સવાર-સવારમાં પતિ-પત્નીમાં થયો હતો ઝઘડો, પત્નીએ ગુસ્સામાં કહ્યું કે હવે હું તમારી સાથે નથી રહી શકતી, પતિએ પણ જવાબ આપતા કહ્યું કે સાંજે ઘરે આવું તો દેખાતી નહીં, તારો સામાન લે અને નીકળી જા ઘરેથી, તેના પછી સાંજે શું થયું?

કોઈ ઘરમાં સવાર-સવારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. ગુસ્સામાં પત્નીએ કહ્યું હવે હું તમારી સાથે નથી રહી શકતી. પતિએ પણ જવાબ આપતા કહ્યુ કે હું સાંજે કામ કરીને ઘરે આવું તો તું મને દેખાતી નહીં, તારો સામાન લે અને ઘરેથી નીકળી જા. આટલું કહીને પતિ પોતાના કામ પર જતો રહ્યો. પત્ની ખૂબ દુઃખી હતી. […]

મહેસાણા: 80 વર્ષીય માતાને મિલકત માટે ત્રાસ આપતા પુત્રો, વૃદ્ધાં રડી પડ્યાં, ‘સાહેબ જીવાડો કે પછી દવા આપીને મારી નાખો’

પતિના મૃત્યુ બાદ એકલવાયું જીવન જીવતા 80 વર્ષનાં સીતાબા જમીન માટે માર મારતા પુત્રોથી કંટાળી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચી સાહેબ, મને જીવાડો કે પછી ઝેર આપીને મારી નાખો તેમ કહીને રડી પડ્યા હતા. પુત્રોનો માર ખાઇને ફરિયાદ નોંધાવવા વસઇ પોલીસ સ્ટેશન પહોંચેલા વૃધ્ધાને પોલીસે પહેલાં તમે તમારા જામીનદાર લાવો પછી […]

ગોંડલ સ્ટેટમાં 90 વર્ષ પહેલાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 5 રૂપિયાનો દંડ હતો

‘આજથી 90 વર્ષ પહેલાં અને તે પણ સાઇકલ માટે, જો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો 5 રૂપિયા દંડની જોગવાઈ હતી ત્યારે સોનું 19 રૂપિયા તોલું હતું.’ ગોંડલ સ્ટેટ ના રાજવી મહારાજા ભગવતસિંહ -1930 આ લખાણ સાથે ગોંડલ સ્ટેટના (Gondal State) જૂના ટ્રાફિક (Traffic law) નિયમોના પુસ્તકની તસવીર સોશિયલ મીડિયામાં (Soclial media)વાયરલ થઈ છે. રાજ્ય […]

શ્રાદ્ધનું ભોજન કાગડા, શ્વાન અને ગાયને જ કેમ ખવડાવવામાં આવે છે? જાણો એનું કારણ

ગ્રંથો મુજબ, કાગડો યમનું પ્રતીક છે, જે દિશાઓનું ફલિત એટલે શુભ-અશુભ સંકેત આપે છે. તેથી શ્રાદ્ધનો એક ભાગ તેને પણ આપવામાં આવે છે. કાગડાઓને પિતૃનું સ્વરૂપ માનવામાં આવે છે. માન્યતા અનુસાર શ્રાદ્ધનું ભોજન કાગડાઓને ખવડાવવાથી પિતૃ દેવતા પ્રસન્ન થાય છે. અને શ્રાદ્ધ કરનારને આશિર્વાદ આપે છે. શ્રાદ્ધના ભોજનનો એક ભાગ ગાયને ખવડાવવામાં આવે છે. કારણ […]

સમીના ગુજરવાડા ગામમાં એકસાથે છ મૃતકોની નનામી નીકળતાં ગામ હિબકે ચઢ્યું, શોષકૂવા દુર્ઘટનામાં થયા હતા મોત

સમી તાલુકાના ગુજરવાડા ગામે મંગળવારે સાંજે 5:00 વાગે શોષકૂવામાં પડી જતા એકબીજાને બચાવવા જતા કુલ પાંચ વ્યક્તિઓના મોત થયા હતા તેમજ તેના આઘાતમાં અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું હતું જેને લઇ ભારે ગમગીની ફરી વળી હતી. તમામ મૃતકોની ગામના સ્મશાનભૂમિમાં અંત્યેષ્ઠી કરાઇ હતી. ગામની સ્મશાનભૂમિમાં અંત્યેષ્ઠી કરાઇ મંગળવારે રાત્રે તમામ છ મૃતકોનું પોસ્ટમોર્ટમ સમી […]

વડોદરા ટ્રાફિક પોલીસની માનવતા, ચક્કર આવતા રસ્તામાં પડી ગયેલી મહિલાને હોસ્પિટલમાં પહોંચાડી

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કડક બજાર પાસે એક મહિલાને ચક્કર આવતા રસ્તામાં જ પડી ગઇ હતી. વડોદરા ટ્રાફિક પોલીસે માનવતા દર્શાવીને મહિલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડી હતી. જોવા મળ્યો પોલીસનો પ્રજા પ્રત્યેનો હકારાત્મક અભિગમ વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખાના અધિકારી અરૂણ મિશ્રા અને જવાનો કડક બજારના નાકા નજીક વાહન વ્યવહાર વ્યવસ્થા સંભાળી રહ્યા […]

એક આળસું વ્યક્તિને તેની પત્નીએ કહ્યું કે આજે કંઈક કમાઇને જ પાછા આવજો નહીં તો ઘરમાં ઘૂસવા નહીં દઉં, આખો દિવસ ભટક્યા પછી પણ પતિ કંઈ કમાઇ ન શક્યો, ઘરે પાછા આવતી વખતે તેને એક મરેલો સાપ દેખાયો, તેણે એક લાકડીમાં સાપને લટકાવ્યો અને ઘરે લઈ ગયો

એક વ્યક્તિની પત્ની ખૂબ દુઃખી હતી કારણ કે તેનો પતિ આળસું હતો અને કંઈ પણ કામ નહોતો કરતો. એક દિવસ મહિલાએ તેના પતિને ઘરેથી નીકળતી વખતે કહ્યુ કે આજે કંઈક કમાઇને જ પાછા આવજો નહીં તો હું ઘરે નહીં ઘૂસવા દઉં. પતિ પણ પત્નીના ગુસ્સાની સામે કંઈ બોલી ન શક્યો. તે ઘરેથી નીકળ્યો. આખો દિવસ […]

આજથી વાતાવરણમાં પલટો આવવાની આગાહી, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમથી 19થી 26 ફરી વરસાદની શક્યતા

છેલ્લાં અઠવાડિયાથી રાજ્યમાં વરસાદી માહોલ રહેવા છતાં વરસાદ પડતો નથી. પરંતુ, આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે. જેની અસરોથી આગામી 19 થી 26 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ફરીથી સાર્વત્રિક વરસાદની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. આગામી 10 દિવસ સાર્વત્રિક […]

અનોખી મિત્રતા, ભાઈબંધી, જુગલબંધી અને કોમી એકતાનો એક હૃદયસ્પર્શી કિસ્સો: સાવરકુંડલામાં બ્રાહ્મણ વૃદ્ધે મુસ્લિમ મિત્રનાં ઘરે અંતિમ શ્વાસ લીધા, મિત્રના પુત્રોએ જનોઈ ધારણ કરી અંતિમ સંસ્કાર કર્યા

સાવરકુંડલાના નાવલીમાં મિત્રતા, ભાઈબંધી, જુગલબંધી અને કોમી એકતાનો એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં બ્રાહ્મણ વૃધ્ધે જીવનના અંતિમ શ્વાસ તેના મુસ્લિમ મિત્રના ઘરે લીધા હતાં. એટલું જ નહીં, મુસ્લિમ મિત્રના પુત્રોએ જનોઇ ધારણ કરી શાસ્ત્રોકત વિધિપૂર્વક આ વિપ્ર વૃદ્ધની સ્મશાનયાત્રા કાઢી હતી અને અંતિમ સંસ્કાર કર્યા હતા. અહીં ભીખાભાઈ કુરેશી અને ભાનુશંકર પંડયા ગાઢ […]

માત્ર ધોરણ 10 પાસ ખેડૂત ડ્રીપ ઈરિગેશન પદ્ધતિથી ઓર્ગેનિક બીટ ઉગાડી કરે છે લાખો કમાણી

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના નરસંડા ગામના ખેડૂત દ્વારા સજીવ ખેતી દ્વારા આવક બમણી કરવામાં આવી છે. રાસાયણીક ખાતરના ઉપયોગ વગર જ તેમણે બીટ, શાકભાજીનું વધુ ઉત્પાદન મેળવ્યું છે. જેમાં પાકનો ઉતારો સારો રહેવાના પગલે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. નડિયાદ નજીકના નરસંડા ગામમાં રહેતા ઉમેશગીરી શૈલેષગીરી ગોસ્વામી છેલ્લાં બે દાયકાથી વારસાઇ […]