Browsing category

સમાચાર

નવસારીમાં જયેશ બાપુએ દુઃખ દૂર કરવાના બહાને મહિલા પર દુષ્કર્મ આચર્યું, દરેક મહિલાને કહેતો કે દુ:ખ દૂર કરવું હોય તો શારીરિક સંબંધ બાંધવા પડશે

નવસારીના ચોવીસી ગામ નજીક આવેલ રામલામોરા વિસ્તારમાં પોતાની પાપલીલાનું ધામ બનાવી બેઠેલા વાસનાલોલુપ કહેવાતો ધર્મગુરુ જયેશ રમણ પટેલે ગણદેવીની મહિલા પર ઉપચારને બહાને બળાત્કાર ગુજારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભોગ બનનાર વિધવા મહિલાએ નવસારી જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ કરી હતી. જેને પગલે ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરતા લંપટ જયેશ બાપુની અટક કરી હતી. ગણદેવી તાલુકામાં […]

જો તમારી છોકરીને સ્કૂલવાનમાં મોકલતા હોય તો સાવધાન! સુરતમાં સ્કૂલ વાન ચાલકે કિશોરી પર દુષ્કર્મ આચર્યું

રાજ્યમાં મહિલાઓ પર દુષ્કર્મોના કેસ વધતા જાય છે, આરોપીઓને જાણે કાયદાનો ભય જ રહ્યો ન હોય તેમ એક પછી એક ઘટનાને અંજામ આપતા જાય છે. ત્યારે સુરતમાં સ્કૂલ વાન ચાલકે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સ્કૂલવાનના ડ્રાઈવરે કિશોરીને પ્રેમજાળમાં મીઠી મીઠી વાતો કરીને તેની ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પુણા […]

આ પટેલનો અમેરિકામાં વાગ્યો ડંકો, કાર્યવાહક રક્ષા મંત્રીના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

ભારતીય અમેરિકી કશ પટેલ (Kash Patel)ને અમેરિકાના કાર્યવાહક રક્ષા મંત્રી ક્રિસ મિલર (Chris Miller)ના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પેન્ટાગોને આ જાણકારી આપી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ (Donald Trump) દ્વારા માર્ક એસ્પર (Mark Esper)ને હટાવી દેવામાં આવ્યા હતા. અને નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ સેન્ટરના ડિરેક્ટર ક્રિલ મિલરને કાર્યવાહક રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેના […]

અમદાવાદમાં શ્રદ્ધાના નામે છેતરપિંડી: લોકો ગરીબોને જમાડવાના પૈસા આપે છે, પણ ગરીબ લોકો જમવાનું સીધું ડોલમાં ઢોળી દે છે

અમદાવાદ શહેરમાં દરરોજ અનેક લોકો પોતાનાં શ્રદ્ધા અને પુણ્ય કમાવવા માટે નાનું-મોટું દાન કરતા હોય છે. આ માટે કેટલાક લોકો ગરીબ કે ફકીરને મૂંગા દિવ્યાંગ લોકોને મદદ કરવાનું માનતા હોય છે. બીજી તરફ અમુક વારે લોકો ખાસ ગરીબોને જમાડતા હોય છે. જે માટે શહેરનાં અનેક સ્થળે ફકીરને જમાડવા માટેની દુકાનો છે, જેની બહાર અનેક ગરીબ […]

શાળાઓ ખોલવાનો સરકારનો નિર્ણય વાલીઓએ નકાર્યો:​​​​​​​ ભણતર કરતા જિંદગી મહત્વની છે, વર્ષ ભલે બગડે શાળાએ મોકલવામાં વાલીઓની સ્પષ્ટ ના, બાળકોને કંઈ પણ થાય તો જવાબદારી કોણ લેશે?

રાજ્યમાં 23 નવેમ્બરથી ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવા અંગે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. ત્યારે સરકારના આ નિર્ણયને અમદાવાદ મોટાભાગના વાલીઓ નકારી કાઢ્યો છે. ભણતર કરતા જિંદગી મહત્ત્વની છે. જો જીવ છે તો જ ભણી શકશે. એક વર્ષ જો ભણતર બગડશે તો ચાલશે. એકાદ વર્ષ બગાડવા માટે પણ વાલીઓ તૈયાર થઈ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1125 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,83,844 થયો

ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ તો કોરોનાનાં કેસની સંખ્યા 1100ને પાર પહોંચી ગઇ છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1125 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1125 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ […]

સુરતમાં 28 વર્ષિય યુવકે નવા ઘરમાં જઈને કર્યો આપઘાત, દીકરાને બચાવવા પિતા મોપેડ પર હોસ્પિટલ લઈ ગયા

સુરત શહેરમાં આપઘાતનો સીલસીલો ચાલુ જ છે. લોકડાઉન બાદ શહેરમાં આપઘાતની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોઈ માનસિક પરેશાની, તો કોઈ આર્થિક પરેશાની તો કોઈ શારીરિક પરેશાનીને પગલે આત્મહત્યા કરી લીધી હોવાનું અવાર નવાર સામે આવી રહ્યું છે. ત્યારે આજે સુરતમાં વધુ એક આપઘાતનો મામલો સામે આવ્યો છે, જેમાં એક કાપડ વેપારી યુવકે […]

55ની ઉંમરે પોલીસ અધિકારી ગળા ડૂબ પ્રેમમાં થયા પાગલ, પ્રેમિકાને મકાન બનાવવા માટે મોકલાવ્યું રેતી ભરેલું ટ્રેક્ટર, SPએ કર્યા સસ્પેન્ડ

કહેવાય છે કે, પ્રેમનો રંગ જ્યારે ચઢે છે તો ના કાનૂન આડે આવે છે ના કાયદો. પ્રેમી પોતાની પ્રેમિકા માટે ચાંદ-તારા તોડી લાવવાના વાયદા કરી લે છે. આવો જ પ્રેમનો રંગ આજકાલ જાલોર જિલ્લાના જસવંતપુરા પોલીસ સ્ટશનના એક અધિકારીને પણ ચઢ્યો છે. પ્રેમમાં ગળા ડૂબ થયેલા પોલીસ અધિકારીના માથે પ્રેમનું ભૂત એટલી હદે સવાર થઈ […]

અમદાવાદમાં મકાન તૂટી પડતા પુત્રનું થયું હતું મોત: હવે પિતાએ પણ કરી લીધુ આત્મવિલોપન, પરિવારે મોભી અને પુત્ર બંને ગુમાવ્યા

કુબેર નગરમાં બિલ્ડિંગ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકના પિતાએ આત્મવિલોપનનો પ્રયાસ કરનારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું..જે મામલે પોલીસે અલગ અલગ બે ફરિયાદ નોંધી ચાર આરોપી ધરપકડ કરવામાં આવી છે. સરદારનગર વિસ્તારમાં એક જ પરિવારના મોભી અને પુત્રને બે મહિનામાં ગુમાવી દીધા છે. બે મહિના પહેલા કુબેરનગર રહેલ પ્રેમ માર્કેટ બિલ્ડીંગ ધરાશય થયું હતું જેમાં […]

લોકડાઉનમાં આર્થિક સ્થિતિ બગડતા IAS બનવા માંગતી વિદ્યાર્થિનીએ કરી લીધી આત્મહત્યા, ‘મમ્મી પપ્પા મને માફ કરજો, હું ભણ્યા વગર જીવી નથી શકતી’

દેશની રાજધાની દિલ્હીમાં (delhi) પ્રીમિયમ કોલેજમાં શુમાર લેડી શ્રીરામ કોલેજની (lady shree ram collage) એક વિદ્યાર્થિની એશ્વર્યાએ આત્મહત્યા (suicide) કરી લીધી છે. એશ્વર્યા એક ગરીબ પરિવારમાંથી આવનારી વિદ્યાર્થીની છે. એશ્વર્યા તેલંગાણાના (Telangana) રંગારેડ્ડી જિલ્લામાં રહેનારી વિદ્યાર્થિની હતી. તેણે 2 નવેમ્બરે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી હતી. તેની પાસેથી સૂસાઈડ નોટ મળી હતી. એશ્વર્યાએ પિતા […]