Browsing category

સમાચાર

રોડ પરનાં ખાડાને કારણે સમગ્ર દેશમાં 5 વર્ષમાં 3600 વ્યક્તિઓનાં મોત નિપજ્યા, આ માટે કોણ જવાબદાર

થોડા દિવસ પહેલાં જ અમદાવાદમાં નવરાત્રિનાં ગરબા રમીને ઘરે જઈ રહેલી 18 વર્ષીય યુવતી ઓવરબ્રિજ પર ખાડાને કારણે પટકાતાં તેને માથામાં ગંભીર ઈજા થતાં મોતને ભેટે હતી. ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં ગુજરાતમાં પાંચ વર્ષમાં રોડ પરનાં ખાડાઓને કારણે 825 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. એટલે કે, એક વર્ષમાં સરેરાશ 165 વ્યક્તિઓએ રોડ […]

અમદાવાદ B.J.મેડિકલ કોલેજની હોસ્ટેલ બની ‘કબીર સિંહ’નો અડ્ડો, ધાબા પરથી અનેક બ્રાન્ડેડ વિદેશી બોટલો મળી આવી

કબીર સિંહ ફિલ્મ તો તમે જોયું જ હશે. જેમાં ડોક્ટર કબીર હંમેશા દારૂના નશામાં ચકચૂર હોય છે. આવા જ ડોક્ટર અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ઢૂંસીને ઢૂંસીને ભર્યા છે. પોલીસે મેડિકલ કોલેજની હોસ્ટેલનાં ધાબા પરથી અનેક વિદેશી બોટલો ઝડપી પાડી છે. દારૂ પીધા બાદ આ તમામ બોટલોને ધાબા પર ફેંકી દેવામાં આવી હતી. આ મામલે […]

વડોદરાના મકરપુરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, બે પગ કપાઇ જતાં એક વ્યક્તિનું મોત, બે ઇજાગ્રસ્ત

વડોદરા શહેરના મકરપુરા રોડ પર કાલે વહેલી સવારે 5 વાગ્યે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાયો મકરપુરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. અને કારમાં ફસાયેલા લોકો બહાર કાઢ્યા […]

દુર્ગાષ્ટમીએ માં અંબાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી અંબાજીમાં હજારોની સંખ્યા માં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, 52 ગજની ધજા ચડાવી

નવરાત્રિમાં આઠમના દિવસે મા અંબાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે દર્શન માટે ઉમટ્યા હતા. જ્યારે ભક્તો 52 ગજની ધજા લઈને પણ મંદિરે પહોંચ્યા હતા અને ઘજા ચડાવી હતી. આ આઠમ વર્ષ દરમિયાનની સૌથી માટી આઠમ મનાતી હોવાથી શ્રદ્ધાળુઓ શક્તિપીઠના દર્શને મોટી સંખ્યામાં ઉમટે છે. રાજવી પરિવાર પણ દર્શને આવ્યો ભક્તો આઠમે […]

નવરાત્રીમાં આઠમના દિવસે પાવાગઢમાં અઢી લાખ માઇ ભક્તો ઉમટ્યા, કોમી એકતાના સર્જાયા દ્રશ્યો

યાત્રાધામ પાવાગઢમાં કાલે આસો આઠમના દિવસે અઢી લાખ ભક્તો ઉમટી પડ્યા હતા. પોલીસના અભેદ સુરક્ષા કવચ વચ્ચે અઢી લાખ જેટલા યાત્રાળુઓએ મહાકાળી માતાના ચરણોમાં શિશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. આ દરમિયાન પાવાગઢ માચી ખાતે આસો આઠમના દિવસે પાવાગઢ મહાકાળી માતાના દર્શને આવતા જતા યાત્રાળુઓની સેવામાં પાલીતાણાના મુસ્લિમ યુવાને 50 હજારથી વધુ ભક્તોને સરબત અને છાશ પીવડાવવાનું […]

1107 વડીલોને ધાર્મિકયાત્રા કરાવનાર સીતાપુરના રાજેશ પટેલનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં ચમકયું, બે વર્ષમાં 2000 વડીલોને હરિદ્વારની વિનામૂલ્યે યાત્રા કરવાની નેમ

એક વર્ષમાં 1107 સિનિયર સિટીઝન્સને હરિદ્વારની વિનામૂલ્યે ધાર્મિક યાત્રા કરાવનારા બહુચરાજી પાસેના માંડલ તાલુકાના સીતાપુર ગામના યુવાન રાજેશ પટેલનું વરિષ્ઠ નાગરિકો માટે ઉમદાકાર્ય બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં નામ અંકિત થયું છે. તેમને આ સેવાકાર્યમાં નરેશ પટેલનો સહયોગ સાંપડ્યો હતો. આ બંને યુવાનોએ પાટીદાર સમાજના સિનિયર સિટીઝનોને પાંચ દિવસની વિનામૂલ્યે હરિદ્વાર યાત્રા કરાવવાનું છેલ્લા બે […]

એમબીએ ગુજરાતી દંપતી 55 વર્ષના કામવાળા બેનની મદદ માટે સવારે સ્ટોલ પર નાસ્તો વેચે છે

એમબીએ પાસઆઉટ દંપતી તેમના કામવાળા બેનની આર્થિક મદદ કરવા માટે કાંદિવલી રેલવે સ્ટેશનની બહાર સ્ટ્રીટ ફૂડનો સ્ટોલ કરે છે. આ સ્ટોલની કમાણી તેઓ તેમની મેડને આપી દે છે. અશ્વિની શેનોય શાહ અને તેના પતિ રોજ સવારે 4થી 10 વાગ્યા સુધી સ્ટોલ પર પૌઆ, ઉપમા અને પરોઠા વેચે છે. ફેસબુક યુઝર દિપાલી ભાટિયાએ આ માહિતી તેના […]

અમદાવાદમા ગરબા રમીને ઘરે જતી 18 વર્ષની યુવતીનું ખાડાને લીધે થયુ મોત.. હવે આ યુવતીના મોત માટે કોણ જવાબદાર

અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અધિકારીઓને ખખડાવી રસ્તાઓ સુધારવા માટે જણાવ્યું હતું. તેમ છતાં પણ અમદાવાદના રસ્તાઓ પર ખાડાઓની ભરમાર છે. ત્યારે આજ ખાડાને કારણે એક 18 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું છે. ગરબા રમીને એક્ટિવા લઈ ઘરે પરત જતી યુવતી ખાડાને કારણે પડી ગઈ હતી. જેને […]

રાજકોટમાં રાસ રમીને આવતી છોકરીઓને એકલી જોઇ છેડતી કરી, પછી પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો તો ‘દીદી, ભૂલ થઇ’ કહી પગે પડ્યા

નવરાત્રીમાં દાંડિયા રાસ રમીને આવતી યુવતીઓની પજવણી અટકાવવા પોલીસે બંદોબસ્ત ગોઠવ્યા છે. આમ છતાં ક્યાંક બનાવો બનતા રહે છે. આવા જ એક બનાવમાં યુવતીઓ છેડતીનો ભોગ બની હતી પણ ચૂપ રહેવાને બદલે હિંમતભેર સામનો કરી છેલબટાઉઓને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. યુવતીએ 181ને ફોન કરી છેડતીની ફરિયાદ નોંધાવી હતી નોરતાની રાત્રે 11 વાગ્યે 25થી 27 વર્ષની […]

કોસંબા: હાઈવે ઉપર ઉભેલાં કન્ટેનર સાથે કાર ધડાકાભેર અથડાતાં 2 લોકોનાં કમકમાટીભર્યાં મોત, પતરું કાપીને કાઢવી પડી લાશો

સુરત જિલ્લાના કોસંબાની સાવા ચોકડી પાસે નેશનલ હાઇ વે નંબર 48 પર ઇકો કાર ઉભેલાં કન્ટેનર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતની ભયાવહતા તમે એ વાત પરથી સમજી શકો છો કે, ઈકો કારનું પતરું કાપીને લાશોને બહાર કાઢવી પડી હતી. હાલ કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી […]