Browsing category

સમાચાર

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, ઓનલાઈન અભ્યાસના તણાવથી સુરતમાં ધો.11ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો

હાલ કોરોના મહામારીને કારણે અનેક લોકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે. અને તેમાં પણ બાળકો માટે આ સમયગાળો ખુબ જ આકરો સાબિત થઈ રહ્યો છે. કોરોના મહામારીનો ડર તેમના દિમાગમાં તો ઘૂસી જ ગયો છે. પણ સાથોસાથ અભ્યાસનાં ટેન્શનમાં પણ તેઓ ડિપ્રેશનમાં આવી રહ્યા છે. તેવામાં સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધોરણ 11ની […]

પુણેમાં મહિલા ટ્રાફિકકર્મીએ પાછળના ખિસ્સામાં રૂપિયા મૂકાવી લાંચ લીધી, જાગૃત યુવકે વિડિયો ઉતારીને ભાંડો ફોડ્યો

આ વીડિયો મહારાષ્ટ્રના પુણેના શગુન ચોકનો છે. અહીં એક મહિલા ટ્રાફિકકર્મીએ હાથ અડાડ્યા વગર એક યુવતી પાસેથી અનોખી રીતે લાંચ લીધી હતી. રોડ પર ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે સ્કૂટી પર આવતી બે યુવતીને રોકી અને તેમાંથી એકને પાસે બોલાવી લાંચ માગી તેને કહ્યું, ‘પાછળના ખિસ્સામાં રૂપિયા મૂકી દો’. જે બાદ યુવતીએ મહિલા કોન્સ્ટેબલના પાછળના ખિસ્સામાં […]

ખાદી બોર્ડ ટૂંક સમયમાં ગાયના છાણમાંથી બનેલો વૈદિક કલર કરશે લોન્ચ, વૈદિક કલર તમારા ઘરને બેક્ટેરિયાથી બચાવશે

ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) ટૂંક સમયમાં ગાયના છાણમાંથી બનેલો વૈદિક કલર લોન્ચ કરશે. આ અંગે કેન્દ્રીય MSME મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટર પર આ વૈદિક કલરનો ફોટો શેર કરી માહિતી આપી હતી અને કહ્યું હતું કે આનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનાવવામાં મદદ મળશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. KVICના ચેરમેન વી. કે. સક્સેનાએ […]

અમદાવાદમાં પોલીસકર્મીની ‘લુખ્ખી’ દાદાગીરીનો વિડિયો વાઇરલ: માસ્ક કેમ નથી પહેર્યું કહીને યુવકને ઢોર માર માર્યો

અમદાવાદ (Ahmedaba)માં ફરી એકવાર પોલીસકર્મી (PoliceMan)ની દાદાગીરી સામે આવી છે. પોલીસકર્મીએ પોતાનો રોફ જમાવવા માટે સોસાયટીના સિક્યુરિટી સુપરવાઈઝર (Security Supervisor)ને માર માર્યો હોવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં માસ્ક (Mask)મુદ્દે પોલીસકર્મીએ સુપરવાઈઝરને માર માર્યાનો આરોપ લાગી રહ્યો છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ત્યારે અમદાવાદમાં પોલસકર્મી અને સિક્યુરિટી સુપરવાઈઝરને […]

વડોદરામાં લવ-જેહાદનો મામલો: નાગરવાડાના મુસ્લિમ યુવકે બ્રાહ્મણ પ્રેમિકાને ભગાડી લઇ જઇ મુંબઇમાં ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરતાં હોબાળો

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક ગત 2જી ડિસેમ્બરે ઘેરથી ભગાડી ને મુંબઈ લઈ ગયા બાદ 6 તારીખે બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચ્યો હતો. યુવતી અને યુવકને બુધવારે સાંજે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. જયાં બંનેનું ચાર […]

રાજકોટમાં અધૂરા મહિને જન્મેલ બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 14 દિવસ સુધી વેન્ટિલેટર પર રહી કોરોના સામે મેળવી જીત

રાજકોટના ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાના કારણે બાળકના જન્મની ખુશી અત્યંત પીડાજનક રહી હતી. બાળક હસતું રમતું હોય તેના બદલે બાળક કોરોના પોઝિટિવ આવતા ઇન્જેક્શનની સોય, પાટા પિંડી અને વેન્ટિલેટરની નળીથી ભરેલું નવજાત બાળકનું શરીર કોઈ પણ હિંમતવાનને હચમચાવી દેવા માટે પૂરતું છે. આ પરિસ્થિતિમાં બાળકે નવજીવનની હિંમતભેર શરૂઆત કરી. માત્ર 14 દિવસમાં સિવિલના […]

મામી અને ભાણેજની પ્રેમ કહાનીનો આવ્યો કરુણ અંજામ: મામીના પ્રેમમાં પડેલા ભાણેજનું મામાએ કાસળ કાઢી નાખ્યું

કહેવાય છે કે, જર જમીન અને જોરું, ત્રણેય કજિયાના છોરું. આ વિશ્વમાં અનેક યુદ્ધો પણ લડાઈ ચૂક્યા છે. આવું જ કંઈક વિરપુર (Virpur Jalaram)માં બન્યું છે. અહીં મામા (Maternal Uncle)એ તેના ભાણેજની હત્યા (Murder) કરી નાખી છે. હત્યાનું કારણ હતું કે ભાણેજ તેની મામીના એટલે કે આરોપીના પ્રેમમાં પડ્યો હતો. ભાણેજની હત્યા માટે મામએ જે […]

ઠંડીમાં હિટરથી પાણી ગરમ કરતી મહિલાઓ સાવધાન, નડિયાદમાં હિટરથી કરંટ લાગતાં મહિલાનું મોત નિપજયું, બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

નડિયાદના અમદાવાદી બજાર વિસ્તારમાં રહેતા એક સામાન્ય પરિવારની પરિણીત મહિલાને સવારના સમયે હિટરથી કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાને કારણે મહિલા દૂર ફંગોળાતા લોખંડના દરવાજા સાથે અથડાઈ હતી. જેને કારણે વધુ કરંટ લાગ્યો હતો. સારવાર મળે તે પહેલાં મહિલાનું મોત નિપજયું હતું. બનાવને પગલે પરિવારના હૈયાફાટ રુદનથી શોકનું મોજુ ફરી વળ્યું હતું. નડિયાદના અમદાવાદી બજારની બહાર […]

માવઠાને કારણે વીરપુરના ખેડૂતનો કોબિજ અને ફ્લાવરનો પાક નિષ્ફળ, 10 વીઘાના પાક પર રોટાવેટર ફેરવી નાખ્યું, કહ્યું માર્કેટમાં 1 રૂપિયે કિલો લેવા કોઈ તૈયાર નથી

તાજેતરના માવઠાએ સૌરાષ્ટ્રના અસંખ્ય ખેડૂતોની માઠી દશા કરી નાખી છે. જેમાં યાત્રાધામ વીરપુરમાં કેટલાક ખેડૂતોએ શાકભાજીમાં ફ્લાવર અને કોબીજનું વાવેતર કર્યુ છે. જેના પર માવઠું થતાં ફ્લાવરનો પાક બગડવા લાગ્યો અને ખુલ્લી બજારમાં ભાવ પણ તળિયે બેસી જતા કેટલાક ખેડૂતોએ ઉભા ફલાવરના પાકમાં રોટાવેટર ફેરવી દીધું છે. હસમુખભાઈ સાકરીયા નામના ખેડૂતે જણાવ્યું હતું કે, મેં […]

ખેડૂતોના સમર્થનમાં શીખ સંત રામ સિંહે આંદોલન સ્થળે આપઘાત કર્યો, સુસાઈડ નોટમાં લખ્યું – આ જુલમ વિરૂદ્ધનો અવાજ

ખેડૂત આંદોલન દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં 65 વર્ષના સંતે આત્મહત્યા કરી છે. તેમની ઓળખ કરનાલના સિંઘરા ગામના બાબા રામ સિંહ તરીકે થઈ છે. તેઓ ગુરુદ્વારા સાહિબ નાનકસરના સંત હતા. તેમના અનુયાયીઓની સંખ્યામાં લાખોમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સ્યુસાઇડ નોટ- આ પગલું ખેડૂતોના હક […]