Browsing category

સમાચાર

પહેલેથી PMથી લઈને સરપંચ સુધીના લોકો ગુનેગારોને સુરક્ષા પૂરી પાડે છેઃ BJP MP

ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયા બાદ પણ અનેક પ્રશ્નોને લઈને ચર્ચા પર કોઈ પૂર્ણ વિરામ મૂકાયું નથી. આ મામલાને લઈને મધ્ય પ્રદેશ ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાએ જણાવ્યું હતું કે, રાજનેતાઓ જ ગુનેગારોને સુરક્ષા પૂરી પાડે છે. જેમાં મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીના લોકોનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશના રીવાથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા […]

અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી 9 કલાકના રોકડા 75 હજાર વસૂલ્યા, જેમાંથી PPE કિટના નામે જ 27 હજાર ખંખેરી લીધા

અમદાવાદ: કોરોના મહામારીના સમયમાં કેટલીક ખાનગી હોસ્પિટલોએ વીમા કંપનીઓ સાથે મળીને દર્દીઓને લૂંટ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. આવા મામલે ગ્રાહક સુરક્ષામાં 1200 જેટલી ફરિયાદો દાખલ થઈ છે, જેમાં ઝાયડસ, નિધિ હોસ્પિટલ સહિતની શહેરની અન્ય ખાનગી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. શારીરિક, માનસિક અને આર્થિક રીતે પડી ભાંગેલા દર્દીઓની સારવારના નામે ખાનગી હોસ્પિટલે માત્ર કલાકો રાખવાના […]

અનુપમ ખેરનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો, માતા અને ભાઇ સહિત 4 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો

બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન અને તેના પુત્ર અભિષેક બચ્ચનને કોરાના પોઝિટિવ આવ્યા બાદ અભિનેતા અનુપમ ખેરની માતા અને ભાઇ સહિતી પરિવારના 4 લોકોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. અનુપમ ખેરે રવિવારે સવારે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો અનુપમે વીડિયોમાં જણાવ્યું […]

ગુજરાતમાં ફરી લૉકડાઉન કરવાની વાતો માત્ર અટકળો, આવી કોઈ સંભાવના નથી: રાજ્ય સરકારની સ્પષ્ટતા

હાલ રાજ્યમાં અનલૉકના તબક્કામાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ આગળ વધી રહી છે. રાજ્યમાં હવે રોજનાં કોરોના કેસ નોંધાવવાનો આંક 800ને પાર થઈ ગયો છે. રાજ્યમાં ગઇકાલે કોરોનાના વધુ 872 કેસ નોંધાયા હતા. ત્યારે ગુજરાતમાં કોરોનાનું સંકટ વધતા રાજ્યમાં ફરી એકવાર લૉકડાઉન થઇ શકે તેવી અટકળો વહેતી થઇ […]

ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યું અમદાવાદનું RTO, લોકડાઉનમાં બધું બંધ છતાં સામે આવ્યું આ કૌભાંડ

અમદાવાદ આરટીઓ અવારનવાર પોતાના ભ્રષ્ટાચારને કારણે ચર્ચામાં આવતું રહે છે. સરકારનાં અનેક પ્રયાસો છતાં પણ અમદાવાદ આરટીઓમાં ભ્રષ્ટાચાર મટી રહ્યો નથી. તેવામાં અમદાવાદ આરટીઓમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. અને તે પણ લોકડાઉનનાં સમયમાં. લોકડાઉનમાં આરટીઓમાં કામગીરી બંધ હોવા છતાં વાહનો ટ્રાન્સફર કરાયા હોવાનું કૌભાંડ સામે આવતાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને ચાર […]

અમદાવાદથી સુરત આવતી-જતી એસટી બસો બંધ, કોરોના વધતાં લેવાયો નિર્ણય

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં સુરત શહેર કોરોનાનું હોટસ્પોટ બનતું જોવા મળી રહ્યું છે. ત્યારે ST બસ સેવાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધતા કેસને લઇને સુરતથી અમદાવાદ આવતી-જતી તમામ એસટી બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

સુરતમાં દર કલાકે 5 અંતિમ સંસ્કાર, સ્મશાનોમાં લાગી કતાર, છેલ્લાં ત્રણ દિવસમાં 170 મૃતદેહના કોવિડ-19 ગાઇડલાઇન મુજબ કરાયા અંતિમ સંસ્કાર

કોવિડ-19 સુરતમાં કાબૂની બહાર જઈ રહ્યો હોવાની સ્થિતિ સામે આવી રહી છે. કેસોની સંખ્યા હવે ડિસ્ટ્રીક્ટની સાથે 300 થી વધુ થઈ ગઈ છે ત્યાં મોતનો આંકડો સરકારી ચોપડે 275 (સિટી) બોલી રહ્યો છે. અલબત્ત, કોવિડ ગાઇડલાઇન મુજબ જે અંતિમક્રિયા કરવામાં આવી રહી છે તે ડરાવનારી હકિકત રજૂ કરે છે. છેલ્લાં ત્રણ દિવસમાં શહેરમાં 170 બોડીનું […]

મહીસાગરના ભાજપના યુવા મોરચાના હોદ્દાદારની બર્થ ડે પાર્ટીમાં બીયરની છોળો ઉડી, તલવારથી કેક કાપતો વીડિયો વાઈરલ

ગુજરાતમાં એક તરફ કોરોના સંકટ તો બીજી તરફ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને બર્થડેની ઉજવણી કરી રહ્યા છે. આ લૉકડાઉન અને દારૂબંધીના નિયમોને નેવે મૂકીને ભાજપના જ કાર્યકરોનો બર્થડેની ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. જોકે મહીસાગર પોલીસ દ્વારા 7 લોકોને ધરપકડ કરાઇ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

મોરથળાના કોળી સમાજની સુધારણાની દિશામાં નવી પહેલ: મૃત્યુ બાદ જમણવાર નહી, 3 દિવસનો જ લૌકિક વહેવાર

સમાજમાં વર્ષોથી ચાલ્યા આવતા કુરીવાજો દૂર થાય તેવુ અનેક લોકો ઇચ્છે છે. પરંતુ કોઇ આગળ નથી આવતુ આવા સમયે મોરથળા ગામના કોળી સમાજના આગેવાનોએ બેઠક યોજીને પોતાના ગામમાં રહેતા કોળી સમાજના લોકોએ પહેલ કરીને મૃત્યુ બાદ કરવામાં આવતો જમણવાર બંધ કરવાનો નિર્ણય જાહેર કરી સમગ્ર કોળી સમાજની સાથે અન્ય સમાજના લોકોને પણ નવી દિશા આપી […]

અમિતાભ અને અભિષેક બચ્ચનને કોરોના, બાકીનો પરિવાર સુરક્ષિતઃ બંનેને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા છે. અમિતાભને શનિવારે રાત્રે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. 77 વર્ષીય અમિતાભે રાત્રે 10:52 વાગ્યે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. બિગ-બી સંક્રમિત થયા પછી તેમના પરિવાર અને સ્ટાફનો પણ ટેસ્ટ કરાયો હતો. અમિતાભને કોરોના સંક્રમણના લક્ષણ છે કે નહીં, એ વિશે હજુ કશું […]