે આવતા હોય છે, આ સિવાય ઓનલાઇન ફૂડ ડિલિવરીઓમાં પણ લોકો સાથે અનેક ગફલાઓ થતા હોય છે, ત્યારે અમદાવાદમાં ફરીથી એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. આ અમદાવાદી ગ્રાહકને ઝોમેટોમાંથી મંગાવેલા 2 પીઝા 60 હજારમાં પડ્યા છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના થલતેજના સુરધારા […]

આ વર્ષે સુરતના મહેશભાઈ સવાણી કરાવશે વધુ 300 દીકરીના લગ્ન

હીરાના વેપારી મહેશભાઈ સવાણી આ વર્ષે 300 દીકરીઓને પ્રભુતામાં પગલાં પડાવશે. આ દીકરીઓના લગ્નની તૈયારી રૂપે તેમણે રવિવારે દીકરીઓને કરિયાવર વિતરણ કરી તમામ વેવાઈઓ સાથે મુલાકાત કરી લગ્નના આયોજન અંગે ચર્ચા કરી હતી. પ્રભુતામાં પગલાં માંડતી દીકરીઓની કુલ સંખ્યા 2684 થશે 2012થી પિતા વગરની જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીનું જરૂરિયાતમંદ દીકરીઓના લગ્નનું આ […]

મધ્ય પ્રદેશના CA કૈલાશ નહેરાએ કરી અનોખી પહેલ, ગામની 9 દીકરીઓને દત્તક લીધી જેનો ભણવાથી લઇને લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉપાડશે

અન્યને મદદ કરી શકતા હોવા જેટલા સક્ષમ હોવા છતાં આપણે ઘણીવાર આ દિશા તરફ ડગ નથી માડતા. જે રતલામ જિલ્લાના ઢિકવા ગામના રહેવાસી કૈલાશ નહેરાએ કરી બતાવ્યું છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કૈલાશ નહેરાએ તેમના ગામની દીકરીઓને આર્થિક સુરક્ષા આપવા દત્તક લીધી છે. તેઓ તેમના શિક્ષણથી લઈને લગ્ન સુધીના તમામ ખર્ચ ઉઠાવશે. 20 વર્ષ પહેલાં CA બન્યા […]

દશેરાએ બહુચર માતાજીને 300 કરોડના ‘નવલખા હાર’નો શણગાર કરવામાં આવ્યો, 150 કરતાં વધુ ડાયમંડ હારમાં જડેલા છે, આ હાર 235 વર્ષ પહેલાં માતાને અર્પણ કરવામાં આવ્યો હતો

મા બહુચરના ધામમાં વિજયાદશમીના દિવસે સમીવૃક્ષની પૂજનમાટે સાંજે 4.00 કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.માતાજીની વર્ષમાં 15 વખત શોભાયાત્રા નીકળે છે પરંતુ વિજયાદશમીના દિવસે નીકળતી આ શોભાયાત્રાની વિશેષતા એ છે કે માતાજીને તે દિવસે નવલખો હાર પહેરાવવામાં આવે છે.વિજયાદશમીના દિવસે વિરમગામ હાઈવે પરથી 100 મીટરના અંતરે આવેલ સમીવૃક્ષની પૂજા માટે માતાજીની શોભાયાત્રા નીકળી ત્યારે માઈભકતોમાં […]