Browsing category

સમાચાર

આણંદમાં સર્વેની કામગીરી માટે ગયેલ બે મહિલા કર્મચારીઓ પર ટોળાંએ કર્યો હુમલો, પોલીસે ટોળા વિરૂદ્ધ ગુનો નોંધ્યો

આણંદ શહેરમાં કોરોનાં પોઝીટીવ કેસ નોંધાયા બાદ દર્દીનાં મકાનથી ત્રણ કિલોમીટરની ત્રિજયામાં મેડીકલ સર્વે કરવા માટે આણંદનાં આરોગ્ય વિભાગની ટીમ આણંદ શહેરનાં ભાલેજ રોડ પર આવેલી અલેફ પાર્ક સોસાયટીમાં જતા સોસાયટીનાં રહીસો દ્વારા મેડીકલ સર્વે માટે ગયેલી ટીમનાં સભ્યોને ધેરી લઈ ગાળો બોલી તેઓને સોસાયટીની બહાર નિકળી જાવ તેમ કહી સરકારી ફરજ બજાવવામાં અડચણ ઉભી […]

લૉકડાઉનને લઈને સૌથી મોટા સમાચાર :સર્વદળીય બેઠકમાં PM મોદીએ કહ્યુ- ‘લૉકડાઉનનો સમય વધી શકે છે’

દેશમાં કોરોનાના સંક્રમણ (Corona Infection)ને અટકાવવા માટે 21 દિવસના લૉકડાઉન (21 Days Lockdown)ની જાહેરાત કરવામાં આવી છે. આ લૉકડાઉન આગામી 14મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. આ સંદર્ભે ચર્ચા માટે પીએમ મોદી (PM Modi)એ દિલ્હી ખાતે ઓલ પાર્ટી મીટ (All Party Meet)નું આયોજન કર્યું હતું. આ બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “આ મામલે […]

કોરોનાના લોકડાઉન વચ્ચે પરિણીતાને પ્રસૂતિની પીડા ઉપડતા 108ની ટીમ બની દેવદૂત, કરાવી નોર્મલ ડિલિવરી

જન્મ અને મરણના ચોધડિયા હોતા નથી કે નથી હોતો તેનો કોઈ સમય નિશ્ચિત. પરંતુ લોકડાઉન જેવી સ્થિતિમાં પ્રસૂતિની પીડા વચ્ચે લોકોને મુશ્કેલીમાં મુકાવું પડ્તું હોય છે.આવો જ બનાવ હજીરામાં ભટલાઈ ગામમાં સર્જાયો હતો. 24 વર્ષીય પરિણીતાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. પરિણીતાની પ્રસૂતિની પીડાથી પરિવાર મુશ્કેલીમાં મુકાયું હતું કારણ કે લોકડાઉન વચ્ચે મહિલાને હોસ્પિટલ કઈ રીતે […]

કોરોનાનો વિસ્ફોટ: ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધુ 55 કેસ નોંધાયા, એકલા અમદાવાદમાં જ 50 કેસ નોંધાયા, કુલ આંકડો 241

રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં રાજ્યમાં 55 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ થયા છે અને કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે. જેમાંથી અમદાવાદમાં 50, સુરતમાં બે અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ […]

ગુજરાતમાં લોકડાઉન 30 એપ્રિલ અથવા 5મે સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા, વર્તમાન પરિસ્થિતિના આધારે સરકાર નિર્ણય લઈ શકે છે

ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો રહ્યો હોય તેમ રાજ્યમાં નવા પોઝિટીવ કેસોની સંખ્યા વધવા લાગી છે, ત્યારે આગામી 14 એપ્રિલ પછી લોકડાઉન વધુ લંબાવવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. રાજ્ય સરકાર જે રીતે કાર્યવાહી કરી રહી છે તેના આધારે લોકડાઉન 30 એપ્રિલ કે 5 મે સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાંથી કોરોના સંપૂર્ણપણે કાબુમાં […]

માસ્ક પર 7 દિવસ સુધી જીવતો રહી શકે છે કોરોના વાયરસઃ યુનિવર્સિટીના અભ્યાસમાં સામે આવ્યા પરિણામ

કોવિડ-19થી બચવા માટે આપણે જે માસ્ક પહેરીએ છીએ, તેમાં કોરોના વાયરસ એક અઠવાડિયા સુધી જીવતો રહી શકે છે. જ્યારે બેંકની ચલણી નોટો અને કાચ પર મહામારી ફેલાવનારો આ વાયરસ 4 દિવસ સુધી જીવતો રહી શકે છે. સ્ટેઈનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની સપાટી પર આ 4થી 7 દિવસ સુધી જીવતો રહે છે. હોંગકોંગ યુનિવર્સિટીના અભ્યાસમાં આ પરિણામ […]

પરિવારને કોરોના સંક્રમણથી બચાવવા આ ડૉક્ટર 7 દિવસથી ગાડીમાં ‘ઘર’ બનાવીને રહે છે, મુખ્યમંત્રીએ પણ કરી પ્રશંસા

કોરોના વાયરસ સંક્રમિતનો ઈલાજ કરી રહેલા ડોક્ટર અને નર્સ પોતાના પરિવારથી અંતર જાળવી રાખે છે. તેઓને એ વાતનો ડર છે કે ક્યાંક આ કોરોના વાયરસ સંક્રમણ ઘરમાં પ્રવેશે નહીં. આ કારણે હેલ્થકર્મીઓ હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે પણ જઈ શકતા નથી. મધ્યપ્રદેશના ભોપાલની જેપી હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરે તો પોતાની ગાડીમાં જ ઘર બનાવી લીધું છે. ભોપાલની […]

કોરોના પર કાબુ મેળવવાના મામલામાં ભીલવાડા દેશ માટે બન્યું રોલ મોડલ, દેશનું પ્રથમ શહેર જેણે 11 દિવસમાં મહાકર્ફ્યુ લગાવ્યો, 25 લાખ લોકોનું સ્ક્રીનિંગ કર્યું

કોરોના પર કાબુ મેળવવાના મામલામાં ભીલવાડા દેશમાં રોલ મોડલ બની ગયું છે. અહીંના પ્રશાસનને 20 માર્ચે પહેલો પોઝિટિવ કેસ મળ્યા બાદ જે પ્લાન બનાવ્યો, તેની કેન્દ્રએ પ્રશંસા કરી છે. રવિવારે થયેલા વીડિયો કોન્ફોરન્સિંગમાં કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાએ કહ્યું કે હવે કોરોના દેશના 223 જિલ્લામાં ફેલાઈ ચુક્યો છે. આ કારણે તમામે ભીલવાડામાંથી શીખવું જોઈએ […]

પતિ-પત્ની બંને પોલીસમાં, લોકડાઉનમાં રાષ્ટ્ર રક્ષક મહિલા કોન્સ્ટેબલ 2 વર્ષની બાળકીને સાથે રાખી માતૃત્વ સાથે ફરજ નીભાવે છે

કચ્છ જિલ્લામાં કોરોના પોઝિટિવના 2 કેસ નોઁધાયા છે અને 42 લોકોના સેમ્પલ લેવાયા હતા. હાલ જિલ્લામાં 3903 હોલ ક્વોરન્ટીન છે. ત્યારે ભુજમાં એક મહિલા કોન્સ્ટેબલ પોતાની બે વર્ષની દીકરીને લઈને લોકડાઉનમાં ડ્યૂટી કરી રહી છે. કોરોના વાઈરસ સામે રાષ્ટ્ર રક્ષકો રાત દિવસ ફરજ અદા કરી રહ્યા છે. ત્યારે માતૃત્વ ધર્મ નિભાવીને મહિલા રાષ્ટ્ર રક્ષકની બેવડી […]

કોરોના વાયરસને લઈને 15 મે સુધી બધી સ્કૂલો, કોલેજો અને મોલ બંધ રાખવામાં આવે તેવી શક્યતા

લોકડાઉન આગળ વધારવામાં આવે કે નહીં? મોટાભાગના લોકોના મનમાં આ જ સવાલ છે. કેન્દ્ર સરકાર હજુ ખુલીને જવાબ નથી આપી રહી. રાજ્યોના મુખ્યમંત્રી લોકડાઉનને આગળ વધારવા ઈચ્છે છે, નિર્ણય કેન્દ્ર પર છોડ્યો છે. બધા કહી રહ્યા છે કે જે થશે, તે તબક્કાવાર રીતે જ થશે. આ દરમિયાન કોરોના વાયરસને લઈને બનેલા કેન્દ્રીય મંત્રીઓના ગ્રુપે મહત્વની […]