Browsing category

બોધકથા

વૃદ્ધ મહિલાના યુવાન દીકરાનું મૃત્યુ થયું, દુઃખી થઇને તે ગૌતમ બુદ્ધ પાસે પહોંચી, મહિલાએ બુદ્ધને કહ્યું, તમે મારા મૃત દીકરાને જીવિત કરી દો. બુદ્ધે કહ્યું એક મુઠ્ઠી સરસિયાના દાણા કોઇ એવા ઘરેથી લઇને આવો કે જ્યાં ક્યારેય કોઇનું મૃત્યુ થયું ન હોય. જાણો પછી શું થયું?

એક વૃદ્ધાની ગૌતમ બુદ્ધ પ્રત્યે ખૂબ જ આસ્થા હતી. એક દિવસ તેમના યુવાન દીકરાનું મૃત્યુ થઇ ગયું. દીકરો વૃદ્ધ મહિલાનો એકમાત્ર સહારો હતો. દુઃખી થઇને તે બુદ્ધ પાસે પહોંચી. વૃદ્ધ મહિલાએ બુદ્ધને કહ્યું, તમે મારા મૃત દીકરાને જીવિત કરી દો. તે મહિલાને એવું લાગતું હતું કે બુદ્ધ આવું કરી શકે છે. દીકરાના મોહના કારણે મહિલાએ […]

વૃદ્ધ પહેલવાનને હરાવવા માટે એક ચાલાક યુવા યોદ્ધા આવ્યો, જ્યારે બંને વચ્ચે દંગલ શરૂ થયું તો યુવકે વૃદ્ધને અપમાનિત કરવાનું શરૂ કર્યુ, વૃદ્ધ યોદ્ધા ઉપર રેત-માટી ફેંકી, ચહેરા પર થૂક્યું, જાણો પછી શું થયું?

પ્રાચીન લોક કથા મુજબ કોઈ રાજ્યમાં એક મહાન પહેલવાન હતો. તે દંગલમાં ક્યારેય પણ કોઈથી હાર્યો ન હતો. હવે તે વૃદ્ધ થઈ ગયો હતો પરંતુ વૃદ્ધાવસ્થામાં પણ તે ખૂબ શક્તિશાળી હતો. તેની પાસે દેશ-વિદેશના ઘણા યુવાનો યુદ્ધ અને દંગલનું કુશળ પ્રશિક્ષણ લેવા આવતા હતા. એક દિવસ એક બદનામ યુવા પહેલવાન તેના ગામ આવ્યો. તે આ […]

એક કારીગર સુંદર મકાન બનાવતો હતો, વૃદ્ધ થવા પર તે કામ છોડવા ઈચ્છતો હતો, માલિકે તેને છેલ્લું મકાન બનાવવા કહ્યુ, કારીગરે ઉતાવળમાં મકાન બનાવી દીધુ પરંતુ હકીકત જાણ્યા પછી તેને ખૂબ દુઃખ થયું, જાણો શું થયું..

કોઈ ગામમાં એક કારીગર રહેતો હતો. તે લાકડાના મકાન બનાવતો હતો. તે પોતાના કામમાં એટલો કુશળ હતો કે દૂર-દૂર સુધી તેની પ્રસિદ્ધિ હતી. તે એક અમીર વ્યક્તિને ત્યાં નોકરી કરતો હતો. કારીગરે ખૂબ જ શાનદાર ઘર બનાવ્યું હતું એટલે માલિક પણ તેનાથી ખુશ રહેતો હતો. જ્યારે તે કારીગર વૃદ્ધ થઈ ગયો તો તેણે વિચાર્યુ કે […]

ગધેડાએ કહ્યુ કે ઘાસ વાદળી હોય છે, વાઘે કહ્યુ કે ઘાસ લીલું હોય છે, દલીલ વધવા લાગી તો બંને રાજા સિંહ પાસે પહોંચ્યા, ગધેડાએ કહ્યુ કે મહારાજ ઘાસ વાદળી હોય છે પરંતુ આ વાઘ નથી માની રહ્યો, સિંહે કહ્યુ કે સાચી વાત છે અને વાઘને આપી દીધી સજા, જાણો કેમ?

પ્રાચીન લોક કથા મુજબ એક જંગલમાં ગધેડાએ વાઘને કહ્યુ કે ઘાસ વાદળી હોય છે. વાઘે કહ્યુ કે ના, ઘાસ વાદળી નહીં લીલું હોય છે. ગધેડાએ ફરી કહ્યુ કે તું ખોટું કહી રહ્યો છે ઘાસ વાદળી હોય છે. વાઘ પણ પોતાની વાત પર કાયમ હતો. બંનેની દલીલ વધવા લાગી. તેના પછી બંનેએ નક્કી કર્યુ કે તે […]

એક દિવસ રાજ દરબારમાં રાજકવિનું આગમન થયું, રાજાએ ઊભા થઈને એમનું અભિવાદન કર્યું તો રાજકવિએ આશીર્વાદ આપતાં કહ્યું કે તમારા શત્રુ ચિરંજીવી થાઓ. આવું સાંભળતાની સાથે જ રાજસભામાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં. જાણો એમણે શું કામ આવું કહ્યું?

લોકકથા પ્રમાણે એક રાજાના દરબારમાં રાજકવિ હતા. રાજા તેમનું ખૂબ જ સન્માન કરતાં હતાં. એક દિવસ રાજા દરબારમાં બેઠાં હતાં, ત્યારે રાજકવિનું આગમન થયું. રાજાને ઊભા થઈને અભિવાદન કર્યું તો રાજકવિએ આશીર્વાદ આપતાં કહ્યું કે તમારા શત્રુ ચિરંજીવી થાઓ. આવું સાંભળતાની સાથે જ રાજસભામાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં. રાજા પણ કવિથી નારાજ થઈ […]

નદી કિનારે એક વૃક્ષ ઉપર ચકલી પોતાના માળામાં રહેતી હતી અને તે વૃક્ષની નીચે દરમાં સાપ રહેતો હતો, ચકલી જ્યારે પણ ઇંડા આપતી તો સાપ ખાઇ જતો હતો, ચકલીએ ચાલાક કાગડાની મદદ માંગી, કાગડાએ કહ્યુ – જ્યારે રાજકુમારી નદીમાં સ્નાન કરવા આવે તો મને બોલાવી લેજે, જાણો પછી શું થયું?

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં નદીના કિનારે એક વૃક્ષ પર ચકલી માળામાં રહેતી હતી. તે વૃક્ષની નીચે એક સાપ પણ રહેતો હતો. ચકલી જ્યારે પણ ઇંડા આપતી હતી સાપ તે ઇંડા ખાઇ જતો હતો. સાપ આવું વારંવાર કરી રહ્યો હતો પરંતુ ચકલી ખૂબ જ નાની હતી અને તેના કારણે તે મોટા સાપનો સામનો નહોતી કરી […]

શિયાળાની રાત્રે મહેલની બહાર ઘરડો ચોકીદાર ભરી રહ્યો હતો પહેરો, બાદશાહે તેને પૂછ્યું કે, તને ઠંડી નથી લાગતી? ચોકીદારે કહ્યું કે, જહાંપનાહ ઠંડી તો બહુ લાગે છે, પરંતુ મારી પાસે ગરમ કપડાં નથી, બાદશાહે કહ્યું કે, હું તારા માટે મહેલમાંથી ગરમ કપડાં મોકલાવું છું, સવારે ચોકીદારનું મૃત્યુ થઈ ગયું, જાણો કેમ?

પૌરાણિક લોકકથા અનુસાર, એક શિયાળાની રાત્રે બાદશાહે જોયું કે, તેના મહેલનો એક ઘરડો ચોકીદાર સામાન્ય વસ્ત્રોમાં જ પહેરો ભરી રહ્યો હતો. બાદશાહે ચોકીદારને પૂછ્યું કે, તને ઠંડી નથી લાગતી? ચોકીદારે કહ્યું કે, જહાંપનાહ, ઠંડી તો બહુ લાગે છે, પરંતુ મારી પાસે ગરમ કપડાં નથી, એટલે ઠંડી સહન કરવી પડે છે. બાદશાહે કહ્યું કે, હમણાં જ […]

એક શાહુકારે ગરીબ પિતાને જણાવ્યું કે, મારા પૈસા પાછા આપ અથવા તારી સુંદર દિકરી સાથે લગ્ન કરાવ, તેણે એક બેગમાં બે પત્થર મૂક્યા અને કહ્યું તારી દિકરી કાળો પત્થર કાઢે તો તેણે મારી સાથે લગ્ન કરવાં પડશે, જો સફેદ પત્થર નીકળશે તો તારું દેવું માફ, જાણો પછી શું થયું

એક લોકકથા અનુસાર પૌરાણિક સમયમાં એક શાહુકાર પાસેથી એક ગરીબ ખેડૂતે ઉધાર પૈસા લીધા હતા. બહુ પ્રયત્નો બાદ પણ તે દેવું ચૂકવી શકતો નહોંતો. એકદિવસ શાહુકારે ખેડૂતને કહ્યું કે, તું મારું દેવું ચૂકવી દે અથવા તારી દિકરીનાં લગ્ન મારી સાથે કરાવી દે. આ સાંભળી ખેડૂત અને છોકરી ચિંતામાં આવી ગયાં. ખેડૂતે કહ્યું કે, આ યોગ્ય […]

રાજાના મંત્રીથી થઈ ગઈ એક ભૂલ તો તેને મળ્યો મૃત્યુદંડ, રાજાએ કહ્યું- તેને 10 ખૂંખાર કૂતરાઓ સામે ફેંકી દો, પરંતુ મંત્રીએ માંગ્યો 10 દિવસનો સમય, 10 દિવસ બાદ કૂતરાઓ મંત્રીને પ્રેમ કરવા લાગ્યા, જાણો એનું કારણ

પૌરાણિક સમયમાં એક રાજાએ અપરાધીઓને સજા આપવા માટે 10 ખૂંખાર જંગલી કૂતરા પાળી રાખ્યા હતા. જ્યારે પણ કોઇને મૃત્યુદંડ આપવાનો હોય ત્યારે એ વ્યક્તિને આ કૂતરાઓ સામે રાખી દેતો હતો. બધા જ કૂતરા ભેગા થઈને માણસને મારી નાખતા. એક દિવસ તેમના મંત્રીથી એક ભૂલ થઈ ગઈ, જેનાથી રાજાને ખૂબજ ગુસ્સો આવ્યો અને તેને મૃત્યુદંડ આપી […]

મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને ભીષ્મ પિતામહે ઘોષણા કરી કે બીજા દિવસે તેઓ બધા જ પાંડવોનો વધ કરી નાખશે, પાંડવોની રક્ષા માટે શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે મારી સાથે ચાલ તેના પછી જે થયું તેનાથી આપણને પણ શીખ મળે છે

મહાભારતના યુદ્ધની શરૂઆતમાં જ દુર્યોધને કૌરવોના સેનાપતિ ભીષ્મ પિતામહ માટે વારંવાર વ્યંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી દુ:ખી થઈને એક દિવસ પિતામહે કહી દીધું હતું કે, કાલે તેઓ બધા જ પાંડવોનો વધ કરી નાખશે. જ્યારે આ વાત પાંડવોને જાણવા મળી ત્યારે તેઓ દુ:ખી થઈ ગયા, કારણકે પિતામહ ભીષ્મને યુદ્ધમાં હરાવવા અશક્ય હતા. એ દિવસે […]