સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં સગીર વયના બાળકોના માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો, 16 વર્ષીય સગીરાને સ્નેપચેટના મિત્રો ભોળવી માઉન્ટ આબુ લઈ ગયા, જાણો પછી શું થયું

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં સગીર વયના બાળકોના માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં ધોરણ-10માં અભ્યાસ કરતી એક સગીરાને સ્નેપ ચેટ (Snap Chat) મારફતે એક યુવકનો સંપર્ક થયો અને ત્યારબાદ એ યુવક તેના મિત્રો સાથે સગીરાને માઉન્ટ આબુ (Mount Abu) લઈ ગયો. યુનિવર્સિટી પોલીસે (Universality Police ) ગણતરીના કલાકોમાં સગીરાને હેમખેમ છોડાવી દીધી […]

અંધશ્રદ્ધા: ગુજરાતમાં હજુ પણ ગામડાંના ગરીબ લોકો બાળકોને બીમારીમાં ડોક્ટર પાસે સારવારના બદલે ભુવાઓ પાસે ડામ અપાવે છે

ગુજરાતે મેડિકલ ક્ષેત્રે સફળતાના શિખરો સર કર્યા છે, પરંતુ આધુનિક મેડિકલ સાયન્સ માટે કલંકરૂપ એવી ધગધગતા લોખંડના ઓજારથી ડામ દઇને બીમારી ભગાડવાની અથવા માતાજીને રીઝવવાની પ્રથા પિશાચી અખતરાથી કરાય છે. આજેય ઝાલાવાડમાં દાઝ્યાં પર ડામ દેતા હોય એમ ખેંચની બિમારીમાં બાળકને મસ્તિષ્કમાં પાણી ભરાયું હોય તો લોખંડના ગરમ ઓજારથી ધગધગતા “ડામ” અપાય છે. આજે પણ […]

ખેડૂત આંદોલનમાં વધુ એક વ્યક્તિએ આત્મહત્યા કરી: ભટિંડામાં 22 વર્ષના ખેડૂતે ઝેર ખાઈને આત્મહત્યા કરી, બે દિવસ પહેલા દિલ્હી સરહદેથી પરત ફર્યો હતો

ખેડૂત આંદોલનમાં વધુ એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે. ભટિંડામાં 22 વર્ષના ખેડૂત ગુરલાભ સિંહે રવિવારે આત્મહત્યા કરી છે. તે બે દિવસ પહેલા કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાંથી પરત ફર્યો હતો. 16 નવેમ્બરના રોજ સંત રામ સિંહે ખેડૂત આંદોલનના સમર્થનમાં ગોળી મારી આત્મહત્યા કરી હતી. છેલ્લા 25 દિવસથી ચાલી રહેલા આંદોલન દરમિયાન અત્યાર સુધીમાં 20થી […]

ખેડૂત પાસેથી જે બટાટા 10 રૂપિયે કિલોમાં ખરીદાય છે, તે આપણને 20માં મળે છે, કુદરતી આફતો સહન કરીને પાક લેતા ખેડૂતો શાકભાજીનો ખર્ચ પણ કાઢી શકતા નથી

દિલ્હીમાં કૂચ કરીને આવેલા ખેડૂત સંગઠન એમએસપી પર ગેરન્ટી માગે છે… આખરે કેમ? હકીકતમાં, ખેડૂત તમામ કુદરતી આપત્તીઓને સહન કરીને પાક પેદા કરે છે, પરંતુ તેને ઉપજના યોગ્ય ભાવ મળતા નથી. નવી દિલ્હીના બજારમાં 20 રૂપિયે કિલો વેચાતા બટાટા ખેડૂત પાસેથી 10 રૂપિયે કિલો ખરીદાય છે. ડુંગળીની પણ આવી જ સ્થિતિ છે, તે ખેડૂત પાસેથી […]

મોરબીમાં બે જૂથ વચ્ચે અથડામણ, ફાયરિંગમાં બે યુવકનાં મોત, 5 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયા

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જે દરમિયાન ફાયરિંગ કરવામાં આવતા આદીલ નામના યુવકનું ગોળી વાત મોત નીપજ્યું છે, જ્યારે 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં ઇમરાન નામના યુવકનું મૃત્યુ થયું છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી […]

એસજી હાઇવે પરથી કોલસેન્ટર માલિક પાસેથી રૂ. 65 લાખના તોડ મામલે તત્કાલીન PI, PSI સહિત 7 સસ્પેન્ડ, IPS અધિકારીનો બચાવ?

અમદાવાદ શહેરના એસજી હાઇવે પરથી કોલસેન્ટરના ડેટા સાથે બે યુવકોને પકડી કોલસેન્ટર ચલાવતાં માલિક પાસેથી રૂ. 65 લાખનો તોડ કરવાના કેસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી.જાડેજા, પીએસઆઇ અને પાંચ કોન્સ્ટેબલને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સસ્પેન્ડ કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ બાદ કરાયેલા રિપોર્ટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ કેસમાં […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1010 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,35,299 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1010 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1010 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા […]

ડાયાબિટીસના દર્દીઓએ તંદુરસ્ત રહેવું હોય તો નોંધી લો આ ખાસ ટિપ્સ, શરીરને અન્ય રોગોથી બચાવશે

ડાયાબિટીસ અત્યારે ખૂબ જ વધી રહ્યો છે. લોકોની ખરાબ જીવનશૈલી, ખાન-પાનની ખોટી આદતો, બેદરકારીને કારણે આ રોગ ઝડપથી વધી રહ્યો છે. એકવાર ડાયાબિટીસ થઈ ગયા પછી ખાવા પીવામાં ધ્યાન રાખી અને કેટલાક ઉપાયો અજમાવીને તંદુરસ્ત રહી શકાય છે અને શરીરને અન્ય રોગોથી પણ બચાવી શકાય છે. આજે અમે તમને એવી જ કેટલીક મહત્વની ટિપ્સ અને […]

મુંબઈનો હચમચાવી દેતો બનાવ: પત્નીના ચારિત્ર્ય પર ટિપ્પણી કરનાર મિત્રની હત્યા કરી લાશના 12 ટુકડા કરી નાખ્યા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (Mumbai)માં એક એવો બનાવ સામે આવ્યો છે જેના વિશે સાંભળીને ભલભલા હચમચી જાય. અહીં એક 31 વર્ષીય બેંક કર્મચારી પોતાની મહિલા મિત્રના ઘરે પહોંચ્યો હતો. અહીં તેણે મહિલા મિત્રના પતિની સામે જ તેણીના ચારિત્ર્યને લઈને અમુક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીથી નારાજ મહિલાના પતિએ તેના પત્નીના મિત્રની હત્યા કરી નાખી હતી. જે […]

અમદાવાદમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? નરાધમે મહિલાને અપશબ્દો બોલી, માર માર્યો અને કપડાં ફાડી નાંખ્યા

એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચારના અનેક બનાવો સામે આવી રહ્યા છે. શહેરમાં દિવસે દિવસે છેડતી અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છતાં પણ કેટલાક નરાધમો એવા છે કે, હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યાં. શહેરના નિકોલ વિસ્તારમાં વધુ એક છેડતીનો […]