ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 969 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,72,009 થયો

ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યા પહેલા એક સમયે 1400થી વધુ કોરોના વાયરસ (CoronaVirus)ના કેસ નોંધાતા હતા ત્યાં જ આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 969 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 969 Corona Positive Case In […]

શિયાળો આવતાની સાથે જ શરદીની સમસ્યાથી પરેશાન છો? તો ટ્રાય કરો લવિંગનો આ રામબાણ ઉપાય

હવે ગરમી નહીં પણ શિયાળો શરૂ થઇ ગયો છે. દિવાળી પણ નજીક આવી રહી છે. ત્યારે શરદીની સમસ્યા અનેક લોકોને થતી હોય છે. પણ કોરોના કાળમાં શરદીની સમસ્યા તમારી ચિંતા પણ વધારી શકે છે. વળી કેટલીક વાર ઘરે દિવાળી સફાઇ કરવાથી એલર્જીક શરદી પણ થાય છે. જો કે લવિંગ શરીરને અંદરથી ગરમ રાખવા અને પિત્તને […]

પાચન શક્તિ અને હાડકાં મજબૂત કરવાની સાથે અનેક રીતે ફાયદાકારક છે શક્કરિયા, આ રીતે કરો તેનું સેવન મળશે ફાયદા

શક્કરિયાને સ્વીટ પોટેટો પણ કહેવામાં આવે છે. તેની ગણતરી બટાકાની સાથે કરવામાં આવે છે. પરંતુ તે બટાટા કરતા આરોગ્ય માટે અનેકગણું ફાયદાકારક છે. તેમાં વિટામિન, બીટા કેરોટિન, ફાઇબર, મેગ્નેશિયમ, આયર્ન, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-વાયરલ ગુણ છે. આવી સ્થિતિમાં, તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આંખોના રોશનીમાં વધારો કરવા સાથે હાડકાંને મજબૂત બનાવે છે. તો, આજે અમે તમને […]

શરમજનક ઘટના: બનાસકાંઠામાં ગરીબોના હકનું અનાજ પશુદાણના થેલામાં ભરીને સગેવગે કરાતા ઝડપાયું

બનાસકાંઠાના થરાદમાં સસ્તા અનાજની દુકાન પર વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. કોરોનાની મહામારીમાં પણ લોકો ગરીબોના ભાગ્યનું અનાજ ખાઈ રહ્યા છે. રવેલ ગામની સસ્તા અનાજની દુકાનનો જથ્થો પશુદાણની બોરીમાંથી ઝડપાયો પશુદાણની બોરીમાં ભરીને જથ્થો માર્કેટમાં વેંચવા જઈ રહ્યા હોવાની શંકા મામલતદારની ટીમે 20 બોરી જથ્થો ઝડપીને તપાસ માટે FSLમાં મોકલ્યો બનાસકાંઠાના થરા માં સસ્તા […]

સોલા સિવિલ હોસ્પિટલના RMO સહિત 2 ડોક્ટરને ACBએ છટકું ગોઠવીને 8 લાખી લાંચ લેતા ઝડપ્યા

સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓને આપવામાં આવતા ભાેજન અને ચા-નાસ્તાના રૂ.1.18 કરોડનું બિલ મંજૂર કરવા ઇન્ચાર્જ આર.એમ.ઓ ડૉ.ઉપેન્દ્ર પટેલ અને મેડિકલ ઓફિસર ડૉ.શૈલેષ પટેલે કોન્ટ્રાક્ટર પાસેથી 16 લાખની અને કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા વધુ 2 લાખ એમ કુલ મળી 18 લાખની લાંચ માગી હતી જે પૈકી અગાઉ 10 લાખ લીધા […]

પાકિસ્તાનના સાંસદનો દાવો: બાજવાના પગ થરથર કાંપતા હતા, ભારત હુમલો કરશે એ ડરથી પાકિસ્તાને અભિનંદનને છોડ્યા

પાકિસ્તાનના એક સાંસદે બુધવારે પાકિસ્તાનની સંસદમાં દાવો કર્યો હતો કે ભારતના હુમલાના ડરથી ઈમરાન ખાન સરકારે ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરી દીધા હતા. ગત વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય અને પાકિસ્તાની એરફોર્સ વચ્ચે થયેલા હવાઈ હુમલા પછી વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાની સેનાએ કસ્ટડીમાં લીધા હતા. નેશનલ એસેમ્બ્લીમાં બુધવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન (પીએમએલ-એન) નેતા […]

સુરતના બ્રેનડેડ પિયુષ માંગુકિયાએ હૃદય, ફેફસાં, કિડની, લિવર, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું દાન કરી આઠ વ્યક્તિઓને નવજીવન આપ્યું

વેલંજા વિસ્તારમાં રહેતા લેઉવા પટેલ સમાજના બ્રેનડેડ પીયુષ નારણભાઈ માંગુકિયાના હૃદય, ફેફસાં, કિડની, લિવર, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું પરિવારે દાન કરી આઠ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. પીયુષભાઈનું હ્રદય સહિતના અંગોના દાનથી પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.પીયુષભાઈની હ્રદય સુરતથી અમદાવાદનું ૨૭૨ કિ.મીનું અંતર 130 મીનીટમાં કાપીને ટ્રાન્સપ્લાન્ટ બોરસદ (આણંદ)ના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં […]

સાસુ-વહુના ઝઘડાનો આવ્યો કરુણ અંજામ: અમદાવાદમાં વહુએ સાસુને સળીયાના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા

ગુસ્સો સવાર થયા પછી માણસ સારાસારનો વિવેક ભૂલે ત્યારે કેવું ભયંકર પરિણામ આવે ? તેનો ચિત્તાર આપતી કરૂણ ઘટના ઘટી છે. શહેરના ગોતા વિસ્તારમાં રોયલ હોમ્સમાં મંગળવારે રાત્રે સાસુએ તારા ગર્ભમાં સસરાનું સંતાન છે તેવો આક્ષેપ કરતા ઝઘડો થયા બાદ પુત્રવધૂએ સાનભાન ભૂલી માતા સમાન સાસુના માથામાં લોખંડના સળિયાથી પ્રહાર કરીને હત્યા કરી નાખી હતી. […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 987 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,71,040 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 80 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 21 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 987 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યનો રિકવરી રેટ 90 ટકાને પાર પહોંચ્યો છે. […]

મોઢામાં ચાંદા પડ્યા હોય કે ગળુ બેસી ગયું હોય તો જેઠીમધથી રાહત મળશે, પેટની સમસ્યા પણ થશે દૂર, જેઠીમધના ફાયદાઓ જાણો અને શેર કરો

ચોમાસું પૂરું થયું છે અને હવે ઠંડીની શરૂઆત થઈ છે. વાતાવરણમાં ફેરફાર આવતાં જ ગળામાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. ગળું સૂકાઈ જવું, દુખાવો અને અવાજ બેસી જવા જેવી સમસ્યા થાય છે. જેઠીમધનો ઉપયોગ કરી આ સમસ્યા દૂર કરી શકાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. જાણો જેઠીમધનો ઉપયોગ કયારે કરી શકાય છે… […]