આ વખતે ગણેશ સ્થાપના ક્યારે કરશો? જાણો – સૌથી સારા ગણેશ સ્થાપના માટેના શુભ મુહૂર્ત
ભાદરવા માસની સુદ પક્ષની ચોથ ને ગણેશચતુર્થી ઉત્સવ તરીકે મનાવવામાં આવશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટૃના જણાવ્યાનુસાર ગણેશ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, શિવપુરાણ આધારીત આવા શુભ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. તેનું જ્યોતિષ શાસ્ત્ર તથા આધ્યાત્મિક રીતે વિશેષ મહત્વ રહેલું છે. કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની સ્તુતિ વંદના પ્રથમ કરવામાં આવે છે. […]