Browsing category

સમાચાર

લોકડાઉનમાં મોટાભાઇની ચિતા ઠરે એ પહેલા ફરીથી ડ્યૂટી પર હાજર થયા દાહોદના PSI, કહ્યું: અત્યારે પરિવાર કરતા દેશને મારી વધારે જરૂર છે

કોરોના વાઈરસને પગલે હાલ રાજ્યભરમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, ત્યારે દાહોદના ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પી.કે. જાદવ મોટાભાઇના મૃત્યુ બાદ અંતિમવિધી પતાવીને ફરજ પર હાજર થઇ ગયા હતા. મુખ્યમંત્રી ફોન કરીને આવી વિકટ પરિસ્થિતિમાં ફરજ ઉપર હાજર થવા બદલ PSI પી.કે. જાદવને  અભિનંદન આપ્યા હતા અને મોટાભાઇના મૃત્યુ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. PSI […]

મોઢા પર માસ્ક અને હાથમાં મોજા પહેરી ગરીબોને ભોજન પીરસતા આ યુવાનોને જોશો તો જરૂરથી કહેશો કે, દેશનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે.

“સાહેબ સવારનું કશું ખાધું નથી. છોકરા ભૂખ્યા છે. તમે દેવદૂત બનીને આવ્યા છો.” સી.જી.રોડની ફૂટપાથ પર બેઠેલા દરિદ્રનારાયણ પરિવારનો મોભી જ્યારે આટલું બોલ્યો ત્યારે ભોજન પીરસી રહેલો અનુજ ગળગળો થઈ ગયો. અનુજે તરત જ ખીસ્સામાંથી ફોન કાઢી રૂમ-પાર્ટનરને ફોન જોડ્યો, “પાંચ-દસ થાળી વધુ બનાવજે, આગળ જરૂર પડશે…” માનવતા હજી મરી નથી અને મરશે પણ નહીં. […]

કોરોના વાયરસના ચેપથી બચવા દિલ્હી IITના બે સંશોધકોએ એવું કપડું તૈયાર કર્યું જેનાથી ડોક્ટર, નર્સ અને પેશન્ટના કપડા બનશે સંક્રમણ પ્રુફ

દેશમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ રહી છે તેવામાં દિલ્હી IIT દ્વારા કરવામાં આવેલ આ પ્રયોગથી દેશની હોસ્પિટલ્સને સંક્રમણમુક્ત બનાવી શકાય છે. હોસ્પિટલમાં દરેક પ્રકારના દર્દીઓની સારવાર થતી હોય છે. તેવામાં ઘણીવાર આવી હોસ્પિટલમાંથી જ કોઈને ચેપી રોગના વાયરસ કે બેક્ટેરિયા લાગી જતા હોય છે. ખાસ કરીને ડોક્ટર, નર્સ અને દર્દીના યુનિફોર્મ, બેડશીટ, પડદા દ્વારા ફેલાતા […]

કોરોના વાયરસ સામે લડવા સુરતમાં 72 કલાકની અંદર 250 બેડની હોસ્પિટલ તૈયાર કરી દેવાઈ

ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના દર્દીઓને જોતા સુરતમાં શનિવારે હંગામી ધોરણે નવી હોસ્પિટલ બનાવવાનું કામ શરુ કરાયું હતું. ત્યારે 72 કલાકની અંદર 250 બેડવાળી આ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી હતી. આ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓની હવે સારવાર કરવામાં આવશે. આ હોસ્પિટલ એક તૈયાર બિલ્ડીંગમાં જ શરૂ કરવામાં આવી હતી. આ પહેલા 21મી માર્ચે રાજ્યના […]

અમેરિકન કંપનીનો આરોપ ચીને જાણી જોઇને ફેલાવ્યો કોરોના વાયરસ, ચીની સરકાર પર ઠોક્યો 20 ટ્રિલિયન ડૉલરનો દાવો

દુનિયાભરમાં કોરોના વાયરસનાં પ્રકોપને જોતા અમેરિકાની એક કંપનીએ ચીની સરકાર પર 20 ટ્રિલિયન ડૉલરનો દાવો માંડ્યો છે. આ કંપનીનો આરોપ છે કે ચીને આ વાયરસનો ફેલાવો એક જૈવિક હથિયાર તરીકે કર્યો છે. અમેરિકાનાં ટેક્સાસની કંપની બઝ ફોટોઝ, વકીલ લૈરી ક્લેમૈન અને સંસ્થા ફ્રીડમ વોચે મળીને ચીન સરકાર, ચીની સેના, વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલોજી, વુહાન ઇન્સ્ટીટ્યૂટનાં […]

કોરોના વાયરસનો 1 દર્દી 59,000 લોકોમાં ફેલાવી શકે છે સંક્રમણ! લોકોને સોશિયલ ડિસ્ટનસીંગ પર અમલ કરવાની અપીલ

એક અનુભવી ડોકટરનું કહેવું છે કે એક કોરોના વાયરસ પીડિત 59,000 લોકોમાં સંક્રમણ ફેલાવી શકે છે. યૂનિવર્સિટી કોલેજ લંડનના ઇન્ટેન્સિવ કેર મેડિસિનના પ્રોફેસર ડૉ. હ્યુ મોન્ટગોમરરીનું કહેવું છે કે કોરોના વાયરસ બહુ માત્રામાં સંક્રમણ ફેલાવતો વાયરસ છે. ડેઇલી મેઇલના રિપોર્ટ અનુસાર એક ચેનલ સાથેની વાતચીતમાં ડૉ. હ્યુએ વિગતવાર સમજાવ્યું છે કે કઇ રીતે એક સંક્રમિત […]

લૉકડાઉનને કારણે રોજનું કમાઈ રોજ ખાનારા લોકોની મદદ માટે ‘દાદા’ એ લંબાવ્યા હાથ, રૂ. 50 લાખના ચોખા દાન આપશે

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુધી કોવિડ-19 મહામારીને રોકવા માટે 21 દિવસના લૉકડાઉનથી પ્રભાવિત થનારા લોકોને મદદ કરવા માટે આગળ આવ્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન વંચિતો માટે 50 લાખ રૂપિયાના ચોખા દાન કરશે. બંગાળ ક્રિકેટ સંઘ (CAB)ના નિવેદનમાં ઘોષણા થઈ છે કે, ગાંગુલી લાલ બાબા ચાવલની સાથે મળીને તે જરૂરિયાતમંદ લોકોને ચોખા પૂરા પાડશે […]

ઈટાલી પછી સ્પેનમાં પણ કોરોના વાયરસનો કહેરઃ એક દિવસમાં 700થી વધુ લોકોનાં થયા મોત

ચીનના વુહાનમાંથી ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસે હવે યૂરોપને પોતાનો ગઢ બનાવી લીધો છે. ઈટાલીમાં હાહાકાર મચાવ્યા બાદ હવે તેના નિશાને સ્પેન છે. જ્યાં બુધવારે 700 કરતાં વધારે લોકોના મોત થયા હતા. બ્રિટેનના પ્રિન્સ ચાર્લ્સનો પણ કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સ્પેનમાં એક દિવસમાં 738 લોકોના મોત થતાં, ત્યાં કુલ મૃત્યુઆંક 3,434એ પહોંચ્યો છે. આ […]

દક્ષિણ કોરિયાએ લોકડાઉન વિના જ કોરોનાને રોક્યો, થર્મલ ઇમેજિંગ કેમેરા લગાવ્યા, જમણા હાથના બદલે ડાબા હાથનો ઉપયોગ શીખવાડ્યો

તાઇવાન બાદ દક્ષિણ કોરિયાએ જે રીતે કોરોનાવાયરસ સામે લડાઇ લડી, તેને આજે વિશ્વમાં એક મોડલ માનવામાં આવી રહ્યું છે. આજે દક્ષિણ કોરિયા કોરોના સંક્રમિત દેશોની યાદીમાં 8માં સ્થાને છે. અત્યાર સુધી અહીં સંક્રમણના 9037 કેસ નોંધાયા છે જ્યારે 3500થી વધુ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. માત્ર 129 લોકોના મોત થયા જ્યારે માત્ર 59 ગંભીર છે. […]

અમેરિકામાં ભારતીય મૂળના સેલિબ્રિટી શેફ કાર્ડોઝનું કોરોનાથી મોત, આ જ મહિને મુંબઈમાં 200થી વધુ લોકોને પાર્ટી આપી હતી!

દુનિયાની ઘણી બધી હસ્તીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂકી છે. આ ખતરનાનક વાયરસના ઈન્ફેક્શનથી ભારતીય મૂળના સેલિબ્રિટી શેફ ફ્લૉએડ કાર્ડોઝે જીવ ગુમાવ્યો છે. તે 59 વર્ષના હતા. ન્યૂ યોર્કમાં રહેનારા કાર્ડોઝ 19 માર્ચના રોજ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ચિંતાની વાત એ છે કે, ફ્લોએડ આ મહિને જ મુંબઈ આવ્યા હતા અને અહીં તેમણે એક પાર્ટી […]