Browsing category

સમાચાર

ચેતજો! ‘કોરોના વાયરસથી બચવું હોય તો વિધિ કરાવો’ બાપુના પગલા પડાવો, કોરોના નહીં થાય, ગુરૂ મહારાજે આપી જાહેરાત

કોરોના મહામારીમાં પણ કેટલાક લોકો દર્દીઓને આર્થિક તથા માનસિક તકલિફમાં મૂકી રહ્યા છે. એક નિર્ધારિત સમયમાં લોકોના ઘરકંકાસ, પ્રેમ સંબંદ અને નોકરી મેળવવા તથા ધાર્યું પિરિણામ માટે વિધિ-વિધાનના નામે ધતિંગલીલા અને ઢોંગ કર્યાનું તો તમે ખુબ સાંભળ્યું હશે. પણ હવે તો આવા પાખંડી લોકો અંધશ્રદ્ધાના નામે કોરોનાને પણ હંફાવવા મેદાને આવી ગયા છે. એક તરફ […]

નેતાઓને માસ્કના મુદ્દે છૂટ ને પ્રજાને દંડ, સુરતમાં પ્રેગ્નન્ટ મહિલાએ શ્વાસ વધુ લેવા માટે નાક નીચે માસ્ક રાખતા પોલીસે કારને પાટું મારી હજાર રૂપિયા વસૂલ્યા

ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે આ કવિતા કોરોના સમયમાં બરાબર ફીટ બેસતી હોય તેવો ઘાટ સર્જાયો છે.કોરોના સંક્રમણ વધતા નિયમો આકરા બનાવવામાં આવ્યાં છે. પરંતુ આ નિયમો માત્ર સામાન્ય લોકોને જ લાગૂ પડતાં હોય તેમ નેતાઓ બેફામ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતાં જોવા મળે છે. જ્યારે સામાન્ય માણસને હજારોનો દંડ […]

અમદાવાદમાં દર્દીનું મોત થતા પરિવારજનો વિફર્યા, ચાંદખેડામાં આવેલી TLGH હોસ્પિટલમાં તોડફોડ, સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ

ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસે આવેલી કોરોના ની સારવાર આપતી ટી. એલ. જી .એચ. હોસ્પિટલમાં મંગળવારે મોડી રાત્રે એક પેશન્ટ ના સગા સંબંધીઓએ તોડફોડ કરી હતી. હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલા યુવાનને મંગળવારે રાત્રે રજા આપવાની હતી. જો કે રજા આપવાના સમયે જ એકાએક યુવાનનું મૃત્યુ નીપજયું હોવાની જાહેરાત હોસ્પિટલ સત્તાવાળાઓએ કરી હતી. જેથી રોષે […]

ભયંકર અકસ્માત: 100 ફૂટનો પાઈપ ચાલુ બસ ફાડીને બહાર નીકળ્યો, મહિલાની ગરદન કપાઈ, યુવકનું માથું ફાટ્યું, બન્નેનાં મોત

પાલી જિલ્લામાં જયપુર-અમદાવાદ નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ ગામ પાસે ભયંકર અકસ્માત થયો હતો, જેમાં બેનાં મોત થયાં છે અને 11 લોકો ઘાયલ થયા છે. મંગળવારે સાંજના 4.30 વાગ્યે ગેસ પાઈપલાઈન પાથરતી વેળાએ કંપનીના અધિકારીઓ અને બસ-ડ્રાઈવરની લાપરવાહીને કારણે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. કંપનીની ટીમ હાઈડ્રોલિક મશીનથી પાઈપ ઉઠાવીને ખાડામાં મૂકી રહી હતી, પરંતુ પવનને […]

આરોપી છે કે અતિથિ?: રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ, સોફા પર બેસાડી વિવિધ ફ્રૂટ્સ અને બિસ્લેરીનું પાણી અપાયું, વીડિયો વાયરલ

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલ (Uday Shivanand Covid 19 Hospital Fire)માં સર્જાયેલા અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસે રવિવારે ત્રણ નામાંકિત તબીબો (Doctors)ની ધરપકડ કરી હતી. આ ત્રણેય નામાંકિત ડૉક્ટરોને જજ એલ.ડી.વાઘની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ લોકોના જામીન પર મુક્ત કર્યા છે. બીજી તરફ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે તે પહેલાં જ […]

ખેડૂતોને મનાવવાના સરકારના પ્રયાસ નિષ્ફળ રહ્યાં, સરકાર સાથેની બેઠક બાદ ખેડૂત નેતાઓ બોલ્યા “કા તો ગોળી મળશે, અથવા સમાધાન, આંદોલન ચાલુ રહેશે”

નવા કૃષિ કાયદા (Farmers Bill)નો વિરોધ કરી રહેલા ખેડૂતો (Farmers)ના 35 આગેવાનો સાથે કેન્દ્રીય મંત્રીઓની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહીં. દિલ્હી (Delhi)માં વિજ્ઞાન ભવનમાં 3 કલાકથી વધારે સમય સુધી ચાલેલી બેઠક (Meeting)માં વાત વાત નથી બની. જોકે સરકાર (Government) અને ખેડૂતો બંનેએ વાતચીતને સારી ગણાવી છે. હવે 3 ડિસેમ્બરના આગામી તબક્કાની વાતચીત થશે. કેન્દ્રએ નવા […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પાર્કિંગ ફી નાણાં બેંકમાં જમા નહીં કરાવીને ખાનગી એજન્સીએ 5.24 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો, HDFC બેંકની કેશ કલેક્શન એજન્સી સામે કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ 2 વર્ષના સમયગાળામાં 40 લાખથી પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે અને 80 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે, ત્યારે તાજેતરમાં બે વર્ષના ઓડિટ દરમિયાન એક મોટી ઉચાપત સામે આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આવકના નાણાં લઇને બેંકમાં જમા કરાવનાર એજન્સી દ્વારા 5.24 કરોડ રૂપિયા બેંકમાં જમા નહીં કરાઈ હોવાની વાત […]

ધોરણ 1થી 9 અને ધો.11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવાની પ્રબળ શક્યતા, ધો.9 અને 11ના મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા લેવા પર પણ વિચારણા

રાજ્યમાં કોરોના મહામારીને પગલે 8 મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. હાલ ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. દિવાળી પહેલાં રાજ્ય સરકારે 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો હતો, પરંતુ સરકારના આ નિર્ણય સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. આમ છતાં સરકાર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના ભોગે પણ સ્કૂલો શરૂ કરવા માગતી હતી, પરંતુ દિવાળી તહેવારો […]

1 જાન્યુઆરીથી ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટોલ ભરવો પડશે, તમામ ટોલપ્લાઝા પર કેશ ટ્રાન્ઝેક્શન બંધ થશે

ટોલ પ્લાઝા પરની તમામ કેશ લેનને 1 જાન્યુઆરી, 2021થી ફાસ્ટેગ લેનમાં બદલવામાં આવશે. તેથી, 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર કેશ દ્વારા ચૂકવણી નહીં થઈ શકે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ટોલ પ્લાઝા પર પ્રિ-પેઇડ ટચ-એન્ડ-ગો કાર્ડ રજૂ કરશે. NHAIના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટોલ પ્લાઝા પર ભીડભાડ ન થાય એ માટે 1 જાન્યુઆરીથી તમામ હાઇબ્રિડ […]

કેમ નેતાઓને નિયમ લાગુ ના પડે? સામાન્ય માણસને લગ્ન માટે 100ની પરમિશન ને ભાજપના પૂર્વ MLA કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં હજારોનો મહેરામણ

કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લગ્નમાં પણ માત્ર ગણતરીના લોકો હાજર રહી શકે એવા નિયમો સરકારે બનાવ્યા છે. જોકે સામાન્ય લોકોને લાગુ પડતા ગાઈડલાઈન્સના નિયમો નેતાઓને લાગુ ન પડતાં હોય એવો વિડિયો સામે આવ્યો છે. સોનગઢના ડોસવાડા ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોય છે. ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની […]