Browsing category

સમાચાર

ચોરોને પકડતી પોલીસ જ બની ‘ચોર’, અમરેલીમાં SPની ટીમે 12 પોલીસકર્મીને વીજચોરી કરતા ઝડપી લીધા

અમરેલી SP નિર્લિપ્ત રાયની ટીમે પોલીસ ક્વાર્ટરમાં ચેકીંગ હાથ ધરતા પોલીસ આવાસના 12 જેટલા પોલીસકર્મી વીજચોરી કરતા ઝડપાયા હતા. ઝડપાયેલા 12 પોલીસકર્મીને ક્વાર્ટર છોડવા SP નિર્લિપ્ત રાયે આદેશ કર્યો છે. જેથી પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે. 12 પોલીસ કર્મચારીઓમાં પાંચ મહિલા કર્મચારીઓ વીજ ચોરી કરતા ઝડપાઈ છે. આ તમામને ક્વાર્ટર છોડવા SPએ આદેશ કર્યો […]

ગુજરાતમાં અનલોક-4ની જાહેરાત: દુકાનોમાં કોઈ સમયમર્યાદા નહીં, રેસ્ટોરન્ટ 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે

જો તમને સપ્ટેમ્બરમાં શરૂ થનાર અનલોક-4ની રાહ હોય તો રાજ્ય સરકારે તેની ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિય પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે છે. ગુજરાતમાં આજથી હોટેલ અને રેસ્ટોરન્ટ 10 વાગ્યાના બદલે 11 […]

કશ્મીરમાં 8 મહિનામાં ફરજ બજાવતા 18 જવાનોએ કરી આત્મહત્યા, કારણ જાણી હચમચી જશો

કશ્મીરમાં સુરક્ષા જવાનોમાં આત્મહત્યા અને સાથી જવાનની હત્યાના બનાવ વધી રહ્યા છે.. ચાલુ વર્ષે 8 મહિનામાં કશ્મીરમાં 18 જવાનોએ આત્મહત્યા કરી છે. જ્યારે સાથી જવાનોના હુમલામાં 6 જવાનના મૃત્યુ થયા છે.. સેના અને પેરામિલિટ્રી ફોર્સના સૂત્રો દ્વારા આ માહિતી મળી રહી છે. ગત વર્ષે કશ્મીરમાં 19 જવાનોએ આત્મહત્યા કરી હતી. જ્યારે ચાલુ વર્ષે 8 મહિનામાં […]

53 વખત બદલી કરાયેલા વરીષ્ઠ IAS ઑફિસરનો મોટો સવાલ, CBI માટે 800 કરોડનું બજેટ, શું અત્યાર સુધી કોઈ હસ્તીને સજા થઈ?

હરિયાણાના બહુ ચર્ચિત વરીષ્ઠ IAS અધિકારી અશોક ખેમકાએ હવે CBIના કામકાજ પર સવાલ ઉભા કર્યા છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરીને CBI પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે સીબીઆઇનું વાર્ષિક બજેટ 800 કરોડ રૂપિયા. કોને સજા થઇ, કોણ છૂટ્યું, જવાબદારી કોની? ગતવર્ષનો હિસાબ કરી લો. કોણ મોટા માથાને સજા […]

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો હવે રીતસર ઉઘરાણા અને વાહન ચાલકો સાથે હાથાફાયીથી લઈ દાદાગીરી પર ઉતરી આવ્યા છે, વિડિયો વાયરલ થયો, કોણે આપી આવી સત્તા?

માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાની જવાબદારી જે ટ્રાફિક બ્રિગેડના જવાનો પર છે, તે હવે રિતસર દાદાગીરી પર ઉતરી આવ્યા છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની જોવા મળેલી દાદાગીરીનો વીડિયો સુરતના સોશીયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીયો સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય બની રહે છે. સુરત શહેરના અલગ અલગ ટ્રાફિક માર્ગો પર […]

સુરતમાં કમ્પ્યુટર એન્જિનિયર વિદ્યાર્થીનો આપઘાત, પટેલ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો

ભગવાન મહાવીર કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવક છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ડિપ્રેશનની બીમારી હોવાથી અંતિમ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં આવેલ સત્યનગર સોસાયટી વિભાગ નંબર 2 માં રહેતા પંકજભાઈ પટેલ અંકલેશ્વરની કોઈ ખાનગી કંપનીમાં કામ કરી […]

અડધી રાતે અમદાવાદમાં મહિલાઓ સલામતની છાપ હવે ભૂંસાઈ, ધોળે દિવસે યુવતીની છેડતી, બચાવવા આવેલાની આંગળીઓ કાપવાનો પ્રયાસ

અમદાવાદ હવે ધીમે ધીમે અન્ય રાજ્યોની જેમ ગુનેગારોનું હબ બનતું જઇ રહ્યું છે. પહેલા રાતે મહિલાઓ ઘરે મોડા આવતી તો પણ કોઈ ચિંતા ન હતી. પણ હવે ધોળે દિવસે છેડતીના બનાવ બની રહ્યા છે. રખિયાલ પાસે એક મહિલાને સવારના 11 વાગે 3 લોકો પીછો કરતા હતા અને ત્યારબાદ યુવતીએ બચવા પ્રયાસ કર્યો ત્યારે એક વ્યક્તિએ […]

કોરોના કારણે ભારતનાં પ્રથમ કાર્ડિયોલોજિસ્ટ 103 વર્ષીય ડૉ. એસ. પદ્માવતીનું નિધન થયું

કોરોના વાઈરસને લીધે 103 વર્ષનાં ડૉ. એસ પદ્માવતીનું મૃત્યુ થયું છે. રવિવારે નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટે આ જાણકારી આપી. છેલ્લા 11 દિવસથી નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ ભારતનાં પ્રથમ કાર્ડિયોલોજિસ્ટ હતાં. તેમનો જન્મ મ્યાનમારમાં થયો હતો. રંગૂન મેડિકલ કોલેજમાં ગ્રેજ્યુએશન પછી કાર્ડિયોલોજીમાં કરિયર શરુ કર્યું હતું. ભારતમાં પ્રથમ કાર્ડિયાક કેર યુનિટનો શ્રેય […]

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

સોમવારે સાંજે 84 વર્ષની ઉંમરે પ્રણવ મુખરજીએ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ઘણાં દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતાં. થોડા દિવસ પહેલાં પ્રણવ મુખરજી કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા. તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. પ્રણવ મુખરજીના દીકરા અભિજીત મુખરજીએ ટ્વિટ કરીને પ્રણવ મુખરજીના નિધનની માહિતી આપી હતી. Former President Pranab […]

તોડબાજ PI જે કે રાઠોડનો રૂા. 1 કરોડનો તોડકાંડ સામે આવ્યો, માહિલા પીડિતાએ PI પર લગાવ્યા આરોપ

PSI શ્વેતા જાડેજાએ તોડ કર્યો હતો. તેની જેમ જ નરોડાના PI જે કે રાઠોડે પણ રૂા. 40 લાખનો તોડ કર્યો હોવાનો મુદ્દો સામે આવ્યો હતો જેમાં વધુ એક રૂા. 1 કરોડનો તોડકાંડ સામે આવ્યો છે. તોડબાજ PI જે કે રાઠોડનો વધુ એક કાંડ સામે આવ્યો છે. હવે માહિલા પીડિતાએ PI જે કે રાઠોડ પર આરોપ […]