Browsing category

સમાચાર

અમેરિકામાં લુટારુઓ દ્વારા વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા કરાઈ

અમેરિકામાં લુટારુઓ દ્વારા ગુજરાતીને નિશાન બનાવવાની વધુ એક ઘટના સામે આવી છે. વિસનગર તાલુકાના સેવાલિયા ગામના અને અમેરિકાના ફ્લોરિડામાં રહેતા 42 વર્ષીય યુવક સ્ટોર ઉપર બેઠો હતો, ત્યારે લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ ગોળી મારતાં ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. આ ઘટનાની વતનમાં જાણ થતાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. સેવાલિયા ગામના પટેલ દિલીપભાઇ ભાયચંદભાઇ […]

ધોરણ 9થી 12ના વિદ્યાર્થીના વાર્ષીક અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 21 મે 2021એ લેવાશે

કોરોના મહામારીમાં શાળા-કોલેજો લગભગ 6 મહિનાથી બંધ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીના વાર્ષીક અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરી દેવામા આવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘટાડેલો અભ્યાસક્રમના પ્રશ્નો પરીક્ષામાં પૂંછાશે નહિ. અભ્યાસક્રમમાં કરેલા ઘટાડાની વિસ્તૃત માહિતી […]

સુરતમાં ડ્રાઇવરને ચાલુ બસે છાતીમાં દુખતા બસ સાઇડમાં રોકી મુસાફરોને ઉતાર્યા અને અંતિમ શ્વાસ લીધા

વેસુથી બીઆરટીએસ બસ લઈ નીકળેલા બીઆરટીએસના ડ્રાઈવરની ચાલુ બસે અચાનક તબિયત લથડ્યા બાદ મોત નીપજ્યું હતું. અચાનક તબિયત લથડતાં ડ્રાઈવરે બસ સાઈડમાં લઈ સુપરવાઈઝરને જાણ કરી હતી. સુપરવાઈઝર બસ પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી ડ્રાઈવરના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ […]

ઘોર કળયુગ: અમદાવાદમાં વિધવા માને ઘરમાંથી કાઢીને દીકરા-પુત્રવધૂએ જાનથી મારી નાખવાની ધમકી આપી

આ કળયુગ છે તેના પુરાવા આપતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા થોડા સમયમાં કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન વૃદ્ધ મા-બાપને ઘરમાંથી કાઢી મૂક્યા હોય તેવી કેટલીક ઘટનાઓ સામે આવી છે. હવે વધુ એક આવી ઘટના બની છે જ્યાં વિધવા માને દીકરાએ ઘરમાંથી તગેડી મૂકી અને મારી નાખવાની ધમકી આપી છે. જુહાપુરામાં રહેતા 67 […]

દેશની સૌથી સસ્તી નિદાન સુવિધા ગુરુદ્વારા બંગલા સાહિબ દિલ્હીમાં શરુ થશે, ફક્ત 50 રૂપિયામાં MRI સ્કેન, 600 રૂપિયામાં ડાયાલિસીસ કરવામાં આવશે

દેશની સૌથી સસ્તી નિદાન સુવિધા ગુરુદ્વારા બંગલા સાહિબ દિલ્હીમાં શરુ થઈ જશે. અહીં એક MRIની કિંમત ફક્ત 50 રૂપિયા હશે. આ માહિતી દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ આપી છે. અહીંની ગુરુ હરકિશન હોસ્પિટલમાં ડાયાલિસીસ સેન્ટર પણ ખોલવામાં આવશે જે આવતા અઠવાડિયાથી શરુ થઇ જશે. અહીં ફક્ત 600 રૂપિયામાં ડાયાલિસીસ કરવામાં આવશે. આ માટેના નિદાનના 6 […]

યુપીમાં ગેંગરેપ કેસમાં ફરાર થયેલા ભાજપ નેતાને પોલીસે ઝડપી પાડ્યો, વિદ્યાર્થિની પર દુષ્કર્મનો છે આરોપ

યુપીના પ્રયાગરાજમાં ગેંગરેપના આરોપી ભાજપના નેતાની આખરે ધરપકડ કરવામાં આવી છે. એક વિદ્યાર્થીનીએ ભાજપના નેતા શ્યામ પ્રકાશ દ્વિવેદી અને ડોક્ટર અનિલ દ્વિવેદી પર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. આ બંને વિરુદ્ધ પ્રયાગરાજના કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે ડો. અનિલ કુમાર દ્વિવેદીની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો હતો, પરંતુ શ્યામ […]

સુરતમાં ફ્રૂટની લારીવાળા પાસેથી 1000 રૂપિયાની લાંચ લેતા ટ્રાફિક ASI અને TRB જવાન રંગેહાથ ઝડપાયા

સુરત શહેરમાં ફ્રુટનો છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી લાંચ લેતા ટ્રાફિક ASI અને TRB જવાનને ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં બંને 1 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. મહિનાના રૂપિયા 500થી 1000 લાંચ માગતા મળતી માહિતી પ્રમાણે, ફ્રુટના છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી અવાર-નવાર લાંચ લેવાતી હોવાની ચોક્કસ બાતમી […]

ગુજરાતની શર્મનાક ઘટનાઃ જામનગરમાં 17 વર્ષની સગીરા પર ચાર શખ્સોએ ઉંઘની દવા પીવડાવી સામુહિક દુષ્કર્મ આચર્યું

ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં 19 વર્ષની યુવતી પર ગેંગરેપની ઘટનાના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં જામનગરમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જામનગરના યાદવનગરમાં રહેતી 17 વર્ષની સગીરા પર ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ છે. આ અંગેની જાણ પોલીસને થતા જ ઘટનાસ્થળે દોડી જઈ પરિવારજનોના નિવેદન નોંધી ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે અને […]

નવરાત્રિના આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું-200 લોકો સાથે ગરબા યોજાઈ શકે, રિ-ઓપનની નવી ગાઈડલાઈન મુજબ મંજૂરી આપવાની શક્યતા

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે નવરાત્રિના આયોજન અંગે લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. જો કે આ મામલે રાજ્ય સરકાર હજુ સુધી નિર્ણય લઈ શકી નથી. નવરાત્રિ આડે માત્ર બે અઠવાડીયા જ બાકી હોવાછતાં ગરબાની મંજરી આપવા અંગે ગુજરાત સરકાર અસમંજસમાં છે. આ પહેલા મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીં આપવામાં આવે કહ્યા બાદ આજે નાયબ મુખ્યમંત્રીના સૂર […]

વાહનના લર્નિંગ લાઇસન્સની મુદત પતી જાય તો પણ ચિંતા ન કરતા, નવા નિયમથી મળશે મોટી રાહત બીજી વખત કમ્પ્યૂટર ટેસ્ટ નહીં આપવો પડે.

લર્નિંગ લાઇસન્સ ધારકો માટે રાહતના સમાચાર છે કારણ કે હવેથી લર્નિંગ લાઇસન્સ છ મહિના બાદ એક્સપાયર થઈ જાય તો ઉમેદવારે ફરીથી કમ્પ્યૂટર ટેસ્ટ આપવો નહીં પડે. વાહનચાલકે માત્ર પોતાનાં જૂનાં લર્નિંગ લાઇસન્સનો સંદર્ભ પરિવહનના સોફ્ટવેરમાં સાંકળી આરટીઓ કચેરીમાં ડોક્યૂમેન્ટ વેરીફિકેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ તે ફરી લર્નિંગ લાઇસન્સ મેળવી શકશે. આરટીઓમાં પણ લર્નિંગ લાઇસન્સની કામગીરીનું […]