Browsing category

સમાચાર

11 વર્ષની બાળકીએ ઉલટી કરવા બસમાંથી માથું બહાર કાઢ્યું અને સામેથી ટ્રક આવી જતાં ટક્કરથી ધડ-માથું અલગ થયાં

મધ્યપ્રદેશના ઈન્દોર-ઈચ્છાપુર હાઈવે પર ઘટેલી દુર્ઘટનામાં 11 વર્ષની કિશોરી તમન્નાનું ગળું કપાઈ ગયું છે. ઘટના દેશગાંવ ચોકીના રોશિયા ફાટા પાસે ઘટી. બસમાં બેઠેલી કિશોરીએ ઊલટી કરવા માટે બારીમાંથી પોતાનું ડોકું બહાર કાઢ્યું હતું. આ સમયે જ સામેથી આવતી ટ્રકની ઝપેટમાં આવી જતાં તેનું માથું કપાઈ ગયું અને ઘટનાસ્થળે જ કિશોરીનું મોત નીપજ્યું દેશગાંવ ચોકીના પ્રભારી […]

પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બનતી દીકરીની ઠંડા કલેજે હત્યા નિપજાવનાર માતા અને માતાના પ્રેમીને સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા કોર્ટે ફાંસીની સજા ફટકારી

જે માતાએ નવ નવ મહિના સુધી દીકરીને કૂખમાં ઉછેરી અને બાદમાં 17 વર્ષ સુધી લાલનપાલન કરી મોટી કરી અને તે જ દીકરીની માત્ર તેમના લગ્નેતર સંબંધ માટે હત્યા નિપજાવનાર માતા અને માતાના પ્રેમીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ધામા ગામમાં વર્ષ 2018માં માતાએ તેના પ્રેમી સાથે મળી કરેલી દીકરીની હત્યા મામલે […]

માતા-પિતાએ જીવિત દીકરીના કર્યા અંતિમસંસ્કાર: 25 વર્ષની છોકરીએ પિત્રાઈ ભાઈ સાથે લગ્ન કર્યા; પિતાએ દીકરીનું પૂતળું બનાવી સ્મશાનયાત્રા કાઢી, માતાએ નનામીને કાંધ આપી

ઝારખંડના ચતરા જિલ્લાના ટંડવામાં શનિવારે એક પિતાએ તેની જીવિત દીકરીની સ્મશાન યાત્રા કાઢી છે. જોકે, આ સ્મશાન યાત્રા ફક્ત પ્રતીકાત્મક હતી. તેમાં નનામી પર દીકરીની જગ્યાએ તેનું પૂતળું રાખવામાં આવ્યું હતું. દીકરીની માતાએ પણ આ નનામીને કાંધ આપી હતી. ત્યાર બાદ આ પૂતળાના સંપૂર્ણ રીત-રિવાજ સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. આશ્ચર્યની વાત એ છે કે છેવટે […]

સુરતમાં કિન્નરોએ રાત્રિ કર્ફ્યૂમાં કતારગામ ચેકપોસ્ટ લીધી માથે, શરમજનક દૃશ્યો સર્જાયા

સુરતમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે. રાજ્યના સૌથી વધુ કેસ શહેરમાંથી નોંધાઈ રહ્યા હોવાના કારણે અહીંયા રાત્રિ કર્ફ્યૂનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. રાત્રિના 9.00 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાનમાં ગઈકાલે આ રાત્રિ કર્ફ્યૂમાં શહેરના કતારગામ વિસ્તારની ચેકપોસ્ટ પર શરમજનક દૃશ્યો સર્જાયા હતા. અહીંયા કિન્નરોને પોલીસે અટકાવતા તમામ મર્યાદાઓ વટાવી અને […]

ભરૂચમાં વિધવા સાથે પતિની આત્માના મોક્ષના નામે 33 લાખની ઠગાઇ, આરોપીએ શારીરિક સંબંધ પણ બાંધ્યા

ભરૂચ (Bharuch) શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વિધવા (widow) તેની દીકરી સાથે સિવિલ રોડ વિસ્તારમાં રહે છે. તેનો પતિ (Husband) રેલવેમાં નોકરી કરતો હતો. તેથી આરોપી ફિલિપ ઉર્ફે રોની અને મિત્ર ડિમ્પલ વિધવાના સંપર્કમાં આવ્યા હતા. આ બંનેએ વિધવાને પોતની વાતોમાં ફસાવીને વિશ્વાસ કેળવ્યો હતો. આ બંનેએ તેના પતિની આત્માને મોક્ષ મળે […]

વલસાડ જિલ્લામાં 71 વર્ષિય વૃદ્ધાએ 78 વર્ષિય વૃદ્ધ પતિની કપડાના ધોકાથી કરી હત્યા, મર્ડરનું કારણ પણ વિચિત્ર

વલસાડ જિલ્લાના છીપવાડ વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધ દંપતી વચ્ચે ઝઘડો થતાં, ઝઘડામાં 71 વર્ષીય વૃદ્ધ પત્નીએ 78 વર્ષીય વૃદ્ધ પતિને માથામાં કપડા ધોવાનો ધોકો મારતા પતિનું મોત નિપજયુ હતુ. આમ વૃદ્ધા વસ્થામાં જ પત્નીએ પોતાના પતિની હત્યા કરી હોવાની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસનો કાફલો […]

સુરત પોલીસે મહિલા પોલીસને સાથે રાખ્યા વગર આપની મહિલા નગરસેવિકાઓને ‘ઘેરી’ લીધી, ‘અભદ્ર’ વ્યવહારનો વિડિયો વાયરલ

સુરત (Surat) શહેરમાં આજે પાલિકાની (SMC) બજેટની સામાન્ય સભાના મુદ્દે હંગામો થયો હતો. રાજ્યમાં વિધાનસભા કાર્યરત છે પરંતુ પાલિકાએ બજેટની સામાન્ય સભા ઑનલાઇન રાખતા આપના નગરસેવકોએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. દરમિયાન આપના વિરોધની વચ્ચે અચનાક પોલીસે (Surat Police) ફિલ્મી ઢબે એન્ટ્રી લીધી હતી અને લોકશાહીમાં પ્રજા દ્વારા ચૂંટવામાં આવેલા નગરસેવકોને ‘વિરોધ’ કરવા બદલે ધક્કા […]

પાટડીમાં બીનવારસી લાશોની અંતિમવિધિ કરતું અનોખું મિત્ર મંડળ, ભરત વરસાણી અને રાજુ વરસાણી નામના બે ભાઇઓ આ સેવાયજ્ઞ શરૂ કર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પથંકની કેનાલોમાં ડુબેલી અને રેલ્વે પાટા પર કચડાયેલી હાલતમાં મળી આવેલી બિનવારસી લાશોની અંતિમવિધિ પાટડીનું એક અનોખું મિત્ર મંડળ વર્ષોથી કરે છે. અત્યાર સુધીમાં આ મંડળે છેલ્લા 15 વર્ષમાં 80થી વધુ બીનવારસી લાશોની અંતિમવિધિ ભગીરથ કાર્ય કર્યું છે. નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ રણકાંઠા વિસ્તારને થયો હોવાનો તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે […]

ગુજરાતમાં શિક્ષણમાં લોલમલોલ: પ્રાથમિક શાળાઓમાં લાયકાત અને તાલીમ વગરના શિક્ષકો બાળકોને ભણાવે છે, શિક્ષણમંત્રીની કબૂલાત

ગુજરાતમાં શિક્ષણનો સ્તર કેટલો કથળી ગયો છે એ વિધાનસભામાં શિક્ષણમંત્રીએ આપેલી લેખિત માહિતીમાંથી બહાર આવ્યું છે, રાજ્યના અમદાવાદ અને ગાંધીનગર સહિતના 6 જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં લાયકાત વિનાના અને તાલીમ વિનાના 4510 શિક્ષકો હોવાની કબૂલાત કરી હતી. એક બાજુ, તાલીમ અને લાયકાત ધરાવતા શિક્ષકોને નોકરીઓ મળતી નથી અને બીજી બાજુ, અણઘડ શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે. […]

બિહારમાં એક જ પરિવારના 6 બાળકો સળગીને મૃત્યુ પામ્યા: મકાઈના ડોડા શેકતી વખતે ઘાસચારામાં આગ લાગી, બાળકોની ઉંમર અઢીથી 5 વર્ષ

અરરિયામાં પલાસીના કવૈયા ગામમાં એક જ પરિવારના છ બાળકો આગમાં સળગી જવાને લીધે મૃત્યુ પામ્યા છે. આ બાળકોની ઉંમર અઢી વર્ષથી 5 વર્ષની છે. આ તમામ એક રૂમમાં મકાઈના ડોડા શેકી રહ્યા હતા. નજીકમાં પશુઓ માટેનો સૂકો ઘાસચારો હતો. જેમાં આગ લાગી ગઈ હતી. અન્ય બાળકોના અવાજ સાંભળીને પરિવારના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા. […]