Browsing category

સમાચાર

પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે 25 જૂને 25% સ્કૂલ ફી માફીની જાહેરાત કરી હતી; નવા શિક્ષણમંત્રીએ ચાર્જ સંભાળ્યાના અઢી મહિના પછી પણ કોઈ નિર્ણય લીધો નથી, પરિપત્ર જાહેર કરે તો વાલીઓને 1000 કરોડની ફીની રાહત મળી શકે

કોરોના મહામારીને કારણે રાજ્યમાં સવા વર્ષ કરતાં વધુ સમય સુધી સ્કૂલો બંધ રહી હતી, જેને પગલે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. કોરોનાએ આરોગ્યની સાથે સાથે લોકોને આર્થિક રીતે પણ નબળા પાડી દીધા છે, જેને કારણે તત્કાલીન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 25 જૂન, 2021ના રોજ ગત વર્ષની જેમ આ વર્ષે પણ 25 ટકા સ્કૂલ ફી […]

ગાંધીનગરના સાંતેજમાં ત્રણ વર્ષની બાળકી સાથે રેપ કરનારને 27 દિવસમાં મળી આજીવન કેદની સજા, બે દિવસમાં ત્રણ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું

ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં ત્રણ વર્ષની એક બાળકીની હત્યા નીપજાવી દુષ્કર્મ ગુજારવાના મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મહત્ત્વનું છે કે માસૂમ બાળકીની હત્યા અને દુષ્કર્મ કેસમાં પોલીસે માત્ર આઠ દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી માત્ર 14 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી સજા ફટકારી દાખલો બેસાડ્યો છે. ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા […]

બંગાળની ખાડીમાં ‘જવાદ’નો ખતરો: ઓડિશા-આંધ્રમાં વાવાઝોડાને પગલે અલર્ટ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં શરૂ થતા પ્રેશરને કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ચક્રવાતી વાવાઝોડું આવવાની શક્યતા છે. હકીકતમાં બંગાળની ખાડીમાં એક ચક્રવાતી સંરચના વિકસિત થઈ રહી છે, જે ચાર ડિસેમ્બર એટલે કે શનિવારની આસપાસ આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકિનારે પહોંચવાની શક્યતા છે. આને કારણે જે વાવાઝોડું સર્જાશે, જેને જવાદ (JAWAD) નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, જવાદ શનિવાર સુધી […]

મોડી રાત્રે ગીર-સોમનાથના દરિયામાં ભારે પવન અને વરસાદને કારણે 15 બોટ ડૂબી, 15 જેટલા માછીમાર લાપતા, 4નો બચાવ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી માવઠું થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 15 જેટલી બોટ દરિયામાં ડૂબી હોવાની માહિતી મળી છે. એ ઉપરાંત 15 જેટલા માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં 4 માછીમારને બચાવી લેવાયા છે. […]

4 લાખની રિક્વરીથી યુવક હેરાન હતો, અંતે અઢી પેજની નોટ લખીને ટ્રેનની આગળ કૂદી ગયો, સુસાઈડ પહેલાનો ઓડીયો સામે આવ્યો કહ્યું- લાશમાંથી પૈસા લઈ લેજો

રાજસ્થાનના કોટોના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે ટ્રેનની આગળ કૂદકો મારીને મૃત્યુને વહાલું કર્યું છે. મંગળવારે સવારે 4 વાગ્યે યુવકની લાશ ટ્રેક પર મળી હતી. મૃતકની પાસેથી અઢી પેજની સુસાઈડ નોટ મળી છે. જે લીકરની દુકાનમાં સેલ્સમેન હતો. સુસાઈડ કરતા પહેલા યુવકનો લીકર મેનેજર સાથે વાતચીત કરતો ઓડિયો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પૈસાના […]

માં ની બહાદુરીને સલામ! 8 વર્ષના બાળકને ચિત્તો ઉપાડી ગયો, એક કિમી સુધી પીછો કરીને ચિત્તાના મોંઢામાંથી દીકરાને બચાવી લાવી મા

ચિત્તાના જબડામાંથી પોતાના દીકરાને એક મા બચાવી લાવી. માતા પર બે વખત ચિત્તાએ હુમલા કર્યા હતા. આ ઘટના બાદ આદિવાસી વિસ્તારમાં ડરનો માહોલ ઉત્પન્ન થઈ ગયો છે. વર્ષની અંદર આ બીજી ઘટના છે. જોકે આ દરમિયાન બંને ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા છે. આ બંને જ ઇજાગ્રસ્તોની સારવાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુસમીમાં ચાલી રહી છે. […]

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે રૂ. 140 કરોડના ખર્ચે બનશે નવા ક્વાટર્સ, 9 માળના 12 ટાવર બનશે, જાણો કેવી હશે સુવિધા?

ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ધારાસભ્યો માટે રૂપિયા 140 કરોડના ખર્ચે અત્યાધૂનિક નિવાસસ્થાનો બનવા જઈ રહ્યાં છે. આગામી 28 ફેબ્રુઆરી, 2022ના રોજ નવા MLA ક્વાટર્સનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગર સેક્ટર 17 ખાતે 28 હજાર ચોરસ મીટરમાં રૂપિયા 140 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે નવું નિવાસ સ્થાન તૈયાર કરાશે. આ માટે 9 માળના […]

સુરતમાં પતિના ભાભી સાથેના અનૈતિક સબંધથી પરેશાન મહિલાએ ભર્યું ખૌફનાક પગલું, 4 વર્ષના બાળકની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કર્યો

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક માતાએ પોતાના 4 વર્ષના બાળકની હત્યા કર્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની કરૂણ ઘટના સામે આવી છે. મૃતક મહિલાએ અંતિમ પગલુ ભરતા પહેલા સ્યૂસાઈડ નોટમાં પતિના અનૈતિક સબંધનો ઉલ્લેખ કર્યો છે. હાલ તો પોલીસે સ્યુસાઈડ નોટના આધારે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

સાળંગપુરમાં બની રહ્યું છે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય: એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઈ શકશે, ગૅસ, અગ્નિ, વીજળી વગર રસોઈ બનશે, 40 કરોડનો ખર્ચ થશે

યાત્રાધામ સાળંગપુર ગુજરાતનું એક પ્રસિદ્ધ સ્થળ છે. મોટી સંખ્યામાં લોકો સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શને આવે છે. ત્યારે કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજીના સાનિધ્યમાં સાળંગપુરમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય આકાર લઈ રહ્યું છે. આ ભોજનાલયની ખાસિયતની વાત કરવામાં આવે તો તેમાં એક સાથે 4 હજાર લોકો પ્રસાદ લઇ શકશે અને તે 7 વીઘા જમીનમાં બનાવવામાં આવશે. […]

આણંદમાં રખડતી ગાયના પેટમાંથી આઇસક્રીમની વાટકીઓ, ચમચીઓ સહિત 77 કિલો પ્લાસ્ટિક મળ્યું; 2 કલાક ચાલી સર્જરી

આણંદના વેટરિનરી વિભાગ દ્વારા તાજેતરમાં એક રખડતી ગાયના પેટમાંથી 77 કિલો પ્લાસ્ટિકનો વેસ્ટ કાઢવામાં આવ્યો હતો. પોણાબે કલાક સુધી તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન કરીને વેસ્ટને બહાર કાઢી ગાયને બચાવી લીધી હતી. ગાયને માતા માનવામાં આવે છે, પરંતુ ચરોતરમાં છેલ્લા કેટલાય સમયથી ગાયની હાલત દયનીય બની ગઈ છે. પશુસમૃદ્ધિ માટે જાણીતા ચરોતરમાં આણંદ વેટરિનરી વિભાગને પ્રતિ અઠવાડિયે […]