Browsing category

સમાચાર

ભારતીય કંપની ઝાયડસ કેડિલા બનાવી રહી છે કોરોના વાયરસની વેક્સિન, પ્રાણીઓ પર પરીક્ષણ શરુ કર્યું

કોરોના જયારે વિશ્વભરમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ તેની વેક્સિન બનાવવા માટે મેદાનમાં છે ત્યારે ભારતની અગ્રણી દવા કંપની ઝાયડસ કેડિલાએ આ દિશામાં કામ શરુ કર્યું છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શર્વિલ પટેલે આ વાતની પુષ્ટી કરી હતી અને જણાવ્યું હતું કે, અમે કોવિડ-19ની વેક્સિન પર કામ કરી રહ્યા છીએ અને […]

પુણેમાં બે બહેનોના પરિવારના 7 લોકોએ ધીરજ અને હિંમતથી કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા પછી જણાવી હકીકત

કોરોના જેવી મહામારીની રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોઈપણ ડરી જશે પરંતુ પૂણેની 2 બહેનોના પરિવારે આ ભયંકર બીમારીને માત કરી. બંને બહેનના પરિવારના 7 સભ્યે કોરોનાનો ચેપ લાગ્યો હતો, પરંતુ હવે તમામના રિપોર્ટ નેગેટિવ આવી ચૂકી છે અને તમામ સ્વસ્થ છે. 41 વર્ષીય સારિકા આંગણવાડીમાં કામ કરે છે. 5-6 દિવસ ફેમિલી ડોક્ટરની સારવાર બાદ તેને […]

ખેડા જિલ્લામાં કલેકટરનું નવુ જાહેરનામુ, સવારના 9-30 વાગ્યા બાદ કોઈ ઘરની બહાર નીકળી શકશે નહીં. તમામ પાસ રદ, આજથી અમલ

ખેડા જિલ્લામાં કોરોના હાલ કાબૂ હેઠળ છે, આમ છતાં તકેદારીના ભાગરૂપે કલેક્ટર દ્વારા લોકડાઉને વધુ કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં 8મીથી 14મી સુધી સવારના 10 વાગ્યા બાદ કોઈ ઘરની બહાર નીકળી શકશે નહીં. ઇમરજન્સી સમયે પણ એસડીએમ કક્ષાના અધિકારીઓની મંજુરી ફરજીયાત બનાવવામાં આવી છે. આ ઉપરાંત કરિયાણાના દુકાનો […]

ગુજરાતમાં કોરોના વાઈરસથી સૌથી નાના દર્દી એવા 14 મહિનાના બાળકનું મોત થયું

ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 175 કરતા વધી ગઈ છે અને મોતનો આંકડો 16એ પહોંચી ગયો છે. મૃતકોમાં જામનગરના એક 14 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ બાળક ગત રવિવારે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. જણાવાયા મુજબ, બાળકનું મૃત્યુ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું છે. બાળકના મોતથી તેનો પરિવાર ભાંગી પડ્યો છે. રાજ્યમાં કોરોના […]

ભારત ફરવા આવેલા બ્રિટિશ નાગરિકે કોરોનાને હરાવ્યો, કહ્યું- ઈંગ્લેન્ડમાં પણ આવી સારવાર ન થઈ હોત

દુનિયાભરમાં તબાહી મચાવનારો કોરોના વાયરસ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં લગભગ બધા રાજ્યોમાં કોવિડ-19ના કેસો સામે આવી ચૂક્યા છે. કેરળની વાત તરીએ તો રવિવાર સુધીમાં અહીં 306 કોરોના દર્દી સામે આવ્યા હતા. જ્યારે 49 એવા દર્દી છે જેમને સાજા કર્યા બાદ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. જે લોકોએ કોરોના વાયરસને હરાવ્યો છે તેમાંથી એક […]

હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે દુનિયાભરમાં ડંકો વગાડનાર ગુજરાતી ડોક્ટર કોરોનાના દર્દીઓની સારવાર કરતા ખુદ કોરોનાની ઝપેટમાં આવી જતાં થયું મોત

દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારીએ અનેક નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે. આજે વિશ્વના અનેક દેશો એવા છે જ્યાં આરોગ્યની સેવાઓને કોઈ પહોંચે એમ નથી તેમ છતાં કોરોના સામે અમેરિકા,ચીન, ફ્રાન્સ, સ્પેન અને ઈટલી જેવા દેશોએ ઘૂંટણીએ પડી ગયા છે. ભારત કરતા અન્ય દેશોમાં કોરોના વાયરસનો વ્યાપ વધારે હોવાથી ત્યાં સેંકડો લોકો મૃત્યું પામી રહ્યા […]

લોકડાઉનમાં વડોદરાના 90 વર્ષની વૃદ્ધા મુશ્કેલીમાં મૂકાતા પોલીસે ઘરે પહોંચીને દવા અને કરિયાણાની મદદ કરી

કોરોના વાઈરસને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાં પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથોસાથ માનવ સેવા પણ બખૂબી કરી રહી છે. વડોદરા પોલીસ દ્વારા વડોદરાના જૂના પાદરા રોડ પર આવેલી શક્તિપાર્ક સોસાયટીમાં એકલવાયી જિંદગી જીવતી 90 વર્ષના વૃદ્ધાને દવા અને જીવનજરૂરી ચિજવસ્તુઓની કીટ અને રોકડ સહાયની મદદ પહોંચાડી હતી. 90 વર્ષની વૃદ્ધ મહિલા લોકડાઉનમાં મુશ્કેલીમાં […]

લોકોને કંટાળો ના આવે તે માટે પોલીસે સોસાયટીમાં ગરબાનું આયોજન કર્યું, પણ મહિલા PIને વર્દી પહેરી ગરબે ઘૂમવાનું ભારે પડ્યું, કરાયા સસ્પેન્ડ

લોકડાઉન વચ્ચે સતત ઘરમાં રહેતા લોકોને થોડું મનોરંજન મળે તે માટે યોજાયેલા ગરબામાં પોતે જ ગરબે ઘૂમવું બોપલના મહિલા પીઆઈને ભારે પડી ગયું છે. બોપલની સફલ પરિસર સોસાયટીમાં આયોજીત કરાયેલા ગરબામાં પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ વર્દીમાં જ ગરબા રમતા નજરે પડ્યા હતા. જોકે, પીઆઈને વર્દીમાં ગરબે ઘૂમતા જોઈ તેમજ આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ના જળવાતા તેની […]

‘સિવિલ હૉસ્પિટલમાં ફરજ બજાવો છો તો કોરોના તો નથી થયો ને?’ સુરતમાં મહિલા તબીબ સાથે ગેરવર્તન કરનાર પાડોશીની કરાઈ ધરપકડ

હાલ રાજ્ય અને દેશમાં કોરોના (Coronavirus)નું સંકટ વધ્યું છે. આ સમયે તબીબો (Doctors) પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દી (Corona Patients)ઓની સારવાર કરી રહ્યા છે. આ સમયે સુરત સિવિલ હૉસ્પિટલ (Surat Civil Hospital)માં ફરજ બજાવતા એક મહિલા તબીબ (Woman Doctor) સાથે તેના પાડોશીએ મારામારી કરીને દુર્વ્યવહાર (Misbehavior) કર્યાનો કેસ સામે આવ્યો છે. આ અંગે વીડિયો સોશિયલ […]

કોરોના મહામારીના સંકટના સમયમાં અમદાવાદનો ઈસ્કોન મોલ બન્યો ગરીબોનું આશ્રય સ્થાન

કોરોના મહામારીના સંકટના આ સમયમાં અમદાવાદનો ઈસ્કોન મોલ ગરીબ અને શ્રમિક વર્ગ માટે એક આશીર્વાદરૂપ બની ગયો છે. ઈસ્કોન મોલ દ્વારા લોકડાઉનમાં હિજરત કરી રહેલાં 150 લોકો માટે પોતાના દરવાજા ખોલી દીધા હતા. અને તેમના માટે ખાવા-પીવા સહિતની વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી હતી. કોઈ વખતે ખરીદી કરનારા વર્ગથી ઉભરાતો આ મોલ આજે જરૂરિયાતમંદ લોકોની […]