Browsing category

સમાચાર

રાણાકંડોરણાની શાળાએ 435 વિદ્યાર્થીઓની 12 લાખ ફી માફ કરી, શાળા ઘરના પૈસે ચૂકવશે બિલ્ડીંગનું ભાડુ

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અપાયેલા લોકડાઉનમાં અનેક લોકોએ રોજીરોટી ગુમાવી દીધી છે ત્યારે આવા લોકોના બાળકોના અભ્યાસ માટે રાણાકંડોરણાની શાળા આગળ આવી છે, આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓની ૬ માસની રૂ.૧૨ લાખ જેટલી માતબર રકમની ફી માફ કરી દીધી છે અને જો લોકડાઉન વધશે તો વધુ સમય માટે પણ ફી માફ કરી દેવાશે તેવું જાહેર કર્યુ […]

માવતર જ કમાવતર બન્યા! પૈસા માટે સગી દીકરીને વેચી દીધી, પ્રેગ્નેટ છોકરી પોલીસ સ્ટેશન પહોંચતા થયો ચોંકાવનારો ખુલાસો

શિનોર તાલુકામાં સગા મા-બાપે પૈસા માટે દીકરીને વેચી દીધી હોવાનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો. 17 વર્ષની સગીરાએ પોતાના મા-બાપ અને પોતાના જાર (ઉપપતિ) વિરુદ્ધ ચાઈલ્ડ ટ્રાફીકિંગના આરોપો લગાવ્યા છે. પોલીસે આ મામલે છોકરીના મા-બાપ અને જાર વિકાસ વસાવાની ધરપકડ કરીને તેમને ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં રાખ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

મોબાઈલની લતના કારણે 10% બાળકોની આંખ ત્રાસી થઈ, 18% બાળકોનું વિઝન નબળું પડ્યું

કોરોનાની મહામારીને લઈને બાળકોનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે રાજ્યની શાળાઓ દ્વારા બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જે વિદ્યાર્થીઓના ઘરે લેપટોપ કે, કોમ્પ્યુટર નથી તેવા વિદ્યાર્થીઓ સ્માર્ટફોનની મદદથી ભણી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે બાળકો માટે મોબાઈલ ખૂબ જ હાનિકારક છે. મોબાઈલની અસર માત્ર બાળકોના મગજ પર જ નહીં પરંતુ […]

ભારત-ચાઈના ઘર્ષણ: સુરતના ડાયમંડ અને કાપડ ઉદ્યોગને થોડા નુકસાન સામે અબજો રૂપિયાનો ફાયદો દેખાઈ રહ્યો

હાલમાં ચાઈના અને ભારતના સંબંધને લઈને ચાલી રહેલ વિવાદ વચ્ચે જે રીતે ભારત અને ચાઈના વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ત્યારે ચાઈનાની નફ્ફટાઈનો ભારત ભરમાં વિરોધ ચાલી રહ્યો છે, તેવામાં સુરતમાં આવેલ બે મહત્વના ઉધોગને થોડા નુકસાન સાથે ભાવિષ્યમાં મોટો ફાયદો દેખાઈ રહ્યો છે. તો જાણીએ સુરતના મહત્વના બે ઉધોગને કેવી રીતે ફાયદો થશે. લેટેસ્ટ ન્યૂઝ […]

સુરતમાં યુવાને માસ્ક પહેરવાની શિખામણ આપીને પોલીસકર્મી ઉશ્કેરાઈ જતાં યુવાનને રસ્તા વચ્ચે જ ધોઈ નાખ્યો

કોરોના વાઈરસને લઈને હાલમાં ખુલેલા લોકડાઉન બાદ ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે, ત્યારે લોકોને ફરજીયાત માસ્ક પહેરવાની સરકરની સૂચના છે, અને કોરોના ગાઈડ લાઇન છે. ત્યારે આજથી પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનારને દંડ કરવાની સત્તા આપવામાં આવી છે. ત્યારે આજે ફિલ્મમાં કામ કરતા યુવાનને પોલીસે અટકાવતા આ યુવાને પોલીસને માસ્ક પહેરવા સાથે સોશિયલ ડિસ્ટન […]

ઘાયલ સૈનિકે જણાવી ચીનનાં આખા ષડયંત્રની કહાની, માત્ર 200 ભારતીય સૈનિકોએ 1000 ચીનાઓને ભણાવ્યો પાઠ

લદ્દાખની ગલવાન ખીણમાં ચીન અને ભારતનાં સૈનિકોની વચ્ચે થયેલા લોહિયાણ સંઘર્ષમાં જવાન સુરેન્દ્ર સિંહ ઘાયલ થઈ ગયા હતા. તેમની સારવાર લદ્દાખની સૈનિક હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે, જ્યાં તેઓ 12 કલાક બાદ ભાનમાં આવ્યા છે. સાથે જ પહેલીવાર કોઈ ઘાયલ સૈનિકે ચીનનાં આખા ષડયંત્રની કહાની જણાવી છે. જવાન સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે, ચીની સૈનિકોએ દગાથી ગલવાન […]

‘જે પણ ચીની સૈનિક પર પડ્યો મનદીપ સિંહનો હાથ એ ફરી ઉભો ના થયો’, શહીદ મનદીપ સિંહની શૌર્યગાથા

પંજાબનાં પટિયાલા જિલ્લાનાં રહેનારા મનદીપ સિંહ ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદને લઇને થયેલી હિંસક અથડામણમાં શહીદ થઈ ગયા. 15 દિવસ પહેલા તે પોતાના ઘરેથી રજા ગાળીને ડ્યૂટી પર પરત ફર્યા હતા. શહીદ થતા પહેલા મનદીપ સિંહ જે રીતે દુશ્મન સેના સામે લડ્યા હતા તેના વિશે તેમની ટીમમાં સામેલ એક જવાને જણાવ્યું છે જે આ […]

વડોદરામાં વેપારીઓએ ચાઇનીઝ વસ્તુઓની હોળી કરીને બહિષ્કાર કર્યો, વેપારીઓએ કહ્યું: હવે ક્યારેય ચાઇનીઝ વસ્તુઓ નહીં વેચીએ

ભારત-ચીન સરહદ પર ચીનની હરકતોને લઇને સમગ્ર દેશમાં ચાઇના પ્રત્યે વિરોધ વંટોળ શરૂ થયો છે. વડોદરા શહેરના મંગળ બજારના વેપારીઓએ ચાઇનીઝ વસ્તુઓની હોળી કરીને વિરોધ નોંધાવ્યો હતો. અને વેપારીઓએ ચાઇનીઝ વસ્તુઓ નહીં વેચવાની જાહેરાત કરીને તેનો બહિષ્કાર કર્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો વેપારીઓએ કહ્યું: […]

ગોઝારા સમાચાર: અમદાવાદમાં 2 પરિવારોનો સામૂહિક આપઘાત, 6 જણાના જીવ ગયા

અમદાવાદ શહેરના વિંઝોલ વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી છે. બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના મૃતદેહ પોલીસને ઘરમાંથી મળી આવ્યા છે. વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પોહચી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓએ બાળકો સાથે શા માટે આત્મહત્યા કરી તે મામલે પોલીસને હજી કોઈ માહિતી મળી […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658 થયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આજે સતત નવમી વખત કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. […]