વાલી મંડળની રજૂઆત: કોરોના વાયરસની મહામારીને પગલે ચાલુ શૈક્ષણિક વર્ષને ‘યૂનિક વર્ષ’ ગણી વિદ્યાર્થીઓને માસ ડ્રોપ આઉટ આપવામાં આવે, તમારું આ અંગે શું માનવું છે?
કોરોના વાયરસના કારણે રાજ્યમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એવામાં કોરોના વાયરસના પગલે ઊભી થયેલી શિક્ષણની સ્થિતિ સહિતના મુદ્દે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાલી મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં વાલી મંડળે ચાલુ શૈક્ષણિક વર્ષને ‘યૂનિક વર્ષ’ જાહેર કરીને માસ ડ્રોપ આઉટ જાહેર કરવાની રજૂઆત કરી હતી. […]