Browsing category

મંદિર

1000 વર્ષ જૂના ડભોડીયા હનુમાનજીના મંદિરનો ઈતિહાસ

ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનું હનુમાન દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ અતિપ્રાચીન મંદિર આવેલું છે. મુગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઇ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ જગ્યા ઉપર દેવગઢનું ગાઢ જંગલ આવેલું હતું. રાજની ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડો દેવગઢના જંગલમાં આવતાં હતાં. […]

એક દેડકો કરે છે શિવમંદિરની રક્ષા, દેડકાની મૂર્તિના દર્શન કરવા દૂરદૂરથી આવે છે લોકો

તમે અલગ-અલગ ભવનનના મંદિર જોયા હશે. ભારતમાં ઘણા એવા મંદિર છે જેમાં જાનવરોની પૂજા થતી હોય છે. શું તમે દેડકાનું કયારેય જોયું છે ?ભારતમાં એક માત્ર એવું મંદિર છે જેમાં દેડકાની પૂજા થાય છે. ચાલો જાણીયે ભારતમાં ક્યાં છે આ મંદિર. આ મંદિરની સુરક્ષા એક દેડકો કરે છે દેશના ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના ઓયલમાં આવેલા […]

શું તમે દ્વારાકાધીશ મંદિરની ધજા પાછળ છુપાયેલા આ રહસ્યો જાણો છો?

ગુજરાતનું દ્વારાકાધીશ મંદિર હિંદુઓના પ્રમુખ ધાર્મિકસ્થળમાં આવે છે. હિંદુ ધર્મમાં જે ચારધામની યાત્રાનું મહત્વ છે તેમાંથી એક એટલે કે દ્વારકા અને અહીં આવેલું છે દ્વારકાધીશ કૃષ્ણનું મંદિર. આ એજ જગ્યા છે જ્યાં હજારો વર્ષ પહેલા દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્વ છે. આ ધજાની ખાસિયત છે કે પવન ગમે […]

શ્રી હરસિદ્ધિ માતા મંદિર, હર્ષદ (દ્વારકા)

સમુદ્રકાંઠે કોયલા ડુંગર નામની પહાડી પર આવેલા હરસિદ્ધિ માતાનું મંદિર હર્ષદ માતા તરીકે પણ ઓળખાય છે. પુરાણ કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે અસુરો અને જરાસંઘને હરાવવા માટે મા અંબાની ઉપાસના કરી હતી. જરાસંધ વધ પછી શ્રીકૃષ્ણે આ સ્થળે સિદ્ધિઓની દાતા દેવી સ્વરૂપે હરસિદ્ધિ મંદિરનું નિર્માણ કર્યું હતું. હરસિદ્ધિ માતા યાદવોના કુળદેવી તરીકે પૂજાય છે. હરસિદ્ધિ માતા […]

શ્રી મહાકાળી માતા મંદિર, પાવાગઢ

દેશભરમાં ફેલાયેલી કુલ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે પાવાગઢ સ્થિત મહાકાળી. દેવી પાર્વતીનું આ સ્વરૂપ અસૂરોના નાશ માટે સર્જાયું છે અને તેની ઉપાસના, આરાધનાથી વ્યક્તિના જીવન ફરતે વિંટળાયેલા આસુરી પરિબળો નાશ પામતાં હોવાની શ્રદ્ધા ભાવિકો ધરાવે છે. ઘોર તપસ્યા માટે પણ આ સ્થાન ઉત્તમ મનાય છે. પાવાગઢના કાલિકા માતાજી દક્ષિણ કાળી તરીકે પૂજાય છે. […]

સોમનાથ : રહેવાની આવી સારી વ્યવસ્થા અને આટલું છે ભાડું

પ્રથમ જ્યોતિર્લિંગમાં સોમનાથનું નામ છે. આજે તેની વાત કરીશું. અહીં કેવી રીતે જવું, રહેવા અને જમવાની કેવી વ્યવસ્થા છે અને કેટલું ભાડું છે. સાથે એ પણ જણાવીશું કે દર્શન અને આરતીનો સમય શું છે. મંદિર: સોમનાથ મંદિર સંચાલન: શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન કરવામાં આવે છે. નિર્માણ: ગુજરાતનું સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ છે. આ મંદિરને હિન્દુ […]

અંબાજી મંદિર: રહેવાની છે સારી વ્યવસ્થા અને આટલું છે ભાડું

બનાસકાંઠામાં આવેલા અંબાજી મદિરનું મહાત્મ્ય ઘણું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ માતાના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. આ મંદિરે કેવી રીતે જવું, ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા કેવી છે, તેમજ રહેવા માટેનો ચાર્જ કેટલો છે, સાથે મંદિરમાં બીજા આકર્ષણો કયા કયા છે. આ બધી વાત આજે અહીં કરવી છે. સ્થળઃ અંબાજી મંદિરઃ શ્રી આરાસુરી અંબાજી માતા […]

ગુજરાતનાં આ ગામે એક કરોડથી પણ વધારે શ્રીફળનાં ઢગલા પર બિરાજે છે હનુમાનજી

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લાખણી ગામથી ત્રણ કિ.મી. દૂર ગેળા ગામમાં આવેલ અનોખા હનુમાન મંદિરે શનિવારના રોજ મેળા જેવો માહોલ સર્જાય છે. આ હનુમાન મંદિર ભક્તજનોનું આસ્થાનું કેન્દ્ર બનતા છેલ્લા પાંચ-છ દાયકાથી અહિંયા ભક્તજનો શ્રીફળ વધેર્યા વિના જ ચઢાવે છે. દિવસેને દિવસે આ શ્રીફળનો ઢગલો મોટો થતો જાય છે ઘણાં વર્ષોથી ચાલતી ભક્તોની આ પૂજા […]

આ મંદિરમાં હનુમાનજી બિરાજે છે તેમના પુત્રની સાથે, એકસાથે થાય છે પિતા-પુત્રની પૂજા.

ઓખા પાસે આવેલા બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધિશજીના મંદિરથી લગભગ પાંચ કિલોમીટર દુર હનુમાનજીનું મંદિર છે  જે હનુમાન દાંડી મંદિર તરીકે ઓળખાય છે આ સ્થળે ભાવિકો રામભક્ત હનુમાનની સોપારીની માનતા રાખે છે  આ સ્થળે હનુમાનજી પાતાળમાં રામચંદ્રજી લક્ષ્મણજીને લાવ્યા હતા એવી હનુમાન દાંડીની પૌરાણિક માન્યતા છે. હિન્દુ ધર્મમાં વિશ્વાસ ધરાવતા તમામ લોકો આ વાત […]

કેવી રીતે બન્યું વર્ણીન્દ્ર ધામ, માત્ર 16 મહિનામાં બની આ સુંદર જગ્યા

અમદાવાદથી માત્ર 90 કિલોમીટરના અંતરે નાના રણની નજીક પાટડીમાં એક અદ્ધભૂત મંદિર બનીને તૈયાર થયું છે જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે. આ જગ્યા છે વર્ણીન્દ્રધામ.. મીની પોઇચા તરીકે ઓળખાતું આ નીલકંઠ ધામ 15 એકરમાં ફેલાયેલું છે અને માત્ર 16 મહિનામાં બનીને તૈયાર થયું છે. કેવી રીતે બન્યું વર્ણીન્દ્ર ધામ મીની પોઇચા તરીકે […]