Browsing category

સમાચાર

અમદાવાદ: 18 હજારનો મેમો ફટકારી રીક્ષા ડિટેઈન કરાતા રિક્ષાચાલકે પીધું ફિનાઈલ, જીવ ટૂંકાવવાની કરી કોશિશ

રાજયમાં નવા ટ્રાફિક નિયમોના પાલનથી પ્રજા પરેશાન થઈ રહી છે. ત્યારે ઓટોરિક્ષા ચાલકને તાજેતરમાં રૂ.18 હજારનો મેમો આપવામાં આવ્યો હતો. જેનાથી માનસિક પરેશાની અનુભવતા રિક્ષાચાલકે ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સ્થાનિક પોલીસ આ ઘટના પારિવારીક કારણોસર બની હોવાનું કહી રહી છે. પારિવારિક પ્રશ્ન હતો જેને લઈને ફિનાઈલ પીધું- પોલીસનો દાવો ગોમતીપુરમાં ઓટોરિક્ષા […]

પોરબંદરમાં આકાશી વાદળોનો દુર્લભ વીડિયો થયો કેમેરામાં કેદ, આકાશમાં સર્જાયા કુતુહલ દ્રશ્યો જુઓ અને શેર કરો

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વાદળોનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. પોરબંદરમાં આકાશી વાદળોનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયો ઘેડ વિસ્તારના ગોશા ટુકડા ગામનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આકાશમાં કુતુહલ પેદા કરે તેવા દ્રશ્યો સર્જાયા હતા. વાદળના દ્રશ્યોનો આ વીડિયો ઉતારી ખેડૂતે વાયરલ કર્યો છે. પોરબંદરમાં આકાશી વાદળોનો દુર્લભ Live […]

વાપીઃ બર્થ-ડે પાર્ટી ઉજવીને પરત ફરતાં દંપતીને કાળ ભરખી ગયો, પત્નીને બે માસનો ગર્ભ હતો

વાપી નજીકના સલવાવ ગામે બિગ બજારની સામે મોડી રાત્રીએ હાઇવેની સાઇડે પાર્ક કરેલી ટ્રકમાં કાર ઘુસી જતા શાહ દંપતીનું ઘટના સ્થળે જ મોત થયા હતા. મૂળ ઉમરગામના અચ્છારીના વતની અને હાલમાં વલસાડ ખાતે રહીને દવાનો હોલ સેલ વેપાર કરતા યુવક અને તેમની ગર્ભવતી પત્નીનું મોત થતા જ ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે […]

સુરતમાં પ્રસૂતિ બાદ મહિલા ડૉક્ટર પર લાગ્યા ગંભીર આરોપ, બીજા દિવસે પણ બોડી સ્વીકારવાનો ઇનકાર, મહિલાઓ પણ ધરણાં પર બેઠી

સુરતમાં બુધવારે પ્રસૂતિ બાદ મહિલાનું મોત થયું હતું. જેમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મહિલા તબીબની બેદરકારીને કારણે આ મોત નીપજ્યું છે. જો મહીલા તબીબ સામે ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેના કારણે મહિલાનાં મોતનાં બીજા દિવસે પણ પરિવારે મૃતદેહ નહીં સ્વીકારીને પીએમ રૂમ બહાર ધરણાં […]

દહીંમાં આ સામગ્રી મિક્સ કરીને બનાવો પેક, ડેન્ડ્રફ અને ડ્રાય હેરની સમસ્યા થશે દૂર

વાળની સારસંભાળ કરવા માટે દહીંનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. દહીમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણોના સિવાય ઘણા વિટામિન્સ મળે છે જે વાળની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ કરે છે. જિદ્દી ડેન્ડ્રફ હોય કે ખંજવાળ દહીંથી દૂર થઇ જાય છે. દહીંમાં એવા ગુણ હોય છે જે વાળ માટે મદદરૂપ થાય છે દહીંમાં ફેટી એસિડ મળી આવે […]

એસિડીટીની દવા Ranitidine થી થઇ શકે છે કેન્સર, ડ્રગ કંટ્રોલરે આપી ચેતવણી

ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ એસિડીટીની દવા Ranitidine (રેનિટિડિન)ને લઇને ચેતવણી જારી કરતા કહ્યું છે કે એનાથી કેન્સરનું જોખમ છે. દવા બનાવનારી કંપનીઓને તરત એનું ઉત્પાદન રોકવા માટે કહ્યું, ડૉક્ટરોને સલાહ આપી કે દર્દીઓને દવા ના આપે. ડૉક્ટરોને સલાહ દર્દીઓને ના લખશો આ દવા ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (drug controller general of india) એ […]

ટ્રાફિક નિયમ: હવે 6 મહિનામાં 3 વાર સ્ટોપલાઈન ભંગ કરાશે તો વિમાનું પ્રિમીયમ પણ વધારે ભરવું પડશે, ટ્રાફિક વિભાગ વિમા કંપનીને સ્ટોપ લાઈન ભંગ કરનારની વિગતો આપશે

કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરીને નવા દંડની જોગવાઈ કરવામાં આવી છે. નવા નિયમ મુજબ ઈ-મેમોમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ચાર રસ્તા પર સિગ્નલ ચાલુ થતાના એક સેકન્ડ પહેલા પણ જો રોડ ક્રોસ કરાશે તો રૂ.500નો દંડ ભરવો પડશે. જ્યારે બીજી વખત સ્ટોપ લાઈન ભંગ કરાશે તો રૂ.1000નો દંડ ભરવો પડશે. વારંવાર જંક્શન […]

પ્રજાના પૈસે તાગડધિન્ના! સુરતના મેયર સહિત આ પદાધિકારીઓ માટે ખરીદાયા લાખોની કિંમતના IPhone

પ્રજાના પૈસે નેતાઓ તાગડધિન્ના કરતાં હોય તેનું એક ઉત્તમ ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે. પ્રજાલક્ષી કામો માટે પૈસા ન હોવાનું બહાનું જણાવતાં સુરતના નેતાઓ દ્વારા પોતાના માટે લાખોની કિંમતના મોંઘાદાટ આઈફોન ફોન ખરીદવામાં આવ્યા છે. સુરત કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને શાસકપક્ષના નેતા માટે 256 જીબીનો આઈફોન એક્સએસ ફોન ખરીદવામાં આવ્યો છે. […]

જમીન પચાવી પાડવા મામલે દસ્ક્રોઈના મુઠીયા ગામના ખેડૂતે ન્યાય ન મળતા મુખ્યમંત્રી સમક્ષ ઈચ્છા મૃત્યુની માગ કરી

દસ્ક્રોઈ તાલુકાના મુઠીયાગામના રામાજી બેચરાજી ઠાકોર નામના ખેડૂતે અમુક શખ્સો દ્વારા જમીન પચાવી પાડવા મામલે ન્યાય ન મળતા મુખ્યમંત્રી સમક્ષ ઈચ્છા મૃત્યુની માગ કરી છે. આ અંગે ખેડૂતે ઈચ્છા મૃત્યુની માગ સાથે મુખ્યમંત્રીને અરજી કરી છે. આ અરજીમાં તેમણે ઉદય ઓટોલીક પ્રા.લિ., ઉદય દીનેશચંદ્ર ભટ્ટ, ગેલેક્સી લેઝર લિ., હેમાંગ ઉદયભાઈ ભટ્ટ પર જમીન પચાવી પાડવાનો […]

સુરતમાં ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતા લાશ સ્વીકારવા ઇનકાર કરી પરિવારજનો ધરણાં પર બેઠા

મહિધરપુરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત નીપજતા પરિવારજનોએ હોબાળો મચાવી દીધો હતો. પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો અને પોલીસને જાણ કરી દીધી હતી. ત્યારે આ મામલે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પરિવારજનોએ ડોક્ટર સામે ગુનો નોંધવાની માગ કરી ધરણા પર બેઠા છે. સિઝર બાદ બાળકીનો જન્મ થયો કાપોદ્રા ખાતે […]