ઉન્નાવ રેપ કેસની 90% દાઝેલી પીડિતાએ દિલ્હીની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા, છેલ્લા શબ્દો હતા- ‘બચી તો જઈશને, મરવા નથી માંગતી’

ઉન્નાવ રેપ કેસની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલમાં રાત્રે 11:40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે. હાર્ટએટેકને કારણે પીડિતાનું મૃત્યુ નીપજ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. મહત્વનું છે કે,પીડિતાએ પોતાની અંતિમ ક્ષણોમાં તેના ભાઈને કહ્યું હતું કે, ‘હુજીવવા માગું છું’.ઉલ્લેખનીય છે કે,ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં જામીન પર છૂટેલા સામુહિક દુષ્કર્મના આરોપીઓએ પીડિત યુવતીને જીવતી સળગાવી દીધી હતી. રાજધાનીના સફદરગંજ હોસ્પિટલમાં સારવાર […]

પોલીસ કોન્સ્ટેબલે બિન્દાસ મહિલાને કહ્યું- ‘હપ્તાના પૈસા ન હોય તો જોતા નથી, તું મારી સાથે સુઈ જા’ મહિલાએ બુમાબુમ કરી મુકતા કોન્સ્ટેબલ ત્યાંથી જતો રહ્યો હતો

જેતપુરના જેપુર ગામે દેશી દારૂનો ધંધો કરતી એક મહિલાની પાસે વીરપુર પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે હપ્તાના પૈસા ન હોય તો ‘તું આજે મારી સાથે સુઈ જા’ કહી શારીરિક સંબંધની માંગ કરતા મહિલાએ બુમાબુમ કરી મુકતા કોન્સ્ટેબલ ત્યાંથી જતો રહ્યો હતો. જતા જતા બીભત્સ ગાળો આપ્યાની અને તેણીના પતિના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપ્યાની મહિલાએ કોર્ટમાં […]

સ્વામિનારાયણ સાધુએ રાજકોટની મહિલાને વીડિયો કોલ કર્યો, ચેટિંગમાં લખ્યું- ‘ક્યારેક મહારાષ્ટ્રનો સત્સંગ માણો’

5 નવેમ્બર, 2019ના રોજ રાજકોટની સત્સંગી મહિલાને પોતાના ફેસબુક આઈડી ઉપર પોતાને વડતાલના ગણાવતા મુકુંદસ્વામી વીડિયો કોલ કરે છે. મહિલા વીડિયો કોલ રિસીવ નથી કરતી તો સ્વામી તેણે ફેસબુક મેસેન્જરમાંથી મેસેજ કરે છે અને સારું થયું તમે મળ્યા, ગુજરાતમાં સત્સંગ કરો છો તો ક્યારેક મહારાષ્ટ્રમાં પણ સત્સંગનો લાભ લો એવી વાતો કરે છે. જવાબમાં સત્સંગી […]

કાલાવડના ભાવુભા ખીજડીયા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6ના ઘટનાસ્થળે જ મોત, 2 ગંભીર

કાલવડથી 15થી 20 કિલોમીટર દૂર જામકંડોરણા તરફ જતા હાઇવે પર આવેલા ભાવુભાના ખીજડીયા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા પાંચ થી છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે અને ત્રણને ગંભીર ઇજા પહોંચી છે. બનાવના પગલે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતોઅને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. આ અંગે જામનગર એસપીએ જણાવ્યું […]

ધ્રાંગધ્રાના સોલડી ગામની સીમમાં ફોનમાં મશગુલ પતિએ ટ્રેક્ટરથી કપાસ વિણતી પત્નીને હડફેટે લીધી, કટરમાં ફસાઈ જતાં બન્ને પગ કપાયા

ધ્રાંગધ્રાના સોલડી ગામની સીમમાં પતિ-પત્ની કપાસની સાઠીયું પાડી રહ્યા હતા. આ સમયે ટ્રેક્ટર ચલાવતા પતિ મોબાઇલમાં વાત કરવા જતા પત્નીને ટ્રેક્ટરની અડફેટે લેતાં કટરમાં ફસાઇ ગઈ હતી, જેથી બંન્ને પગ કપાઇ ગયા હતા. પત્નીની બૂમો સાંભળી પતિએ ટ્રેક્ટર બંધ કરી દીધુ હતુ. આસપાસના લોકોની મદદથી એક કલાકની મહેનત બાદ મહિલાને બહાર કાઢી હતી. પગ કટરમાં […]

હાથ પર મોતનું કારણ લખી 2 સંતાનની માતાનો આપઘાત, પહેલાં જ કહ્યું હતું કે, હવે સાસરે જઈશ તો પાછી નહીં આવું ને તેણે એવું જ કર્યું

નડિયાદ રેલવે ક્વાટર્સમાં રહેતાં પોલીસ જમાદારના પુત્રવધૂએ મંગળવારે મોડી રાત્રિના સુમારે રેલવે સ્ટેશન નજીક રાણકવાવ એક્સપ્રેસ નીચે મોતની છલાંગ લગાવી આપઘાત વ્હોરી લીધો હતો. જેની જાણ થતાં રેલવે પોલીસે આત્મહત્યાની નોંધ કરી વધુ તપાસ આદરી છે. 2 સંતાનની માતાએ હાથ પર મોતનું કારણ લખ્યું હતું, જોકે સ્પષ્ટ વંચાતું ન હોવાથી ગુરુવારે તેના પિતાને બોલાવી લખાણ […]

બગસરાના મોટા મુંજીયાસર ગામે વાડીમાં ખાટલે સુતેલા ખેડૂત પર દીપડાએ હુમલો કરી 200 ફૂટથી વધુ ઢસડયા, પેટનો ભાગ અને પગ કરડી ખાતા મોત

બગસરાના મોટા મુંજીયાસર ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વજુભાઇ ધનજીભાઇ બોરડ (ઉ.50) નામના ખેડૂત ગત રાત્રે રખોપુ કરવા માટે પોતાની વાડીએ ગયા હતા. વાડીના ફરજામાં ખાટલા પર સુતા હતા ત્યારે મધરાત્રે માનવભક્ષી દીપડો આવી ચડ્યો હતો. દીપડાએ ભરનિંદ્રામાં રહેલા વજુભાઇને બોચીથી પકડી 200 ફૂટથી વધુ ઢસડી વાડીની બહાર ખેતરમાં લઇ ગયો હતો. […]

અમદાવાદમાં બ્રેઈનડેડ જાહેર થયેલા સુરતના ચંપાબેન મુંજાણીએ અંગદાન કરી માનવતા મહેકાવી, બે મહિલાઓને નવજીવન મળ્યું

સુરતના ચંપાબેન મુંજાણી તેમના અંગોનું દાન કરી માનવતા મહેકાવાનું કાર્ય કરતા ગયા છે. તો અંગદાન થકી બે વ્યક્તિઓને નવજીવન આપતા ગયા છે. સુરતના 64 વર્ષીય ચંપાબેન બેચારભાઈ મુંજાણીનું અમદાવાદની હોસ્પિટલમાં બ્રેઇનડેડને કારણે મોત નીપજ્યું હતું. જોકે, ચંપાબેન તથા મુંજાણી પરિવારના સભ્યોની એવી ઈચ્છા હતી કે, ચંપાબેન તેમના અંગોનું દાન કરે. જેથી તેઓ આ ભગીરથ કાર્ય […]

હૈદરાબાદ એન્કાઉન્ટર: પીડિતા પિતાએ કહ્યું, ‘મારી દીકરીની આત્માને શાંતિ મળી હશે’ પીડિતાની બહેને કહ્યું, ‘પોલીસની કામગીરીએ દાખલો બેસાડ્યો’

હૈદરાબાદમાં વેટરનરી ડૉક્ટર સાથે બળાત્કાર બાદ નિર્મમ હત્યા કરનારા આરોપીઓને શુક્રવારે સવારે પોલીસે ઠાર માર્યા છે. પોલીસે કરેલા એન્કાઉન્ટર અંગે પીડિતાના પિતાએ સરકારને શુભકામના આપી છે. સાથે જ કહ્યું કે, દીકરીની આત્માને શાંતિ મળી હશે. ઉલ્લેખનીય છે કે બરબરતાની હદ પાર કરતી આ ઘટના પ્રકાશમાં આવતાં જ દેશભરમાં આક્રોશ હતો. આરોપીઓને ફાંસી આપવાની માગ ઉઠી […]

હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર, જ્યાં દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જ ઠાર મરાયા

તેલંગાણા દુષ્કર્મના ચારેય આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ આરોપીઓને લઈને એ અંડરબ્રિઝમાં પહોંચી હતી, જ્યાં તેમણે ડોક્ટર પર પેટ્રોલ છાંટ્યું હતું. પૂછપરછ અને ઘટનાને રિક્રિએટ કરતી વખતે આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં ચારેયના મોત થયા હતા. આરોપીઓને 14 દિવસની કોર્ટ કસ્ટડીમાં મોકલાયા હતા […]