Browsing category

સમાચાર

રાજકોટમાં લોકડાઉન બાદ વધુ એક યુવાને આર્થિક મુશ્કેલીથી કંટાળીને કર્યો આપઘાત

કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું, જેમાં વેપાર ધંધા બંધ થઇ ગયા હતા. જોકે હજી પણ વેપાર ધંધાની ગાડી પાટા પર ચઢી નથી, જેથી અનેક લોકોને આર્થીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનને કારણે બધુ જ ઠપ્પ થઇ ગયું હતું. હવે લોકડાઉન ખોલી અનલોકનો પ્રથમ તબક્કો અમલી બનાવાયો છે. જોકે આમ […]

અમદાવાદમાં કેસો સતત વધી રહ્યા છે ત્યારે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હોવા છતાં મેયરે તુલસી છોડના વિતરણનો કાર્યક્રમ યોજ્યો

અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રોજના 250થી વધુ કેસો નોંધાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેયર વિવાદમાં આવ્યા છે. કોરોનાના કેસો આવેલા છે એવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન નારણપુરાના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તુલસી રોપાના છોડના વિતરણનો કાર્યક્રમ મેયર બીજલ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો છે. મુખ્યમંત્રી […]

સમગ્ર ગુજરાતની શાળાઓમાં હવેથી 6 વર્ષના બાળકને જ ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવશે: શિક્ષણ વિભાગનો મહત્વપુર્ણ નિર્ણય

રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધો. 1માં પ્રવેશ મેળવવા માટે જુન-2023થી 6 વર્ષ પુરા કરનાર બાળકને જ પ્રવેશ અપાશે તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજય સરકારે બાળક 6 વર્ષ પુરા કરે પછી પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે,પણ તેનો અમલ જુન-2023થી થશે. અત્યારે તો ધો. 1માં પ્રવેશ બાળક 5 વર્ષ પુરા […]

અમદાવાદમાં ડોક્ટરોની ઘોર બેદરકારી સામે આવી, શરદી-તાવના દર્દીને કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે 4 કલાક રાખ્યા

અમદાવાદમાં કોરોના અને બીમાર લોકોની સારવારમાં હોસ્પિટલોની એક બાદ એક અનેક બેદરકારી સામે આવી રહી છે. આજે સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલના ડોક્ટરોની ઘોર બેદરકારી સામે આવી છે. શારદાબેન હોસ્પિટલે સામાન્ય તાવના દર્દી એવા જગદીશભાઈ દિવાકરનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં તેને કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે 4 કલાક રાખવામાં આવ્યા હતા. જેને લઈ દર્દીના સગાનો વિડિયો […]

બત્તી ગુલ મીટર ચાલુ : સુરતમાં લૉકડાઉનમાં બંધ કારખાનામાં વીજ બિલ અપાતા વિરોધ

કોરોના વાઇરસનું સક્ર્મણ અટકાવવા છેલ્લા બે મહિનાથી લૉકડાઉન આપવામાં આવ્યુ હતું. જેને કારણે કાપડ ઉદ્યોગ સંપૂર્ણ બંધ હોવા છતાંય વીજ કંપની દ્વારા બિલ આપવામાં આવતા કાપડ વેપાર સાથે જોળાયેલા લોકોનો કંપની સામે નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો. જોકે, કાપડ વણાટ ઉદ્યોગ સાથે જોડાયેલ વેપારી દ્વારા બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

સુરતમાં વ્યાજખોરોનો આતંક, વ્યાજ ન ચૂકવી શકનાર યુવક અને પરિવારને જાહેરમાં ફટકાર્યાં, ઘટના સીસીટીવીમાં કેદ

શહેરના વરાછા વિસ્તારમાં રહેતા યુવકને 30 હજાર 10 ટકાના વ્યાજે લેવાના ભારે પડ્યા છે. યુવકે કોરોના વાયરસના કહેર પહેલા આ રૂપિયા વ્યાજે લીધા હતા. લૉકડાઉન વચ્ચે યુવક વ્યાજ ન ચૂકવી શકતા વ્યાજખોર યુવાનને ઘરે પહોંચી ગયા હતા અને યુવકને પરિવારના સભ્યો સામે જ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. જેના […]

કોરોનાએ આખા વિશ્વમાં તેનો કાળપંજો ફેલાવ્યો છે ત્યારે વિશ્વના 11 દેશો કોરોનામુક્ત થયા સ્પેનમાં સતત બીજા દિવસે કોઈ મૃત્યુ નહીં

કોરોનાએ આખા વિશ્વમાં તેનો કાળપંજો ફેલાવ્યો છે ત્યારે વિશ્વના ૧૧ દેશોએ એવા છે કે જેણે કોરોનાને હરાવ્યો છે. આ ૧૧ દેશો કોરોનાનાં કાળચક્રમાંથી મુક્ત થયા છે. જે ૧૧ દેશોએ કોરોનાને જાકારો આપ્યો છે તેમાં આઈસલેન્ડ, ન્યૂઝીલેન્ડ, સ્લોવેનિયા, આઈસલ ઓફ મેન, મોરિશિયસ, મોન્ટેગ્રો, ફેરો આઈલેન્ડ, બ્રુનેઈ, કમ્બોડિયા, ત્રિનિદાદ અને અરૂબાનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડ, બ્રુનેઈ અને […]

જૂન મહિનામાં સ્કૂલો શરૂ નહીં થાય, વિદ્યાર્થીઓને દૂરદર્શન ચેનલથી ઓનલાઇન શિક્ષણ આપવાનું આયોજન

રાજ્યના શિક્ષણ વિભાગની બુધવારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એવું નક્કી થયું છે કે, રાજ્યમાં ધો.1થી 12ની શાળાઓ જૂન મહિનામાં શરૂ નહીં થાય, પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં એટલે વિદ્યાર્થીઓના ઘરે પુસ્તકો શિક્ષકો પહોંચાડશે. જ્યારે કોલેજો માટે એ‌વો પરિપત્ર કરવામાં આવ્યો છે કે, સેમેસ્ટર 3, 5 અને 7નું ઓનલાઇન શિક્ષણ 21મી જૂનથી આરંભાશે. લેટેસ્ટ […]

વડોદરામાં સસ્તા અનાજના પુરવઠાના વિતરણ વખતે ચેપ લાગ્યા બાદ કોરોનાથી મૃત્યુ પામેલા યુવાનના પરિવારને પુરવઠા નિગમે 25 લાખની સહાય કરી

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા અને સસ્તા અનાજની દુકાન ચલાવતા અરવિંદભાઇ પટણીના પુત્રને ભાર્ગવ પટણી સસ્તા અનાજના પુરવઠાના વિતરણ વખતે કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો અને ત્યારબાદ 27 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ મૃતકના પરિવારને રાજ્ય સરકારના પુરવઠા નિગમે 25 લાખની સહાય કરી છે. રાજ્ય સરકારે કરેલી મૃત્યુ સહાય ચૂકવવાની જોગવાઈ હેઠળ […]

માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વાલીઓની બે હાથ જોડીને વિનંતી.

બધા વાલીઓ દ્વારા સરકાર ને એક સંદેશ પહોંચાડવામાં આવ્યો અનલોક ૧ ના બીજા તબક્કામાં શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો પર છોડવામાં આવ્યો છે ત્યારે બધા વાલીઓ દ્વારા સરકાર ને એક સંદેશ પહોંચાડવામાં આવ્યો છે. જેમાં લખે છે કે: આપ સરકાર ને વિનમ્ર અરજ છે કે ગુજરાત માં શાળા શરૂ કરવામાં મહેરબાની […]