સુરતઃ ભેસ્તાનમાં ત્રણ બાઈક ટ્રકની અડફેટે ચડ્યા, એકનું મોત, બે ઈજાગ્રસ્ત

સુરતઃ ભેસ્તાનમાં ત્રણ બાઈક ટ્રકની અફેટે ચડતા એકનું મોત અને બેને ઈજા પહોંચતા ચકચાર મચી જવા પામી છે. બે બાઈક ચાલક રોડ પર બાઈક પર જ મસ્તી કરતા હતા. દરમિયાન ત્રીજુ બાઈક બંને બાઈકમાં અટવાઈ ગયું હતું. ત્યારબાદ ટ્રકની અડફેટે ચડી ગયા હતા. ત્રણ બાઈક અંદરો-અંદર અટવાઈ જતા ટ્રકની અડફેટે ચડ્યા મગદલ્લામાં ભવાની મહોલ્લામાં પરેશ […]

ગુજરાતના આ ગામના ખેતમજૂરના ઘરમાં 5 હજારથી વધુ પુસ્તક

લખતર: આજનાં જમાનામાં બાહ્ય આડંબર જ મનુષ્યને અધોગતિ તરફ દોરી જાય છે ત્યારે ઉચ્ચ વિચારો માટે જો કોઈ સાધન હોય તો તે છે પુસ્તક વાંચન. અને આ વાતને સાર્થક કરે છે. લખતર તાલુકાનાં નાના એવા ગામ ઘણાદનાં કાનજીભાઈ ચતુરભાઈ પટેલ. જેઓને પુસ્તક વાંચવામાં જ નહીં પરંતુ લોકોને પુસ્તક વંચાવવામાં વધુ આનંદ મળે છે. લખતર તાલુકામથકથી […]

આ ખેડૂતે યુ ટ્યૂબ પરથી લીધો ખેતીનો આઇડીયા, 25 હજાર રોકી મેળવે છે લાખો

ડીસાના રાણપુરના ખેડૂતે ગયા વર્ષે 10 ગુઠામાં મલ્ચીંગથી ચોળીની ખેતી કરી 15 હજારના ખર્ચ સામે ત્રણ લાખની આવક મેળવી હતી. અને આ વર્ષે 15 ગુઠામાં મલ્ચીંગ તેમજ ક્રોપકવરથી ચોળીની ખેતી કરી છે અને 25 હજારના ખર્ચ સામે પાંચ થી લાખ મળવાની સંભાવના છે. આમ બનાસકાંઠાના ખેડૂતો અવનવી ખેતી કરી સમૃદ્ધ બની રહ્યા છે. બનાસકાંઠાના ખેડૂતો […]

સ્વામિનારાયણ ભગવાનની આજે 238મી જન્મજયંતી : 32 વખત કચ્છ પધાર્યા હતા

26 જાન્યુઆરી 2001ના કચ્છમાં આવેલા ભયકર ભૂકંપમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું ઇ.સં.1824મા નિર્માણ પામેલું મૂળ મંદિર ધ્રવસ્થ થતાં ભુજના સિટી પોલીસ સ્ટેશન સામે પાંચ એકર જેટલી વિશાળ જગ્યામાં રૂા.100 કરોડના ખર્ચે ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 18 મે 2005ના ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આજે આ મંદિર કચ્છના જોવા લાયક સ્થળોમાનું […]

અનોખી રીતે શિક્ષણ : આ શિક્ષક પાસે વિદ્યાર્થીને ભણતા નથી લાગતો ડર

દરેક શિક્ષકમાં ભણાવવાની રીત અલગ-અલગ હોય છે. ત્યારે બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડા શાળામાં એક શિક્ષક દ્વારા અભિનય ગીત સાથે અનોખી રીતે શિક્ષણનો અભ્યાસ કરાવાય છે. જેને લઇ બાળકો અભ્યાસથી ન કંટાળી શાળામાં આવવા પ્રેરાય છે. આ ઉપરાંત શિક્ષક પ્રત્યે બાળકોની મિત્રતા બંધાય છે. આવા શિક્ષક સાથે કોણ ભણવા ન માંગે એ સૌ કોઈ કહે છે. મૂળ […]

વિદેશમાં ગુજરાતનું ગૌરવ વધારનાર યુવા લોક ગાયિકા પ્રીતિ વરસાણી વિષે જાણો સંપૂર્ણ વિગત

ભગવાન કલા કે કોઇ ખાસિયત દરેક વ્યક્તિને આપતો હોય છે, ઘણો લોકો માત્ર તેને શોખ તરીકે લઇને પોતાના નિજાંનદ માટે ઉપયોગ કરતા હોય છે, તો કેટલાક માત્ર લક્ષ્મી કમાવવાના ઉદ્દેશથી તે કલાને વાપરે છે, પણ ગણતરીના એવા કલાકારો હોય છે, જે પોતાની કલાને વેચવાને બદલે તેનાથી કોઇની મદદ થઇ શકે તેવા કાર્યો જીવનપર્યંત કરતા હોય […]

પટેલ સમાજના યુવાનોની જાગૃતિ માટે આ લેખ અચૂક વાંચજો

સામાન્ય રીતે હુ જ્ઞાતિવાદમા માનતો નથી. છતાય આજ એક પટેલના દિકરા તરીકે લખુ છુ. એકાદ બે દિવસથી સોસીયલ મીડીયામા. સુરતના જાણીતા ઉધ્યોગપતિની ધડપકડ અને સ્લેટપાટી વાળા ફોટા લોકો વાયરલ કરી રહ્યા છે. આ જોઈ થોડુ દુઃખ સાથે અજીબ પણ લાગ્યુ. આપણો સમાજ કેટલો નકારત્મ અને મતલબી થઈ ગયો છે. જે માણસે સામાન્ય પરીવારમાથી આવીને બાળપણથી […]

આ છે ગુજરાતનું મોડેલ LED ગામ: મોટા શહેરોની સુવિધાઓ પડે ‘ઝાંખી’

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાનાં પ્રવાસે ગયા હતા. ત્યારે તેઓએ તમામ ગામડાઓને ઓપ્ટીકલ કેબલથી જોડીને ઇન્ટરનેટ સુવિધા ધરાવતા ગામડાઓ બનાવવાની જાહેરાત કરી છે. જો કે ગુજરાતનાં માણસા તાલુકાનું અમરપુરા ગામે વડાપ્રધાનની આ કલ્પના સાકાર કરી છે. વડાપ્રધાને એલઈડી લાઈટ વાપરવા માટે લોકોને અપીલ કરી છે, સાથે તેનાં માટે સરકારી યોજનાઓ પણ બનાવી છે. પણ […]

પર્યાવરણપ્રેમી પટેલનો નવતર પ્રયોગ, વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુ બનાવી

જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં રહેતા ખેડૂતે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવી ચક્લીને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. જેમાં તેઓએ ચકલીનાં ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ હતું. તેમજ ગાયનાં છાણમાંથી 1000 ચકલીનાં માળા બનાવી વિતરણ કર્યુ હતું. જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં નિવાસી અર્જૂનભાઇ મોહનભાઇ પાધડાર ખેડૂત છે. પણ તેઓએ પર્યાવરણને બચાવવા માટે નવતર પ્રયોગ […]

આ પટેલે શાકભાજીના પાકમાં કાઠુ કાઢયુ: 1 એકરમાં પકવ્યા 1900 મણ રીંગણાં

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના ખેડૂતોએ શાકભાજીના પાકમાં કાઠુ કાઢયુ છે ત્યારે કતપુર ગામના એક જાગૃત ખેડૂતે આ વર્ષે એક એકર જમીનમાં કાળા રીંગણનું વાવેતર કરી આઠ માસમાં 1900 મણ રીંગણનો પાક ઉતારીને પોતે માલામાલ થઇ ગયા છે. – ગામના અન્ય ખેડૂતો પણ શાકભાજી પકવે છે પણ આ શિક્ષક નવો પ્રયોગ આ અંગે વ્યવસાયે શિક્ષક અને […]