Browsing category

સમાચાર

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયાઃ જયંતિ રવિ

રાજ્યમાં ધીરે-ધીરે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં ગઇકાલથી અત્યાર સુધીમાં 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જોક ગઈકાલ સાંજ બાદ એકપણ મૃત્યુ નોંધાયું નથી. જ્યારે રાજકોટને એક દર્દીને આજે ડિસ્ચાર્જ કરવામાં […]

કુપવાડામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં પેરા યુનિટના 5 જવાન શહીદ, 5 ઘુષણખોર ઠાર

આ વર્ષના સૌથી મુશ્કેલ ઓપરેશનમાં સેનાની 4 પેરા યુનિટના જવાનો શહીદ થયા છે. જોકે રવિવારે ખતમ થયેલા આ એન્કાઉન્ટર દરમિયાન સેનાની સૌથી મુશ્કેલ ટ્રેનિંગ લેનારી પેરા યુનિટના 5 જવાન શહીદ થઇ ગયા. આર્મીની આ એ જ યુનિટ છે જેણે 2016માં ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કર્યું હતું. 1 એપ્રિલથી ઓપરેશન ચાલુ હતું સેનાએ ડ્રોન […]

લોકડાઉના કારણે દીકરાઓ ન પહોંચી શકતા પુત્રવધૂએ સાસુના અંતિમ સંસ્કાર કર્યા

મહામારી (Pandemic) કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને ફેલાતો રોકવા માટે દેશભરમાં લૉકડાઉન (Coronavirus) લાગુ છે. એવામાં ઉત્તર પ્રદેશના દેવરિયાની એક ઘટનાએ લોકોની આંખો ભીની કરી દીધી છે. સુમિત્રા દેવીનું શુક્રવાર અચાનક મૃત્યુ થઈ ગયું. તેમના ત્રણ દીકરા હોવા છતાંય અંતિમ સમયમાં કોઈ તેમની પાસે નહોતું કારણ કે આ ત્રણેય દીકરા અલગ-અલગ સ્થળે નોકરી કરે છે અને […]

કોરોના વાયરસના સાજા થયેલા દર્દીઓ પર થયું રિસર્ચ, શરીરમાં કેટલા દિવસ રહે છે કોરોના વાયરસ? સાજા થયેલા દર્દીઓથી આટલા દિવસ દૂર રહેવું

કોરોના વાયરસનું સંક્રમણ ભારતમાં પણ ધીમે-ધીમે ગતિ પકડી રહ્યું છે. અત્યાર સુધી આ જીવલેણ વાયરસ 57 લોકોને ભરખી ગયો છે. દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 2000ની નજીક પહોંચી ગઈ છે. 171 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો છે. જો કે, આ વાયરસથી સાજા થયેલા લોકો પર સ્ટડી હાથ ધરવામાં આવ્યો જેમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. સંક્રમિત […]

કોરોના સામેની લડાઈમાં બાલાજી વેફર્સે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું, મુખ્યમંત્રી રાહત ફંડમાં 75 લાખ અને PM કેરમાં 25 લાખ આપ્યા

સમગ્ર વિશ્વ સામે હાલ કોરોનાનું સંકટ છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિતની સંખ્યા 144 પર પહોંચી છે. કોરોના વાયરસ સામેની લડાઈમાં સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિઓ, સ્પોર્ટસ પર્સન, બોલીવૂડ સેલેબ્સ મદદ માટે આગળ આવી રહ્યા છે. રાજકોટમાં આવેલ બાલાજી વેફર્સ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી છે. રાજકોટ […]

સરકાર જે કામ કરોડો રૂપિયા ખર્ચીને ન કરી શકે તે લોકડાઉનથી 12 દિવસમાં થઈ ગયું, કોઈ પણ પ્રકારના ખર્ચ વગર યમુના 60%થી વધુ સાફ થઈ ગઈ

લગભગ 2 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવા અને મોટી-મોટી યોજનાઓ બનાવવામાં આવ્યા બાદ પણ કેન્દ્ર અને દિલ્હી સરકાર 25 વર્ષમાં યમુનાને સાફ કરી શકી નથી. જોકે કોરોનાવાઈરસના સંક્રમણના પગલે લોકડાઉનના કારણે દિલ્હીમાં યમુના લગભગ 60 ટકા સાફ થઈ ગઈ છે. 12 દિવસમાં પલ્લાથી વજીરાબાદ બેરેજ સુધી અને સિગ્નેચર બ્રિજથી ઓખલા બેરજ સુધીનું પાણી શીશા જેવું […]

દેશ સેવા કર્યા બાદ પરિવારમાં ચેપ ન ફેલાય એટલે ઘરે જઈને આ રીતે જમે છે પોલીસ

ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોનાના સંક્રમણના અત્યાર સુધીમાં 3350થી વધારે મામલા સામે આવી ચૂક્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા 100 થઈ ગઈ છે. કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્યોમાં સ્વાસ્થ્ય વિભાગની સાથે પોલીસ વિભાગ પર દિવસ રાત કામ કરી રહ્યો છે. ઘણા પોલીસકર્મીઓ પોતાના ઘરે પણ નથી જઈ શકતા. આ વચ્ચે […]

કોરોનાના યોદ્ધાઓના સન્માનની જગ્યાએ સુરતની આ સોસાયટીએ મેઈન ગેટનું તાળું ન ખોલ્યું

સુરતની ખાનગી હોસ્પિટલ માં કામ કરતી મહિલા નર્સને તેના રહેઠાણ વિસ્તારમાં આવેલી સોસાયટીના લોકો મુખ્ય માર્ગને બંધ કરીને પાછળના ભાગેથી પ્રેવેશ આપવા માટે હેરાન કરતા હોવાનો મામલો પોલીસ મથકે પોંહોચ્યો છે. નર્સ પોતાની ચાર માસની દીકરી સાથે કોરોના વાઇરસ રોગ સામે લડતા લોકોની સેવા કરી પોતાની જવાબદારી નિભાવી રહી છે ત્યારે આવા લોકોને સમાજે સન્માન […]

ભારતમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર તબલીગી જમાતના 8 મલેશિયન નાગરિકો ભાગવાની તૈયારીમાં હતાં ત્યારે રંગેહાથ ઝડપાયા

દિલ્હીમાં યોજાયેલા તબલીગી જમાતના જલસા બાદ દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન જ લોકડાઉન વચ્ચે પણ કેટલાક લોકો મલેશિયા ભાગવાની તૈયારીમાં હતાં જેમને દિલ્હીના ઈંન્દિરા ગાંધી એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ લોકો મલેશિયાના નાગરિક છે અને તેમના પર દિલ્હીના નિઝામુદ્દીનના મરકઝમાં યોજાયેલા તબલીગી જમાતના કાર્યક્રમમાં શામેલ હોવાની આશંકા […]

ગુજરાતમાં એક જ દિવસમાં 16 નવા કેસ સાથે કુલ પોઝિટિવ 144 થયા, તબલીઘથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધ્યા

રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. અત્યારસુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. તબલીઘમાંથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. ક્લસ્ટરકિંગ કર્યું હોવાથી કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 144 […]