જે 12 વર્ષનો બાળક 12 મહિના જમીન પર પગ નહીં મૂકી શકે તેવું નિદાન થયું હતું તેને ડૉક્ટરે 30 દિવસમાં ચાલતો કર્યો

અમદાવાદના મિશન હેલ્થ ન્યૂરો ફિઝિયોથેરાપી સેન્ટરના ડોક્ટરોની ટીમે રોબોટિક્સ એડવાન્સ ન્યૂરો ટેક્નોલોજી, ફંકશનલ ઇલેક્ટ્રિકલ સિમ્યુલેશન સારવારથી રાજસ્થાનના જોધપુરના 12 વર્ષનાં બાળકને માત્ર 30 દિવસમાં ચાલતો કર્યો છે. જોધપુરના ડોકટરે જણાવ્યું હતું કે, ગુલિયન બારી સિન્ડ્રોમ બિમારીને લીધે બાળક 12 મહિના સુધી ચાલી જ નહીં શકે. રોજ સવાર-સાંજ 4-4 કલાક અત્યાધુનિક સારવાર આપી મિશન હેલ્થ ન્યૂરો […]

અંબાજી માતાને ‘ચાચર ચોકવાળી’ કેમ કહેવાય છે? ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વીશે જાણો વિગતે.

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. ઈ.સ. 12મી સદીથી અહીં મંદિર હતું તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તે સમયે થઈ ગયેલા વિમલ શાહે માતાજીની સ્તુતિ કરી હતી. આદિ શંકરાચાર્યે કરેલી ભગવતીની સ્તુતિ તથા પ્રવાસ વર્ણનોમાં પણ જોવા મળે છે. છેક પુરાણોથી લઈને […]

કેનેડામાં કાર અકસ્માતમાં ભરૂચ જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓના મોત, સમગ્ર પરિવારમાં માતમ છવાયો

જંબુસરના રાણા સ્ટ્રીટ ખાતે રહેતો યુવાન એન્જિનીયરીંગનો અભ્યાસ કરવા કેનેડા ગયો હતો. જ્યાં હાલમાં તેને રજા હોઇ તેના અન્ય ત્રણ મિત્રો સાથે તે ફરવા માટે ગયો હતો. દરમિયાનમાં કેનેડાના મોંક્ટન પાસે તેમની કારને અકસ્માત નડતાં જંબુસરના યુવાનનું મોત નીપજ્યું હતું. ઉપરાંત તેની સાથેના બે મિત્રો પણ મોતને ભેંટ્યાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જેમાં તેની […]

ગુરુ એક મહત્વપૂર્ણ ગ્રંથ લખી રહ્યાં હતાં. જ્યારે તેમનો ગ્રંથ છેલ્લા ચરણમાં હતો ત્યારે તેમને આભાસ થઈ ગયો કે હવે તે વધુ દિવસ જીવિત નહીં રહે એટલે મરતી વખતે ગુરુએ કહ્યું અધૂરો ગ્રંથ મારો પુત્ર નહીં મારો અભણ શિષ્ય પૂરો કરશે, જાણો આવું કેમ કહ્યું

જાણીતી કથા પ્રમાણે જૂના સમયમાં એક સંતના આશ્રમમાં એક શિષ્ય હતો જે અભણ હતો, પરંતુ તે પોતાના ગુરુ પ્રત્યે પૂરી શ્રદ્ધા રાખતો હતો. ગુરુએ બતાવેલું દરેક કામ પૂરી ઈમાનદારીથી કરતો હતો. તેની એક બીજી આદત હતી, તે ખાવાનો ખૂબ જ શોખીન હતો. તે ગુરુનો સૌથી પ્રિય શિષ્ય હતો. આશ્રમના બધા શિષ્ય તેને વધુ મહત્વ આપતાં […]

700 વર્ષથી ઈન્ડોનેશિયામાં ભભૂકતા જ્વાળામુખીના મુખ પર બિરાજેલા છે વિઘ્નહર્તા ગણેશ

આ તસવીર જ્વાળામુખી માઉન્ટ બ્રોમોના મુખ પર બિરાજેલા વિઘ્નહર્તા ગણેશની છે. આ વિસ્તારમાં 141 જ્વાળામુખી છે, જેમાંથી 130 હજુયે સક્રિય છે. પૂર્વ જાવાનો માઉન્ટ બ્રોમો તેમાંનો જ એક છે, જે હજારો વર્ષોથી આ જ રીતે ભભૂકી રહ્યો છે. આ પહાડ પર 2329 મીટરની ઊંચાઈએ લાવા પથ્થરોથી બનેલા ગણેશની સ્થાપના આશરે 700 વર્ષ પહેલા કરાઈ હતી. […]

દવા અને સર્જરી વગર પોઈન્ટ થેરપી દ્વારા માઈગ્રેન, બીપી, ડાયાબીટિઝ જેવી 40 બીમારીઓની સારવાર કરી શકાશે

માનસિક તણાવ, માથામાં દુખાવો, માઈગ્રેન, ફ્રોઝન શોલ્ડર, ટેનિસ એલ્બો, બીપી, ઓસ્ટિયો ઓર્થરાઈટિસ, સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ અને ઈન્સોમ્નિયાઅને ડાયાબીટિઝ જેવી 40 બીમારીઓની દવા અને સર્જરી વગર સારવાર કરી શકાય છે. આ પદ્ધતિ છે પોઈન્ટ થેરપી. રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થામાં આ સારવાર ઉપલબ્ધ છે. સંસ્થાના જણાવ્યા અનુસાર હાલમાં જયપુરમાં બે દિવસીય વર્કશોપ યોજાઈ હતી. જેમાં માત્ર રાજસ્થાનના જ નહીં […]

આને કોઇ નિયમ લાગુ પડે નહીં? નંબર પ્લેટ વગર, ત્રિપલસવારી અને HSRP નંબર પ્લેટ વગરની બાઇક પર ઘૂમતા પોલીસના ફોટા વાઇરલ

નિયમો શિખડાવનાર પોલીસ જ નિયમોનો ભંગ કરી રહી છે. રાજકોટમાં નિયમોનો ભંગ કરનાર બાઇક સાથે નીકળનાર પોલીસના ફોટા વાઇરલ થયા છે. જેમાં નંબર પ્લેટ વગર એક પોલીસ મેન બાઇક ચલાવી રહ્યો છે. બીજા એક ફોટામાં પોલીસ ત્રિપલ સવારી બાઇક લઇને પસાર થાય છે. તો અન્ય એક ફોટામાં HSRP નંબર પ્લેટ વગર બાઇક પોલીસ બિન્દાસ ફેરવી […]

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે જ રાજકોટમાં સાત કલાકમાં 7 ઇંચ વરસાદ

રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને લઇને સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં રાત્રે 1 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે સતત વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં મોડીરાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારના સાત વાગ્યા સુધી સત્તાવાર રીતે કરવામાં આવેલી […]

સ્વામી વિવેકાનંદના જ્ઞાન અને બુદ્ધિની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી હતી, એવામાં એક વ્યક્તિએ સ્વામીજીનો મજાક ઉડાવવા પ્રશ્ન પુછ્યો કે કબીરદાસજીએ દાઢી શા માટે રાખી હતી? જાણો પછી સ્વામીજીએ શું જવાબ આપ્યો.

રામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય સ્વામી વિવેકાનંદના જીવનની અનેક એવી ઘટનાઓ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. આજે જાણો સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલો એવો જ જાણીતો પ્રસંગ જેમાં એક માણસે સ્વામીજીનો મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રસંગ પ્રમાણે સ્વામી વિવેકાનંદના જ્ઞાન અને બુદ્ધિની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી રહી હતી. અનેક લોકો તેમને રોજ […]

બ્રેઈન ટ્યુમરના છેલ્લા સ્ટેજમાં હોવા છતાં અંતિમ ઈચ્છા પુરી કરવા બે વર્ષમાં 1100 વૃક્ષ ઉગાડ્યાં, જેથી મૃત્યુ પછી પણ લોકોના શ્વાસમાં જીવંત રહેશે

સુરત શહેરની 27 વર્ષની શ્રુચિ વડાલીયાને બ્રેઈન ટ્યુમર છેલ્લા સ્ટેજમાં છે, છતાં કોઈ પણ જાતના ડર વગર શાનથી જિંદગી જીવી રહી છે. પોતે અસાધ્ય કેન્સરની બીમારીથી પીડાઈ રહી છે પરંતુ ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ અથવા અન્ય કોઈ કારણથી કેન્સર ન થાય તે માટે પર્યાવરણ બચાવવાનું અભિયાન ચલાવી રહી છે. પર્યાવરણ બચાવવા માટે 2 વર્ષમાં 1100 વૃક્ષ ઉગાડી […]