મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને ભીષ્મ પિતામહે ઘોષણા કરી કે બીજા દિવસે તેઓ બધા જ પાંડવોનો વધ કરી નાખશે, પાંડવોની રક્ષા માટે શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે મારી સાથે ચાલ તેના પછી જે થયું તેનાથી આપણને પણ શીખ મળે છે
મહાભારતના યુદ્ધની શરૂઆતમાં જ દુર્યોધને કૌરવોના સેનાપતિ ભીષ્મ પિતામહ માટે વારંવાર વ્યંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી દુ:ખી થઈને એક દિવસ પિતામહે કહી દીધું હતું કે, કાલે તેઓ બધા જ પાંડવોનો વધ કરી નાખશે. જ્યારે આ વાત પાંડવોને જાણવા મળી ત્યારે તેઓ દુ:ખી થઈ ગયા, કારણકે પિતામહ ભીષ્મને યુદ્ધમાં હરાવવા અશક્ય હતા. એ દિવસે […]