Browsing category

સમાચાર

વડોદરામાં રેમડેસિવિરની કાળાબજારી: દર્દીઓની મજબૂરીનો લાભ લઇ ડોક્ટર એક ઇન્જેક્શન 7500 રૂપિયામાં વેચતો, મેલ નર્સ 9 હજારમાં વેચતો, બંનેની અટકાયત

કોરોના મહામારી દરમિયાન રેમડિસિવિર ઇન્જેક્શનની અછતનો લાભ લઇને કાળાબજારી થતી હોવાથી વડોદરા પોલીસ એલર્ટ બની છે, ત્યારે પીસીબીએ બાતમીને 7500 રૂપિયામાં રેમડિસિવર ઇન્જેક્શન વેચતા ડોક્ટરને ઝડપી પાડ્યો છે, જ્યારે પીસીબીએ પકડાયેલા ડોકટરની મદદથી 9 હજારની કિંમતમાં રેમડિસીવર ઇન્જેક્શન વેચતા મુસ્લિમ મેડિકલ સેન્ટરમાં મેલ નર્સને ઝડપી પાડ્યો છે. પોલીસે બંનેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી […]

કોરોના કાળમાં સુરતીએ લંબાવ્યો મદદનો હાથ: સંબંધીના આખા પરિવારને કોરોના થતા કોઇ જમાડવાવાળું ન મળતા ક્વોરન્ટીન પરિવાર માટે યુવકે શરૂ કરી ફ્રી ટિફિન સેવા

“અમારા પરિવારના ચાર સભ્યો કોરોના વાઇરસની ચપેટમાં આવતા રસોઈ બનાવવી તો દૂરની વાત ટિફિન પણ આપવા કોઈ તૈયાર ના હતું. આવી હાલાકી જોયા બાદ શહેરીજનોનો વિચાર આવ્યો હતો આમ, આવી સ્થિતિ ના જોવાતા અમે શહેરમાં કોઈ આખું પરિવાર હોમ કોરોન્ટાઇન હોય તો તેમને સાત દિવસનું બપોરનું ભોજન વિનામૂલ્યે ઘર સુધી પહોંચાડીયે છીએ. આ સેવા અમે […]

કોરોનાના સામાન્ય લક્ષણો હોય તો ખોટી ભાગદોડ કરવાને બદલે હોમ ક્વોરન્ટાઇન થઈ આરામ કરો, ખૂબ પાણી પીઓ, પેરાસિટામોલ લો

ગુજરાત સરકારે કોરોનાકાળમાં લોકોને માર્ગદર્શન આપવા માટે નિષ્ણાત ડોક્ટરોને સાંકળીને રચેલા ટાસ્કફોર્સ દ્વારા પાટનગરમાં ર્સ્વિણમ સંકુલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવાયું હતું કે, કોરોનામાં ૮૦ ટકા દર્દીઓ ગળામાં સોજો, તાવ, બોડી પેઇન જેવા સામાન્ય લક્ષણો ધરાવતા હોય છે, આવા દર્દીઓએ રેમડેસિવિર દવા માટે ખોટી ભાગદોડ કરવાને બદલે હોમ ક્વોરન્ટાઇન થઈ માત્ર ત્રણ જ બાબતો ઉપર […]

લ્યો બોલો સુરતમાં અંતિમવિધિ માટે પણ લાંચ: મૃતદેહના વહેલા અંતિમસંસ્કાર કરવા હોય તો સ્મશાનમાં પણ 2000 રુપિયા ‘ઓન’ બોલાય છે

પ્રત્યેક અગ્નિસંસ્કાર માટે 12 કલાક ઉપરાંતનું વેઇટિંગ ચાલી રહ્યું છે, સ્વજનો હોસ્પિટલમાં તથા અંતિમવિધિ માટે સ્મશાનમાં અટવાઇ રહ્યાં છે છતાં મૃતદેહોના ટોકન તોડીને વહેલાં અંતિમ સંસ્કાર કરી આપવાના નામે પણ ભ્રષ્ટાચાર કરી લોકોને વધુ હાલાકીમાં મુકાઇ રહ્યાં હોવાની અશ્વનીકુમાર સ્મશાન ખાતે રાવ ઊઠી છે. ટોકન આપવા છતાં પાછળના નંબરના ટોકનને વહેલી તક આપવાના લીધે સ્વજનોની […]

સુરતમાં TRB જવાનને સહકર્મી સાથે થયો પ્રેમ, યુવતીએ લગ્નનું દબાણ કરતાં તાપીમાં ધક્કો મારી કરી હત્યા

સુરતમાં (Surat) એક પ્રેમ કહાનીનો (Lover Story) કરુંણ અંજામ આવ્યો છે. સુરતમાં એક મહિલા TRB તરીકે ફરજ બજાવતી અને પોતાના પતિથી અલગ રહેતી મહિલાને સાથી TRB જવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. જોકે આ મહિલા લગ્ન માટે દબાણ કરતી હતી ત્યારે આ યુવાને લગ્નથી બચવા માટે પોતાની પ્રેમિકાને મહારાષ્ટના ધુલીયા લઈ જઈને તાપી નદીમાં ફેંકી […]

જેઠ સાથે આડા સંબંધ ધરાવતી પત્નીએ સોપારી આપી પતિને પતાવી દીધો, મોતને કોરોનામાં ખપાવી દીધું!

પ્રેમ આંધળો હોય છે એવું ઘણી વખત સાંભળ્યું છે. પરંતુ રાજસ્થાનના ઉદેપુરમાં આ વાતને સાબીત કરે તેવી જ એક ઘટના સામે આવી છે. ઉદેપુરમાં પત્નીએ જેઠ સાથેના ગેરકાયદે સંબંધોના કારણે પતિની હત્યા કરાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે પાંચ મહિનાની તપાસ પછી આ ઘટસ્ફોટ કર્યો છે. આ ઘટના ભદેપુર શહેરના પ્રતાપનગર વિસ્તારની છે. […]

ઘોર બેદરકારી: રાજકોટ સિવિલે કોરોનાગ્રસ્ત મહિલાનો મૃતદેહ આપ્યો પણ સોનાનો ચેઇન, માળા, નાકની ચૂક અને રોકડ રૂપિયા ન આપ્યા, પરિવારનો આક્ષેપ

સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ પ્રૌઢાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, પ્રૌઢાએ પહેરેલા સોનાના દાગીના અને રોકડ સાથેનું તેનું પર્સ મૃતદેહની સાથે પરિવારજનોને આપવામાં આવ્યા નહોતા અને શોધી આપીશું તેવા જવાબો આપી પરિવારજનોને રવાના કરી દેવાયા હતા. આ મામલાને બે દિવસ વીતી જવા છતાં સોનાના દાગીના પરત નહીં મળતા અંતે મૃતકના પરિવારજનોએ પોલીસનું શરણું લીધું […]

93 વર્ષની વયે મહામંડલેશ્વર ભારતીબાપુ થયા બ્રહ્મલીન, જૂનાગઢમાં અપાશે સમાધિ

રાજ્યના વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુ (Mahamandleshwar Bharti Bapu) બ્રહ્મલીન થયા છે. અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર ભારતી બાપુએ દેહ ત્યાગ કર્યો છે. લઘુ મહંત ઋષિ ભારતી બાપુએ માહિતી આપી કે બાપુએ રાત્રે 2.30 વાગ્યે બ્રહ્મલીન થયા છે. આજે સવારે 9.30 વાગ્યા સુધી ભારતી બાપુના બ્રહ્મલીન દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. […]

અરવલ્લીમાં દારૂના નશામાં PSIની ધમાલ, પૂર ઝડપે જીપ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાં- જુઓ વીડિયો

ગુજરાતમાં દારૂબંધી છે. એટલે કે અહીં દારૂ પીવો અને તેનું વેચાણ કરવું ગેરકાયદે છે. જોકે, અહીં માંગો ત્યાં અને માંગો એ બ્રાન્ડનો દારૂ મળે રહે છે તે નરી વાસ્તવિકતા છે. ક્યાંક છાનાછૂપો તો ક્યાંક અધિકારીઓની રહેમ નજર હેઠળ જ દારૂની હેરાફેરી થતી હોય છે. રાજ્યમાં દારૂના વેચાણ અને પીવા બદીને અટકાવવાની જવાબદારી પોલીસની છે. હવે […]

ઈન્જેક્શન માટે દીકરો 65000 રૂપિયા લઈને 4 કલાક 10થી વધુ જગ્યાએ રખડ્યો પરંતુ ક્યાંય ના મળતા આખરે માતાનું મોત થયું

રાજ્યભરમાં આફત બનીને આવેલા કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યની અનેક હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. જેને કારણે હોસ્પિટલોમાં બેડની સાથે સાથે ઈન્જેક્શન પણ ખૂટી પડ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઈન્જેક્શનની અછતને કારણે અમદાવાદની એક મહિલાનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃતક મહિલાના પરિવારે આક્ષેપ કર્યો કે, ડોક્ટરે ટોસિલિઝુમેબ […]