Browsing category

સમાચાર

HSRP નંબર પ્લેટ અને પીયુસી કઢાવવા સરકારે સમય આપ્યો, PUCની 30 સપ્ટેમ્બર, HSRPની 16 ઓક્ટોબર સુધી મુદત લંબાવાઈ

ગુજરાત સરકારે 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં નવા મોટર વ્હીકલ્સ એક્ટ, 2019 ને લાગુ કરવાનું છે. HSRP નંબર પ્લેટ લગાડવા મામલે રાજ્ય સરકારે ફરી એકવાર મુદતમાં વધારો કર્યો છે. 31મી ઓગસ્ટે મુદત પૂરી થઈ ગયા બાદ તેમાં વધારો નહોતો કર્યો પરંતુ આજે સરકારે HSRP નંબર પ્લેટ લગાવવા માટે 1 મહિનાની નાગરિકોને મુદત આપી છે. 16 ઓક્ટોબર સુધીમાં […]

ભાજપના જ નેતા એ ખખડધજ રસ્તાની ખોલી પોલ, કહ્યું-ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે?

નવા મોટર વ્હીકલ હેઠળ વાહન ચાલકો પાસેથી મસમોટા દંડ વસૂલવામાં આવી રહ્યા છે, જેની સામે હાલ પ્રજામાં સોશિયલ મીડિયામાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાની સાથે સાથે ભાજપના નેતાઓમાં પણ હવે આક્રોશ શરૂ થઈ ગયો છે. ગુજરાત સરકારની રસ્તાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભાજપના સિનિયર આગેવાન અને પૂર્વ મંત્રી આઈ. કે. જાડેજાએ […]

સરકાર ગાયનાં છાણ અને ગૌમૂત્રમાંથી પ્રોડક્ટ બનાવવાનો બિઝનેસ શરૂ કરવા માટે આપશે 60 ટકા ભંડોળ

કેન્દ્ર સરકાર દ્વારા ગોબર અને ગૌમૂત્રથી નવાં ઉત્પાદનો બનાવવાનો ધંધો શરૂ કરીને સરકારી ભંડોળ મેળવી શકાશે. રાષ્ટ્રીય કામધેનુ કમિશનના જણાવ્યા અનુસાર, ડેરીની સાથે સાથે ગાયનું છાણ અને ગૌમૂત્રમાંથી બનેલા ઉત્પાદનવાળાં સ્ટાર્ટઅપ માટે લોકોને શરૂઆતમાં રોકાણના 60 ટકા રોકાણ સરકાર તરફથી મળી શકે છે. યુવાનોને ગાય અને તેની બાય પ્રોડક્ટ આધારિત ઉદ્યોગો માટે પ્રોત્સાહિત કરવામાં આવશે […]

ભાદરવી પૂનમ મેળો- યાત્રાધામ અંબાજીમાં ભક્તિ અને શ્રધ્ધાનું ઘોડાપૂર, ભાદરવી પૂનમના મહામેળામાં લોકો અંબાજી ચાલતા કેમ જાય છે

પવિત્ર અને પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તિ, શક્તિ, તપ અને શ્રધ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. માઈલોની પદયાત્રા કરી અંબાજી પહોંચેલા લાખો માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ પર માઈભક્તોનો પ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે. ગરબાની રમઝટ અંબાજી જતા રસ્તાઓ ઉપર ઘણી જગ્યાએ ગરબાની […]

નવસારીના રત્નકલાકારે કેન્સરથી પીડાતી 10 વર્ષની બાળકીને લોહીના સ્ટેમ સેલનું દાન કરીને આપ્યું જીવનદાન

રક્તદાન જીવતદાન જેવા સ્લોગનો ખુબ પ્રચલિત થયા છે જેમા એલોપેથી એ રક્ત અને યુરીન રિસર્ચ પર આધારિત પધ્ધતિની સારવાર પ્રચલિત બની છે જેમા બ્લડકેન્સરના વધતા કિસ્સાઓ લોકોના જીવ હરી રહ્યા છે ત્યારે નવસારીના એક હિરાના રત્નાકારે પોતાના સ્ટેમશેલ આપી 10 વર્ષની મુંબઈની બાળાને કેન્સરથી બચાવી છે. 150 રત્નકલાકારોની નોંધણી થયેલી એપ્લાસ્ટીક એનીમીયા માનવશરીરમા છેલ્લા કેટલાક […]

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવાને જીવ જોખમમાં મૂકીને આગમાંથી 3 બાળકોને બચાવ્યા

સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં લાગેલી આગમાં હોસ્પિટલના ફાયર વિભાગમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા ક્રિષ્ણાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને 3 નવજાત બાળકોને બચાવ્યા હતા. ત્રણ બાળકોને બચાવનાર ક્રિષ્ણા આગના ધુમાડાથી ઘેરાયેલી હોસ્પિટલનો પ્લાસ્ટીકનો શેડ અને બારીના કાચ વોર્ડમાં પ્રવેશ્યો હતો. અને ત્રણ બાળકોને બચાવી લીધા હતા. આગ લાગતા જ ક્રિષ્ના શેડ તોડીને આઇસીયુમાં દાખલ થયો વડોદરા શહેરની […]

ઓરિસ્સાની 27 વર્ષની અનુપ્રિયા દેશની પ્રથમ આદિવાસી મહિલા પાઇલટ બની, પાઇલટ બનવા માટે તેણે એન્જિનિયરિંગ અધૂરું મૂકી દીધું હતું

ઓરિસ્સામાં આદિવાસી કોમની એક છોકરીએ નાનપણમાં પાઇલટ બનાવનું સપનું જોયું હતું, જે તેણે અનેક આકરા સમયમાંથી પસાર કરીને પૂરું કર્યું છે. ઓરિસ્સામાં 27 વર્ષની અનુપ્રિયા લાકડા આદિવાસી કોમની પ્રથમ મહિલા પાઇલટ બની છે. સપના પૂરાં કરવા એન્જિનિયરિંગ છોડી દીધું અનુપ્રિયાએ તેણે પોતાના સપના પૂરા કરવા માટે ભુવનેશ્વરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે જ મૂકી દીધો હતો. તેણે […]

ભાદરવા સુદ ચૌદસ એટલે ગણેશ ઉત્સવ સમાપ્તિ, જાણો ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત

આજે ભાદરવા સુદ ચૌદસની વૃદ્ધિ તિથિ જેને અનંત ચતુર્દશી, શ્રી ગણેશ મહા ઉત્સવ સમાપ્તિ તરીકે ગણવામાં આવે છે. આખા દિવસમાં ગમે ત્યારે ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી શકાય, કારણ કે ભદ્રા કે વિષ્ટી જેવો યોગ બનતો નથી માટે આખા દિવસમાં ગમે ત્યારે અનુકૂળતા મુજબ ગણેશ વિસર્જન કરી શકાય. માટીની મૂર્તિ હોય તો અવશ્ય પોતાના ઘરમાં […]

વરસાદી માહોલમાં ‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદ સાથે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજીમાં ઉમટી રહ્યા છે.

કરોડો માઇભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી ખાતે ભાદરવી મહામેળો સોળે કળાએ જામ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પણ ‘બોલ માડી અંબે… જય જય અંબે…’ના નાદ સાથે આગળ વધી રહ્યા છે. માતાજી ઉપરની વિરાટ શ્રધ્ધાના લીધે યાત્રિકો થાક કે વરસાદની પરવા વિના અંબાજી કૂચ ચાલુ છે. અંબાજીમાં દિવસ-રાત લાખોની સંખ્યામાં માઇભક્તો ઉમટી રહ્યા છે. દૂરદૂરથી પદયાત્રીઓ પહોંચે […]

ગીરના જંગલમાં જીતુ વાઘાણીએ સીટ બેલ્ટ બાંધ્યા વગર ચલાવી જીપ્સી, સોશિયલ મીડિયામાં ટ્રાફિક રૂલ્સનો ભંગ થયાની થઈ રહી છે ચર્ચા

ગુજરાતમાં સત્તારૂઢ પક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગઈકાલે તેમના ફેસબુક પેજ પર ગીરના જંગલમાં ગયા તેની તસવીરો શેર કરી છે. તેમણે શેર કરેલી તસવીરો હોલ વોટ્સએપ પર વાઈરલ થઈ છે. વાઘાણીએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોવાની દલીલ કરાઈ છે. સીટ બેલ્ટ વગર જીપ્સી હંકારતા વાઘાણીએ કાયદોનો ભંગ થયો છે કે નહીં તેવો સવાલ કરાયો […]