Browsing category

સમાચાર

રીપોર્ટ: ગ્લોબલ વોર્નિંગની ભયાનક અસરઃ દરિયામાંથી બહાર આવેલું કચ્છ 2050 સુધીમાં ફરી પાણીમાં ગરકાવ થશે!

ગ્લોબલ વૉર્મિંગના કારણે દક્ષિણ અને ઉત્તરધ્રુવના ગ્લેશિયર પીગળી રહ્યાં છે. જેના પરિણામ સ્વરૂપ દુનિયાભરમાં દરિયા કિનારે આવેલા શહેરોમાં ભવિષ્યમાં પુરનો ખતરો છે. એક નવા સંશોધન પ્રમાણે 2050 સુધીમાં ભારતના મુંબઇ અને કોલકોત્તા જેવા શહેરોમાં સમુદ્રના પાણી ફરી વળે તેવી શક્યતા છે. ચોંકાવનારી વાત એ છે કે આ રીપોર્ટમાં કચ્છ માટે પણ લાલબત્તી છે. કારણકે કચ્છની […]

ગુજરાત માથેથી ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

ગુજરાતના (Gujarat) માથેથી ‘ ‘મહા’ વાવાઝોડાનું (cyclone Maha) સંકટ ટળ્યું છે. હવામાન વિભાગના (Weather Deparment)ના જણાવ્યા મુજબ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે નહીં ટકરાય પરંતુ આગામી 5-7 નવેમ્બર દરમિયાન વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ (Heavy Rain) વરસશે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પત્રકારોને જણાવ્યું કે, “ ‘મહા’ વાવાઝોડું ગુજરાત […]

સાઈક્લોન: અરબી સમુદ્રમાં એક સાથે બે વાવાઝોડાંની સિસ્ટમ સક્રિય થવાની પહેલી ઘટના

આ સપ્તાહે અરબી સમુદ્રમાં બે મોટા વાવાઝોડાં જોવા મળ્યા. હજી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતના દરિયાકાંઠે જેની ત્રાટકવાની દહેશત હતી તે ક્યાર ચક્રવાત સમુદ્રમાં જ નબળું પડી ગયું તેની કળ વળી નથી ત્યાં વળી મહા વાવાઝોડું સુપર સાઈક્લોન સ્વરૂપમાં 6-7 નવેમ્બરે વેરાવળના દરિયાકાંઠે ત્રાટકે તેવી હવામાન વિભાગે દહેશત વ્યક્ત કરી છે. ખુદ ભારતીય હવામાન વિભાગે (આઈએમડી) એ […]

‘રાતના અંધારામાં અમે વાછડાદાદાને પ્રાર્થના કરી ને અમને બચાવવા આવતાં વાહનોની લાઇટો દેખાઇ’

ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની ઐતિહાસીક જગ્યાએ ભાઇબીજે 350થી 400 જેટલા વાહનોમાં 1500થી વધુ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. પરંતુ બપોર બાદ વાવાઝોડા સાથે ખાબકેલા અંદાજે દોઢ ઇંચથી વધારે વરસાદમાં સેંકડો ગાડીઓ રણના કાદવમાં ફસાઇ હતી. ત્યારે ઝીંઝુવાડા ગામના 100થી વધુ સ્વયંસેવકો અને સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા આખી રાત રેસ્ક્યું ઓપરેશન કરી અંદાજે કુલ 1150 વ્યક્તિઓ અને કુલ 229 […]

વાંદરાને અજગરે દબોચી લીધું, બચાવવા હજારો વાંદરાઓએ કર્યા પ્રયાસ પણ…. વાઈરલ થઈ ગયો વિડિઓ

હંમેશા ઉછળ કુદ કરનાર વાંદરો અજગરની ઝપટમાં આવી જાય એ વાત જરા ગળે ન ઉતરે તેવી લાગે. પરંતુ થાઈલેન્ડના નેશનલ પાર્કમાં એક એવા જ નજારો જોવા મળ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં એક મોટા અજગરે વાંદરાઓના એક ઝુંડમાંથી એક વાંદરાને પોતાની ઝપેટમાં લઈ લીધો. ત્યાર બાદ ત્યાં હાજર ડજન જેટલા […]

નવા ટ્રાફિકનાં નવા નિયમો લાગુ થતા સુરતમાં પોલીસે ફટકાર્યો એટલો દંડ કે, છોકરી ચોધાર આંસુએ રડવા લાગી

ગુજરાતમાં દિવાળી પછી ફરી એકવાર નવા ટ્રાફિકનાં નવા નિયમો લાગુ થઈ જતાં પોલીસ અને પ્રજા વચ્ચે માથાકૂટનાં બનાવો વધવા લાગ્યા છે. સુરતમાં પોલીસે એક છોકરીને ટ્રાફિક દંડ બાબતે અટકાવી હતી. જે બાદ છોકરી અને ટ્રાફિક પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ગરમાઈ જતાં મહિલા પોલીસને બોલાવી પડી હતી. પોલીસે છોકરીને 4700 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. […]

પાક નુકસાનના વળતરના નામે ખેડૂતો સાથે મશ્કરી: વીમા કંપનીઓના હૅલ્પલાઈન નંબર બંધ આવી રહ્યો છે

ખેડૂતો પાક વીમા માટે વરસાદથી થયેલા નુકસાનની અરજી કરી શકે તે માટે ખેડૂત હેલ્પલાઇન નંબરની સુવિધા ઉપલબ્ધ કરાઇ હતી. પરંતુ હાલ આ ટોલ ફ્રી નંબર બંધ આવી રહ્યો છે. મહત્વનું છે કે કૃષિ સચિવે 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે. 1800 200 5142 યુનિવર્સલ સોમ્પો કંપનીનો ટોલ ફ્રી નંબર છે. ખેડૂતો ફરિયાદ માટે ફોન કરે […]

ગુજરાતના માથે ‘મહા’ વાવાઝોડાની આફત, આ તારીખે ગુજરાતના દરિયાકિનારે ત્રાટકશે

ગુજરાત પર ‘વાયુ’ બાદ ‘મહા’વાવાઝોડાની આફત આગામી 5 અને 7 નવેમ્બરના રોજ આવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, મહા વાવાઝોડું આગામી દિવસોમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. મહા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. […]

થિયેટરમાં રાષ્ટ્રગીત વાગવા પર ઉભુ ન થવું પરિવારને પડ્યું ભારે, સિનેમા હોલમાં હાજર લોકોએ ભગાડી મૂકાયા

સિનેમા હોલમાં જ્યારે રાષ્ટ્રગીત શરૂ થયું તો એક પરિવાર રાષ્ટ્રગીતના સમ્માનમાં ઉભુ ન થયું. તે બાદમાં હોલમાં રહેલા લોકોએ આ પરિવારની સાથે ખરાબ વ્યવહાર કર્યો આ આખી ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે રાષ્ટ્રગીત દરમિયાન પોતાની સીટ પરથી ઉભા ન થવા પર હોલમાં રહેલા લોકો […]

નારેશ્વર ખાતે નર્મદા નદીમાં નહાવા પડેલા કોસંબાના 5 યુવાનો ડૂબ્યા, 2નાં મોત, 3નો બચાવ

સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 5 યુવાનો નારેશ્વર ખાતે નર્મદા નદીમાં ડૂબ્યા હતાં. જેમાંથી 2 યુવાનના મૃતદેહ મળ્યા હતા. જ્યારે 3 યુવાનનો બચાવ થયો હતો. 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 8 યુવાનો કરજણ નજીક આવેલા નારેશ્વર ખાતે બપોરે 12 વાગ્યાની આસપાસ નર્મદા નદીમાં નહાવા માટે પડ્યા […]