પુલવામા હુમલાનો સામે આવ્યો વીડિયો, જવાનના કેમેરામાં કેદ થયા દ્રશ્યો

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે થયેલા ફિદાયીન હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલામાં જે જવાનો બચી ગયા હતા તેમાંથી મધ્ય પ્રદેશના એક જવાનનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં જવાન માંડ માંડ બચ્યા હોય તેવું જોવા મળે છે. CRPFના આ હુમલામાં સતના જિલ્લાના ગોવરાવ ગામના નિવાસી નથ્થુલાલ ચૌધરી પણ સામેલ હતા. તે પાંચ નંબરની બસમાં […]

પુલવામા એટેક બાદ મ્યુઝિક કંપનીનો મોટો નિર્ણય, પાકિસ્તાની સિંગર સાથે નહીં કરે કામ

હાલમાં જ જમ્મૂ કાશ્મીરના પુલાવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલ હુમલા બાદથી સમગ્ર દેશમાં એક જ અવાજ સંભળાય રહ્યો છે. તે છે પાકિસ્તાનને સબક સિખવાડવાનો અવાજ. આ ઘટના બાદથી જ્યારે સામાન્ય ભારતીય નાગરિકો ગુસ્સામાં નજરે આવી રહ્યા છે ત્યારે બોલીવુડની સેલેબ્રિટીઝમાં પણ આક્રોશ છે. જેને લઇને મ્યૂઝિક કંપની ટી-સીરીઝ દ્વારા એક કડક કાર્યવાહી કરીને નવી શરૂઆત […]

શહીદ થયેલા સીઆરપીએફ જવાન તિલક રાજની પત્ની સાવિત્રીએ દુલ્હન બનીને પતિને અંતિમ વિદાય આપી

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાન તિલક રાજની પત્ની સાવિત્રીએ દુલ્હન બનીને પતિને અંતિમ વિદાય આપી હતી. સાવિત્રીની આંખોમાંથી આંસુ સુકાતા નથી. આ ગમગીન માહોલ જોઈને દરેકની આંખોમાં પાણી આવી ગયા હતાં. આ સાથે જ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવો આક્રોશ પણ હતો. કેમ દુલ્હન બનીને આપી વિદાયઃ ઈતિહાસકાર પ્રેમ સાગરે કહ્યું હતું […]

20 દિવસ બાદ લગ્ન છતાં દેશ સેવાને મહત્વ, બોમ્બ ડિફ્યુઝ કરતી વખતે શહીદ થયા

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LoC પાસે શનિવારે એક સુરંગ વિસ્ફોટમાં મેજર ચિત્રેશ સિંહ બિષ્ટ શહીદ થઈ ગયા અને એક જવાન ઘાયલ થયો. રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે મેજર ચિત્રેશ સિંહ બિષ્ટ એક બોમ્બ ડિસ્ફોઝલ ગ્રુપની આગેવાની કરી રહ્યા હતા. મેજર બિષ્ટના 7મી માર્ચે લગ્ન હતા અને વેડિંગ કાર્ડ પણ વહેંચાઈ ચૂક્યા હતા. મેજર બિષ્ટના પિતા એસએસ બિષ્ટે […]

સુરતીઓએ વેપાર – ધંધા બંધ રાખીને પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી, દોઢ કરોડનું ફંડ ભેગું કર્યું

સુરત: પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશ સહિત શહેરમાં પણભારે આક્રોશ શનિવારે પણ જોવા મળ્યો. જેમાં શહેરનો ટેક્સટાઇલ ઉદ્યોગ પણ જોડાયો હતો. શહેરની 185 કાપડ માર્કેટના 70,000 વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી આતંકવાદ સામે રોષ વ્યક્ત કર્યો હતો. કાપડનાં પાર્સલો બહારગામ લઈ જતા 3500 ટ્રકનાં પૈડાં પણ આજે થંભી ગયાં હતાં. બંધને પગલે સુરતના કાપડ […]

હુમલામાં શહીદ થયેલા વીરેન્દ્રસિંહને અઢી વર્ષના દીકરાએ આપી મુખાગ્નિ, ગામ લોકો હિબકે ચઢ્યા

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ શહીદ જવાનોને દેશના તમામ લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. હાલ આ તમામ શહીદોના પાર્થિવદેહને પોતાના માદરે વતન લવાયા હતા. તેમની અંતિમ વિધિ કરાઈ હતી. તેમાં હજારો લોકોની મેદની ઊમટી હતી. શહીદોની અંતિમ વિધિમાં ગામના લોકો અને સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ […]

છેલ્લા ચાર વર્ષથી ગુજરાતની આ દીકરી શહીદોના પરિવારને કરે છે સહાય, પુલવામામાં શહીદ થયેલા 44 જવાનોને રૂ.5 હજારની સહાય મોકલશે

નડિયાદ શહેરની વિધિ જાદવે પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 42 જવાનોના પરિવારને રૂ.પાંચ હજાર સહાય આપવાની પહેલ ઉપાડી છે. ધો.11માં અભ્યાસ કરતી વિધી છેલ્લા ચાર વરસથી શહીદ પરિવારોને પોતાના પોકેટમની કે મિત્રો, સ્નેહી, સંબંધી પાસેથી મળતી સહાયની મદદથી રૂ.પાંચ હજાર મોકલે છે. અત્યાર સુધી દેશભરના 201 જેટલા શહીદના પરિવારનો સહાય આપી ચુકી છે. 4 વર્ષ […]

પિતાએ એકના એક દીકરાની શહાદત બાદ પહેરી લીધી દીકરાની વર્દી…

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા કુલવિંદર સિંહના પરિવારે કુલવિંદર વિશેની કેટલીક વાતો જણાવી હતી. તેના પિતા દર્શન સિંહે જણાવ્યું કે, સીઆરપીએફની 92મી બટાલિયનમાં ફરજ બજાવતો કુલવિંદર સિંહ 10 ફેબ્રુઆરીએ જ રજા ગાળીને પરત ડ્યૂટી પર ગયો હતો. 12 ફેબ્રુઆરીએ તેને ઘરે અંતિમ ફોન કર્યો હતો. ફોન પર પિતાને કુલવિંદરે નવા ઘરને […]

રિલાયન્સ ફાઉન્ડેશન શહીદોના બાળકો અને પરિવારની તમામ જવાબદારી ઉઠાવશે

પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે રિલાયન્સ ફાઉન્ડેશન આગળ આવ્યું છે. તેનું કહેવું છે કે શહીદોના બાળકોના એજ્યુકેશન અને રોજગારની જવાબદારી ઉઠાવવા તે તૈયાર છે. આ સિવાય તે પીડિત પરિવારોની આજીવિકાની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ લેશે. 1.3 અબજ હિન્દુસ્તાનીઓના દુ:ખમાં અમે સામેલઃ રિલાયન્સ ફાઉન્ડેશન 1.રિલાયન્સ ફાઉન્ડેશને કહ્યું છે કે જરૂરીયાત પડવા પર તેમની […]

બિગ બીની દરિયાદિલી, પુલવામા હુમલામાં શહીદ થયેલા દરેક જવાનોના કુંટુંબને 5 લાખની મદદ કરશે

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થનારા 40 શહીદોના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અમિતાભ દરેક શહીદના પરિવારને 5 લાખ રૂપિયાની મદદ કરશે, એટલે કે 2 કરોડ રૂપિયાની મદદ બિગ બી કરશે. બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આતંકી હુમલાથી દુખી છે. અમિતાભ બચ્ચને શહીદોના પરિવારને મદદ કરવા માટે આગળ આવ્યા છે. એક […]