Browsing category

સમાચાર

ગરીબોને મફત રાશન ન આપનાર દુકાનદારો પર થશે સખત કાર્યવાહી, આ નંબર પર કરી શકાશે ફરિયાદ

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ હેઠળ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતાં. તેમાં સૌથી મહત્વનો અને 80 કરોડ ભારતીયોને અસર કરતા ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને વિસ્તાર માટે મંજૂરી આપવામાં આવી છે. હવે આ યોજના અંતર્ગત જે તે વ્યક્તિને અનાજ ના આપનાર વિરૂદ્ધ આકરી કાર્યવાહી જોગવાઈ કરવામાં આવી છે. […]

માનવતા મરી પરવારી! સુરતમાં કોરોના સારવાર માટે વપરાતું ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન 1 લાખમાં વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું

કોરોના મહામારી વચ્ચે માનવતા મરી પરવારી હોય તેમ દેખાઈ રહ્યું છે. સુરતમાં ટોસીલીઝુમેબ ઈન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે દરોડો પાડીને આ કૌભાંડ ખુલ્લું પાડ્યું છે. આ કૌભાંડમાં સુરતમાં ફાર્મા કંપનીના મહિલા માલિકની સંડોવણી બહાર આવી છે. એકના એક પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરી ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન વેચતા હતા. સામાન્ય રીતે 40 હજારનું ઈન્જેક્શન 1 […]

બ્રાઝીલમાં માત્ર દવાથી એઇડ્સની સારવાર કર્યાનો પ્રથમ કેસ સામે આવ્યો, બે ડ્રગ્સનું કોમ્બિનેશન કરીને HIV વાઈરસથી મળ્યો છૂટકારો

બ્રાઝીલમાં એક વ્યક્તિ એઇડ્સ મુક્ત થઇ ગયા હોવાનો દાવો સાઓ પાઉલોની ફેડરલ યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. રિસર્ચર્સ પ્રમાણે, એઇડ્સ પીડિતને ઘણા પ્રકારની એન્ટિરેટ્રોવાઈરલ દવાઓ અને નિકોટિનામાઈડ ડ્રગનું કોમ્બિનેશન આપવામાં આવ્યું હતું. સંશોધકોએ દર્દીનું નામ જાહેર કર્યું નથી પરંતુ તે HIV મુક્ત થઇ ગયા હોવાનો દાવો કર્યો છે. હાલમાં જ થયેલી ઓનલાઈન એઇડ્સ 2020 કોન્ફરન્સમાં સંશોધકોએ […]

કાર્તિક આર્યને ચાઈનીઝ બ્રાન્ડ OPPO સાથેના સંબંધો તોડ્યા, આમ કરનાર બોલિવૂડનો પ્રથમ એક્ટર બન્યો

‘લુકા છુપી’, ‘લવ આજ કલ’ જેવી ફિલ્મના એક્ટર કાર્તિક આર્યને ચાઈનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથેના સંબંધો તોડી નાખ્યાં છે. કાર્તિકે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, તસવીર પોસ્ટ કરીને આ વાતનો સંકેત આપ્યો છે. ટ્રેડ નિષ્ણાતોએ આ વાતની પુષ્ટિ કરે છે અને તેમણે કહ્યું હતું કે બોલિવૂડમાં આમ કરનારો તે પહેલો સેલિબ્રિટી બની ગયો […]

વડોદરામાં મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા યુવાને ગળે ફાંસો ખાઇને કર્યો આપઘાત, ઇન્સ્ટાગ્રામ પર યુવાને મુકેલી તસવીર જોઇને મિત્રો ચોંકી ઉઠ્યા

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી અમેરિકા બેઝ કોલાબેરા કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા યુવાને બુધવારે મોડી રાત્રે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જોકે આપઘાતનું કારણ હજી જાણવા મળ્યું નથી. યુવાને આપઘાત કરતા પૂર્વે તાજેતરમાં આપઘાત કરી લેનાર ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની જેમ પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામઉપર શેર કરી હતી. આપઘાત કરનાર યુવાન પરિવારનો […]

‘ભાજપ સરકારનો વિરોધ કરવાનો ઘણો શોખ છે’ એમ કહીને સુરતમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રભારી રામ ધડૂકને ઢોર માર માર્યો

યોગીચોક ખાતે આવેલી આમ આદમી પાર્ટીની ઓફિસે શહેરના પ્રભારી રામ ધડૂકને અજાણ્યા ચાર પાંચ ઈમસોએ બોલાવીને માર માર્યો છે. બપોરે બે વાગ્યાના સુમારે રામ ધડૂકને ફોન કરીને અજાણ્યાઓએ કહ્યું કે, અમારે 30-35 લોકોને પાર્ટીમાં જોડાવું છે. જેથી તમે ઓફિસ આવો. આથી ઓફિસ પહોંચેલા રામ ધડૂક પર અજાણ્યાઓએ હુમલો કર્યો હતો. ઢીક્કા પાટુનો માર મારવાની સાથે […]

રાજકોટમાં સિવિલ હોસ્પિટલે બતાવી સાચી સૂરત, ગંદી ચાદરો, ફાટેલા ગાદલા જોઈ કોરોનાના દર્દીઓના હોંશ ઉડ્યા, બે દી’ ત્યાં રાખી ફરી શિફ્ટ કરાશે

રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે સારવારની પૂરી સગવડતાની સુફિયાણી વાતો કરનાર આરોગ્ય કમિશનર રાજકોટથી રવાના થયા તેના 24 જ કલાકમાં સિવિલની કોવિડ હોસ્પિટલમાંથી 28 દર્દીને આઈસોલેશન વોર્ડમાંથી કાઢીને ગંદકીથી ખદબદતા વોર્ડમાં શિફ્ટ કરાયા છે.કોવિડ હોસ્પિટલમાં 250 બેડની ક્ષમતા છે તેમાં 210 જેટલા દર્દીની સારવાર ચાલી રહી છે, જે લોકો શરદી, ખાંસી તેમજ તાવ જેવા કોરોનાના લક્ષણો […]

લૉકડાઉનમાં આર્થિક સંકડામણને કારણે સુરતમાં વધુ એક રત્નકલાકાર હિંમત હાર્યો, ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત

કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીને લઇને થયેલા લૉકડાઉન (Lockdown) બાદ સૌથી વધુ કફોડી હાલતમાં સુરતના રત્નકલાકારો (Diamond Workers) મૂકાયા હતા. જોકે, અનલોક (Unlock) બાદ પણ ઉદ્યોગ શરૂ નહીં થતાં આર્થિક ભીંસ (Financial Crisis) અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ લાગતા ગતરોજ વધુ એક રત્નકલાકારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા રત્નકલાકારે એક સુસાઇડ નોટ (Suicide […]

‘તમારી કૃપાથી 4200 પગારથી વંચિત શિક્ષક’ના લખાણ સાથે DyCMને શિક્ષકોએ લખી ટપાલ

અત્યાર સુધી ફી વધારા અને શાળા સંચાલકોની મનમાની સામે વાલીઓ સરકાર સામે મેદાનમાં હતા. પરંતુ હવે રાજ્યના 65 હજારથી વધું શિક્ષકો પોતાની સાથે થઈ રહેલા અન્યાયને લઈને મેદાનમાં આવવાની તૈયારીમાં છે. કારણ કે, શિક્ષકોના ઉચ્ચતમ પગારનું ધોરણ રાજ્ય સરકારે 2800 રૂપિયા નક્કી કર્યું છે. જોકે આ પગાર ધોરણ માત્ર 2010 પછી ભરતી કરાયેલા શિક્ષકો માટે […]

UGVCLએ અમદાવાદીઓને મનફાવે તેવાં બિલ આપ્યા, લોકડાઉન દરમિયાન 20 હજાર સુધીનાં બિલથી લોકોમાં આક્રોશ

અમદાવાદીઓ એકબાજુ કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે. તો બીજી બાજુ લોકડાઉનનાં કારણે ધંધો-રોજગાર ઠપ્પ થતાં તે ફરીથી આર્થિક સધ્ધર થવા માટે મથામણ કરી રહ્યા છે. પણ આ વચ્ચે અમદાવાદમાં વીજ પૂરવઠો પૂરી પાડતી UGVCLનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. UGVCL દ્વારા લોકડાઉનના સમયમાં અમદાવાદના અમુક વિસ્તારોમાં 15-20 હજાર રૂપિયા સુધીના બિલ આપવામાં આવ્યા છે. […]