સ્વાસ્થ્યની સમસ્યાઓથી લઈને સ્કીનની પ્રોબ્લેમ માટે રામબાણ ઈલાજ છે વરિયાળીનું પાણી, તેના અન્ય ફાયદાઓ વિશે જાણો અને શેર કરો

વરિયાળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તે તમારી ત્વચા માટે પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. ત્વચાની તમામ સમસ્યાઓમાં વરિયાળીના ફાયદા વિશે જાણીએ તો…. આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે જે ઔષધીય ગુણોથી ભરેલી છે. જેનો ઉપયોગ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે થાય છે. વરિયાળી પણ આમાંથી એક છે. વરિયાળીમાં […]

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શિક્ષણ ક્ષેત્રમાં મોટો નિર્ણય લીધો : ખાનગી શાળાઓ ઈચ્છા થાય એમ ફી નહીં વધારી શકે; શાળાઓ કોઈ ખાસ દુકાનથી જ પુસ્તક-ડ્રેસ ખરીદવા દબાણ ના કરી શકે

પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને શિક્ષણ ક્ષેત્રમાં મોટો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓની ફી અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાઓ ફીમાં વધારો કરી શકશે નહીં. આ સાથે CM ભગવંત માને કહ્યું છે કે કોઈ પણ શાળા કોઈ ખાસ દુકાનથી પુસ્કત અને ડ્રેસ ખરીદવા માટે પણ દબાણ કરી શકશે નહીં. આ નિર્ણય બાદ બાળકોના માતાપિતાને ઘણી […]

ભાજપના ધારાસભ્યનો હાથ પકડી લિસ્ટેડ બુટલેગર પહોંચ્યો મુખ્યમંત્રીના દરબારમાં…

સામાન્ય સંજોગોમાં કોઇપણ માણસ મુખ્યમંત્રીને મળી શકે એ આદર્શ સ્થિતિ છે. ખરેખર હોવું પણ એમ જ જોઇએ. પણ એમાં કોઈ ગુનેગાર પહોંચી જાય એ યોગ્ય ન ગણાય. આવો જ એક કિસ્સો તાજેતરમાં સપાટી પર આવ્યો છે. કામરેજ મત વિસ્તારના ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાનો હાથ પકડી પૂણાના ભૈયાનગરમાં રહેતો ગોરધન ઉર્ફે ગોટિયો નામનો લિસ્ટેટ બુટલેગર […]

મહેસાણાના યુવક માટે ફોઈ ભગવાન બનીને આવ્યા, પોતાની કીડની આપી ભત્રીજાને આપ્યું નવજીવન

પોતાના 28 વર્ષના ભત્રીજાની બન્ને કિડની ફેઈલ જતાં 28 વર્ષના આ યુવાનને જીવતદાન આપવા ફોઈ મેદાનમાં આવ્યાં હતાં. ધીણોજ ગામના પોતાના ભત્રીજાને લક્ષ્મીપુરા (ઉનાવા) ખાતે રહેતાં ફોઈએ એક કિડનીનું દાન કર્યું હતું. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ફોઈની કિડની ટ્રાન્સપ્લાન્ટ થતાં ધીણોજના યુવાનને જીવતદાન મળ્યું હતું. ઓએનજીસી જૂથ 15ના સેનાપતિ બળદેવભાઈ દેસાઈએ રૂ.2.36 લાખ એકઠા કરી સારવાર […]

પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા માટે UPA સરકાર અને રશિયા જવાબદારઃ નિર્મલા સીતારમન

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધવા પાછળ કેન્દ્ર સરકારે રશિયાને જવાબદાર ગણાવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, પૂર્વની UPA સરકારના ક્રૂડ બોન્ડ અને રશિયાના યૂક્રેન પર હુમલાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં તેમણે કહ્યું, ગ્લોબલ માર્કેટમાં સપ્લાઇ બાધિત થવાને કારણે પાછલા અમુક અઠવાડિયાથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. આ […]

રાજસ્થાનમાં ડૉ. અર્ચનાના મોતથી ડૉક્ટરોમાં આક્રોશ, મહિલા તબીબે સ્યૂસાઈડ નોટમાં લખ્યું- ‘મેં કોઈ ભૂલ નથી કરી, ડૉક્ટરોને હેરાન કરવાનું બંધ કરો’

રાજસ્થાનના દૌસામાં મહિલા ડૉક્ટર અર્ચના દ્વારા સ્યૂસાઈડ નોટ લખીને આપઘાત કરવાના કારણે પોલીસની ભારે ફજેતી થઈ રહી છે. હકીકતમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થવા પર દૌસા પોલીસે ડૉક્ટર વિરુદ્ધ હત્યા જેવી ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. ડૉ અર્ચના પોલીસની કાર્યવાહીથી એટલા ભયભીત થઈ ગયા કે તેમણે બે માસૂમ બાળકો અને પતિને છોડીને મોતને […]

સાંધાના દુઃખાવાની ફરીયાદ હોય તો કરો આ ફળોનું સેવન, દુખાવાની સમસ્યા થશે દૂર, સ્વાસ્થ્યને પણ થશે ગજબ ફાયદા, જાણો અને શેર કરો

જો તમે પણ સાંધાના દુખાવાની ફરિયાદથી પરેશાન છો તો તમારે પોતાની ડાયેટમાં અમુક ફળોને જરૂર શામેલ કરવા જોઈએ. તેમાં સંતરા, તરબૂચ, દ્રાક્ષ શામેલ છે. વધતી ઉંમર સાથે સાંધાના દુઃખાવાની સમસ્યા પણ વધવા લાગે છે. આર્થરાઈટિસના દર્દીઓમાં સૌથી સામાન્ય સમસ્યા સાંધામાં દુખાવો અને સોજો છે. ઉંમર સાથે મોટાભાગના લોકોમાં આમસ્યા જોવા મળે છે. બદલાતી જીવનશૈલીમાં જો […]

આમ આદમી પાર્ટીનો સરકારને પડકાર: ગુજરાતના ખેડૂતો 12 કલાક વીજળી નહીં મળે તો બીલ નહીં ભરે, વીજ-કનેકશન કપાશે તો ‘આપ’ના નેતાઓ ફરી જોડી આપશે

ગુજરાતમાં વિપક્ષ અને રાજકિય પક્ષો દ્વારા ખેડૂતોને મળતી વીજળી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીએ ખેડૂતોને અનિયમિત પણે મળતી વીજળીને લઈને સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યાં હતાં. પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ ગાંધીનગરમાં પ્રેસકોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને પુરતાં પ્રમાણમાં વીજળી મળતી નથી.જેના કારણે ઉનાળાનું વાવેતર […]

ભાજપ-જનસંઘને જે કરતા 39 વર્ષ લાગ્યા તે આમ આદમી પાર્ટીએ 9 વર્ષમાં કરી દીધું

દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસનું છેલ્લાં ઘણા સમયથી ધોવાણ થઇ રહ્યું છે અને તેની સામે આમ આદમી પાર્ટી ધીમે ધીમે પણ મક્કમ ગતિએ આગળ આવી રહી છે.રાજકારણના જાણકારોનું માનવું છે કે ભાજપ માટે હવે ખતરાની ઘંટડી કોંગ્રેસ નહી, પણ આમ આદમી પાર્ટી છે. કોંગ્રેસ તો આઝાદીના પહેલાથી જ હતી પરંતુ તેની સામે ટક્કર ઝીલીને […]

રાજ્યમાં સરકારી જમીન પર દબાણ હશે તો બુલડોઝર ફેરવી દેવાશે: મહેસુલ મંત્રીનો આદેશ

રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જ્યાં પણ સરકારી જમીન પર દબાણ થયેલું હશે તો આવા દબાણની તાત્કાલિક માપણી કરીને આવા દબાણ દૂર કરી દેવામાં આવશે. આ માટેની ખાસ સૂચના વહિવટી તંત્રને આપવામાં આવી છે. વિઘાનસભામાં ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ઝીંગાના ફાર્મ અંગે જ્યારે મંત્રીને પૂછવામાં આવ્યું ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, ભરૂચ જિલ્લાના […]