લ્યો બોલો, જીવતા લોકોને કોરોનાની રસી મળવાનાં ફાંફાં છે, ત્યાં ગોધરામાં આરોગ્ય વિભાગે મરેલાને રસી મૂકી દીધી!
કોરોનાને નાથવા કોરોનાની રસી જ કારગત છે, ત્યારે સરકાર દ્વારા વેક્સિનેશન કેમ્પો કરીને રસીકરણ કાર્યકમો કરવામાં આવી રહ્યા છે. એક બાજુ કોરોનાની રસીનો પૂરતો જથ્થો ન આવતાં કેટલાક લોકો રસીકરણથી વંચિત રહી જાય છે, જ્યારે મોટાં શહેરમાં લોકો પૈસા આપીને રસી મુકાવી રહ્યા છે. પંચમહાલમાં જીવતાને કોરોનાની રસી મળતી નથી, ત્યારે મૃતકનું રસીકરણ થયું છે. […]