સુરતમાં યોગીચોક ખાતે રહેતા રત્નકલાકાર જયેશભાઈ શીંગાળાએ આપઘાત કર્યો, ભાઈને વોટ્સએપ પર વીડિયો તૈયાર કરી મોકલ્યો

પુણાના યોગીચોક ખાતે રહેતા એક રત્નકલાકારે મંદીને લીધે અનાજમાં નાખવાની ટીકડી ખાઈ આપઘાત કરી લીધો હતો. સોસાયટી બહાર જ ઝેરી ટીકરી ખાઈ લેતા આસપાસથી દોડી આવેલા લોકો સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. છેલ્લા અઢી મહિનાથી કામ છૂટી જતા બેરોજગાર હતા ઘટના અંગે મળતી માહિતી મુજબ યોગીચોકની […]

દિવાળી પર ગરીબોના ચહેરા પર સ્મિત લાવવા ‘સંવેદના ખુશીઓનો પટારો’ અભિયાન અંતર્ગત સુરતીઓએ 15 દિ’માં 3 લાખ નવાં-જુનાં રમકડાં અને કપડાં આપ્યાં

સુરત મહાનગર પાલિકા દ્વારા ‘સંવેદના ખુશીઓનો પટારો’ નામનું અનોખુ અભિયાન 30 સપ્ટેમ્બરથી શરૂ કરાયું હતું, જેમાં માત્ર 15 દિવસની અંદર જ કપડા, રમકડાં સહિત 3 લાખ વિવિધ વસ્તુઓ ભેગી થઇ ગઇ છે. ટેક્સટાઇલ માર્કેટમાંથી 20 હજાર નવી સાડીઓ એકત્ર થઇ છે. જ્યારે 500 રમકડા પણ નવા આપવામાં આવ્યા છે. 17મીએ ડાયમંડ બુર્સમાં 6 હજાર મજૂરોને […]

કરવા ચોથ વ્રતનું મહત્વ જાણો, આ વ્રતમાં ચંદ્રદેવની સાથે ભગવાન ગણેશ, કાર્તિકેય અને શિવ-પાર્વતીની પૂજા કરવામાં આવે છે

હિંદુ કેલેન્ડર પ્રમાણે આસો મહિનાના વદ પક્ષની ચોથના દિવસે કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. આ પર્વ પરણિત મહિલાઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તહેવારમાં માટીના વાસણ એટલે કરવાનું વિશેષ મહત્ત્વ છે. વામન પુરાણ અને અન્ય ગ્રંથોમાં ચંદ્રની પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય છાંદોગ્ય ઉપનિષદમાં પણ ચંદ્રમાં પુરૂષ રૂપી બ્રહ્માની […]

જો પત્ની સારી હોય તો પતિને ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે, પરંતુ જો પત્ની સારી ન હોય તો કોઈ રાજાને પણ ભીખારી બનાવી શકે છે, જાણો ક્યારે થાય છે પત્નીની પરખ?

શ્રીરામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ શ્રીરામ કથાની સાથે જ સુખી અને સફળ જીવન માટે અનેક નીતિઓ પણ જણાવી છે. આ નીતિઓને ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ. અહીં જાણો સીતા અને માતા અનસૂયાના સંવાદના આધાર પર આપણે કઈ વ્યક્તિને ક્યારે પારખી શકીએ છીએ? માતા અનસૂયા સીતાને કહે છે કે – धीरज, धर्म, […]

માત્ર 11 પાસ ખેડૂતે બનાવ્યા 5 મશીન, દર વર્ષે કમાય છે આટલા રૂપિયા, જાણો વિગતે

ભણવું જરુરી છે પરંતુ ફક્ત ભણીને જ વ્યક્તિ સફળ થાય તે જરુરી નથી. શોધ-સંશોધન માટે કોઈ ડિગ્રીની જરુરત નથી પરંતુ ધગસ અને કોઠાસુઝની જરરીયાત છે. સફળ થવાની તિવ્ર ઈચ્છા અને પ્રેરણા હશે તો રાજસ્થાનના જોધપુર જિલ્લાના ગામ રામપુરા-મથાનિયાના અરવિંદ સાંખલાની જેમ તમે પણ સફળ થઈ શકો છો. વ્યવસાયે મૂળરુપે ખેડૂત એવા અરવિંદ ફક્ત ધો. 11 […]

ભૂખી મહિલાના આંસુઓ જોઈને દ્રવી ઊઠ્યું હૃદય અને આજે હજારો ભૂખ્યાંના ભરે છે પેટ

હૈદરાબાદના દબીરપુરા પુલ નીચે દરરોજ બપોરે ઘણા બધાં લોકો સ્વચ્છ ચટ્ટાઈ પર બેસી ભોજન કરે છે. અને અઝહર મકસૂસી નામનો એક શખસ વારાફરતી તે બધાની પ્લેટમાં ગરમાગરમ ભોજન પીરસે છે. આ ઘટનાક્રમ છેલ્લા સાત વર્ષોથી ચાલી રહ્યો છે અને આજે સાત સ્થળોએ 1200 લોકો તેમના કારણે એક ટંક ભરપેટ જમી શકે છે. હૈદરાબાદના જૂના શહેર […]

ભારતની પ્રથમ દૃષ્ટિહીન મહિલા IAS પ્રાંજલ પાટિલે કેરળમાં સુકાન સંભાળ્યું, વાંચો એમના સંઘર્ષની કહાની

દેશની પ્રથમ દૃષ્ટિહીન મહિલા IAS પ્રાંજલ પાટિલે સોમવારે તિરુવનંતપુરમમાં સબ કલેક્ટરનો હોદ્દો સંભાળી લીધો. મહારાષ્ટ્રના ઉલ્લાહસનગરની પ્રાંજલે 2016માં પ્રથમ પ્રયાસે જ યુપીએસસી ક્વાલિફાય કરી લીધું હતું. તેમનો 773મો રેન્ક હતો. તેમને રેલવે એકાઉન્ટ વિભાગ (આઇઆરએએસ)માં નોકરી ફાળવવામાં આવી હતી. પરંતુ રેલવેએ દૃષ્ટિહીનતાને કારણે તેમને નોકરી આપવાનો ઇનકાર કરી દીધો. બીજા વર્ષે પ્રાંજલે 124મો રેન્ક પ્રાપ્ત […]

કાચી ડુંગળી અને લસણ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ 67% ઘટે છે: રિસર્ચ

કાચી ડુંગળી અને લસણ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. પરંતુ તેનાથી મહિલાઓનાં બ્રેસ્ટ કેન્સરનાં જોખમને ઘટાડી શકાય છે. ન્યૂ યોર્કમાં કરાયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. ‘યુનિવર્સિટી ઓફ બફેલો’ અને ‘યુનિવર્સિટી ઓફ પ્યુએરેટો રિકો’ના એક રિસર્ચમાં સાબિત થયું છે કે કાચી ડુંગળી અને લસણ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. આ […]

પગની નસમાં આવતા સોજાથી છૂટકારો મેળવવા આ રીત કરો તમાલપત્રનો ઉપયોગ, અચૂક થશે ફાયદો

ભારતીય મસાલામાં તમાલપત્રનું એક ખાસ મહત્વ છે. તમાલપત્ર ભોજનનો સ્વાદ બમણો કરી દે છે. જેથી ખાસ કરીને લોકો તેમના ભોજનમાં તમાલપત્રનો ઉપયોગ કરે છે. તે સિવાય તમે જાણતા હશો કે તમાલપત્ર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તમાલપત્રનું સેવન કરવાથી કેન્સર સહિત હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે. એટલું જ નહી તમાલપત્રનો ઉકાળો અને લેપ […]

રાજા-મંત્રી પ્રજાનો હાલ જાણવા નીકળ્યા, રસ્તામાં રાજાનો કૂર્તો ફાટી ગયો, એક દરજીએ તરત જ કૂર્તો સીવી દીધો, રાજા તેના કામથી ખુશ થઈ ગયા અને બોલ્યા માંગી લે જે તારે જોઈએ, દરજીને સમજમાં ન આવ્યું કે શું માંગવું, જાણો પછી શું થયું?

પ્રાચીન સમયમાં એક રાજા પોતાની પ્રજાના હાલચાલ જાણવા માટે પોતાના રાજ્યમાં ફરવા નીકળ્યો. રાજાની સાથે મંત્રી પણ હતા, બંને વેશ બદલીને રાજ્યમાં ફરી રહ્યા હતા. ત્યારે કાંટાવાળી જાળીઓના કારણે રાજાનો કૂર્તો ફાટી ગયો. રાજાએ મંત્રીને કહ્યુ કે કોઈ દરજીને શોધો. મંત્રીએ જલદી જ એક દરજી શોધ્યો અને તેને કહ્યુ કે રાજા પ્રજાનો હાલ જાણવા નીકળ્યા […]