સુરતમાં સત્સંગ કરતાં કરતાં બેભાન થયા બાદ બ્રેઈનડેડ જાહેર કરાયેલા પ્રભાબેન પટેલના અંગોનું દાન : કિડની, લિવર અને ચક્ષુઓથી પાંચને નવું જીવન મળ્યું
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 63 વર્ષિય બ્રેઈનડેડ મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું છે. કિડની, લિવર અને ચક્ષુઓથી પાંચને નવું જીવન મળ્યું છે. શાંતિવન સોસાયટી વિભાગ-2, કવિતા સોસાયટીની સામે, સરથાણા જકાતનાકા ખાતે રહેતા પ્રભાબેન 1 ફેબ્રુઆરીના રોજ પ્રભાબેન સાંજે 6 કલાકે પોતાની સોસાયટીમાં સત્સંગ કરી રહ્યા હતા ત્યારે ચક્કર આવતા બેભાન થઇ ગયા હતાં. પરિવારજનોએ તેમને […]