Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

સુરતમાં લાઇફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટે શરૂ કરી દીકરી દત્તક યોજના: ટ્રસ્ટ સગાઈ-લગ્નમાં રૂ. 5 લાખ સુધીનો ખર્ચ કરી દીકરીઓને સાસરે મોકલવાની જવાબદારી ઉઠાવે છે, 325 દીકરીઓ વેઇટિંગમાં છે.

મોટા વરાછાની લાઇફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટે એક નવી અને અનોખી પહેલ શરૂ કરી છે. ટ્રસ્ટે દીકરી દત્તક યોજના શરૂ કરી કોઈ ખર્ચ લીધા વિના પાત્ર શોધી લગ્ન કરાવે છે. ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ ઇટાલિયાએ જણાવ્યું કે, અમે કતારગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર ચલાવતા હતા. ત્યાં દંપતીના વિવાદ સમજતા હતા. એવા 4 હજાર કેસ સામે […]

11 મિત્રોએ સાથે મળીને શરુ કર્યું અનોખુ સેવા કાર્ય, ખાલી દસ રૂપિયામાં અન્નપૂર્ણા કિચનમાં ભરપેટ ભોજન કરાવે છે

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 11 મિત્રો સાથે મળીને અનોખી સેવા કરે છે. તેમણે સાથે મળીને એક રસોડુ બનાવ્યું છે જ્યાં રોજ એક હજાર લોકો જમે છે. આ કોરોના મહામારીના સમયમાં અહીં માત્ર 10 રૂપિયામાં જ તમે ભરપેટ જમી શકો છો. આ રસોડાનું નામ છે માં અન્નપૂર્ણા કિચન. તેને ચલાવનાર 11 મિત્રો અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમાં […]

રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે વધુ એક માનવતા મહેકાવતું કાર્ય કર્યુ: 60 તોલા સોનુ અને ત્રણ મકાન હોવા છતાં 20 વર્ષથી એક જ ઓરડીમાં રહેતા 65 વર્ષના અપરિણીત વૃદ્ધા નિર્વસ્ત્ર હાલતમાં મળ્યાં

રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે વધુ એક માનવતા મહેકાવતું કાર્ય કર્યુ છે. 4 જાન્યુઆરીના રોજ જલ્પાબેન પટેલ અને તેમની ટીમ સાંજે 7 વાગ્યે ધ્રોલ પહોંચી હતી. ધ્રોલમાં 60 તોલા સોનુ, ત્રણ મકાન હોવા છતાં પણ કંચનબેન મગનભાઈ પીપળીયા નામના 65 વર્ષના વૃદ્ધા છેલ્લા 20 વર્ષથી એક જ ઓરડીમાં એકલાયું જીવન જીવતા […]

ભાવનગરમાં પોલીસમેનની અનોખી સેવા: નોધારા વૃદ્ધોના આધાર બનીને સગવડતા અને મનોરંજનના સાધનો સાથેનું મધર હાઉસ ઉભુ કર્યું

પોલીસનું નામ પડે એટલે દરેકનાં મનમાં પોલીસની કંઇક જુદી જ છાપ માનસપટ પર ઉભી થયેલી છે.પરંતુ પોલીસમાં પણ માનવતા હોય છે. અને કેટલાક પોલીસમેનો એવા પણ હોય છે જે ફરજ સાથે સેવાકાર્ય પણ કરી રહયા છે. અને આવા સેવા કાર્યને પણ તેઓ ફરજની જેમ પોતાની નેતીક જવાબદારી સમજી નીભાવી રહયા છે.આવા જ એક પોલીસ હેડ […]

ગૌતમ ગંભીર 1 રૂપિયામાં જરૂરિયાતમંદ લોકોને જમવાનું આપશે, ‘એક આશા જન રસોઈ’ નામથી કમ્યુનિટી કિચન શરૂ કર્યું

ગૌતમ ગંભીરે ગુરુવારે ‘એક આશા જન રસોઈ’ નામથી કમ્યુનિટી કિચન શરૂ કર્યું છે, જે 1 રૂપિયામાં દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને બપોરે જમવાનું આપશે. આ અવસરે ગંભીરે કહ્યું હતું કે વ્યક્તિની પહેલી જરૂરિયાત ખોરાક છે. અમે ઈચ્છીએ છીએ કે કોઈ ભૂખ્યા ન સૂવે. અમે આગામી દિવસોમાં દિલ્હીના બીજા વિસ્તારોમાં 5થી 6 કિચન ખોલીશું. બીજું કિચન […]

પાગલની સેવા એજ પ્રભુસેવા માનનાર સુરતના પરેશભાઈ ડાંખરા

ઘરમાં એક વ્યક્તિ અસ્થિર મગજની હોય તો પરિવારજનોને બોજ લાગે અને તેનો ઉછેર કરવો મુશ્કેલ બની જતો હોય છે. ત્યારે વરાછાના હીરાદલાલ પરેશભાઈ ડાંખરા ગાંડાઓની સેવાને સર્વસ્વ માને છે. પરેશભાઈ સાથે 20 જેટલી અસ્થિર મગજની વ્યકિતઓ રહે છે. ડાંખરાદંપતી માટે તેમની સેવા એજ પ્રભુસેવા છે. 31 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પરેશભાઈ ડાંખરાએ જણાવ્યું હતું […]

ઘરબાર અને પત્નીના દાગીના વેચીને આ માણસ વહેંચે છે હેલ્મેટ, અત્યાર સુધી 48000 હેલમેટ વહેંચ્યા, કોઈનો અકસ્માતને જીવ ન જાય એજ પ્રયાસ

મિત્રનું અકસ્માતમાં મોત થયું અને બીજો મિત્ર સેવાનો ભેખ લઈ બેઠો. આપણે વાત કરવી છે હેલ્મેટ મેનની. હા બિહારનો એ અદનો આદમી અત્યાર સુધીમાં 48 હજારથી વધુ હેલ્મેટ મફતમાં વહેંચી ચૂક્યો છે. જેની કેન્દ્ર સુધી નોંધ લેવાઈ છે. બિહારના કેમુર જિલ્લાના એક નાનકડા ગામ બગાઢીના રહેવાસી રાઘવેન્દ્ર કુમાર દેશભરમાં અત્યારસુધીમાં 48 હજારથી વધુ હેલ્મેટ ફ્રીમાં […]

સુરતના ઘરડાઘરમાં 74 વર્ષીય વૃદ્ધ મહિલાના અવસાન બાદ ઘરડાઘરની સંચાલક મહિલાઓ દ્વારા કાંધ આપી મૃતકના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં

સામાન્ય રીતે મહિલાઓને અંતિમવિધિ માટે સ્મશાનમાં જવાનું હોતું નથી. પરંતુ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા શાંતિદૂત મહિલા મંડળ સંચાલિત ઘરડા ઘરમાંથી અવસાન પામતા વૃદ્ધાની સેવા બાદ અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય પણ મહિલાઓ દ્વારા તેમના સંતાન બનીને કરવામાં આવે છે. ઘરડાઘરમાં 3 વર્ષથી રહેતા લલીતબાના અવસાન બાદ મંડળના સંચાલિકા મધુબેન ખેની દ્વારા મુખાગ્નિ આપીને પુત્ર તરીકેની ફરજ […]

લગ્નોમાં થતા લખલૂટ ખર્ચને અટકાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદાર સહિત તમામ સમાજની દીકરીનાં લગ્ન 41 હજારમાં કરાવી આપશે, બંને પક્ષ માટે તમામ સુવિધા પૂરી પાડશે

લગ્નોમાં થતા લખલૂટ ખર્ચને અટકાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને પાર્ટી પ્લોટ, હોલ, ફાર્મ હાઉસ તેમજ ઘરે બંધાતા મંડપને બદલે જાસપુર ખાતે આવેલા ઉમિતા માતાના મંદિરમાં જ લગ્નવિધિ સંપન્ન કરવા પહેલ કરી છે. ઉમિયા ફાઉન્ડેશન લગ્નોમાં થતા લાખોના ખર્ચાને બદલે માત્ર 41 હજારમાં લગ્ન કરાવી આપશે. ફાઉન્ડેશન કન્યાને 7 હજારનું પાનેતર, લગ્નમાં આવેલા જાનૈયા સહિતના મહેમાનો માટે […]

સુરતના તબીબે તલાલાના જંગલમાં વૃદ્ધાનું બંધ હૃદય 12 મિનિટમાં ધબકતું કર્યું, ચાલુ બાઇકે અટેક આવતાં નીચે પટકાયાં હતાં

સુરત શહેરના ડો.રાજેશ પ્રજાપતિ પોતાનાં માતા-પિતા સાથે સોમનાથ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે સાસણગીર અને તલાલા વચ્ચે તેમની નજર બાઈક પર પસાર થઈ રહેલાં વૃદ્ધ દંપતી પર પડી હતી. દંપતી પૈકી પત્નીને ચક્કર આવી રહ્યાં અને તેઓ પરસેવે રેબઝેબ થઈ બાઈક નીચે પટકાયાં હતાં. પડતાંવેંત જ તેઓ બેભાન થયાં હતાં અને તેમનું હૃદય […]