વડોદરામાં જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવ્યા વ્યંડળોઓ, કહ્યું, ‘અમારી પાસે જે રૂપિયા છે તે સમાજના છે…હવે સમાજને તેની જરૂર પડી છે એટલે તેમને પાછા આપી રહ્યાં છીએ’

આપણે ઘરે જ્યારે પણ કોઈ પ્રસંગ હોય છે ત્યારે તેની ઉજવણીમાં વ્યંડળ એવા પ્રથમ વ્યક્તિ છે જે સૌથી પહેલા આવે છે અને જ્યાં સુધી પર્યાપ્ત રકમ ન ચૂકવાય ત્યાં સુધી તેઓ જતા નથી. પરંતુ લોકડાઉનની સ્થિતિમાં જ્યારે એવા લોકો ઘરમાં પુરાઈને બેઠા છે જેમને જીવન જરુરિયાત વસ્તુઓ અને જમવા સહિતની કોઈ પણ સુવિધાઓ નથી. ત્યારે વ્યંડળોએ એવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટેની તૈયારી દર્શાવી છે. કોઈ ભૂખ્યું ન સુઈ જાય તે માટે વ્યંડળો ચીજ વસ્તુઓનું વિતરણ કરી રહ્યાં છે.

ગુજરાતમાં લોકડાઉન જાહેર થયા બાદ ગોધરા અને વડોદરામાં વ્યંડળો ઘરે-ઘરે ઘરે જઈને જરૂરિયાતમંદ લોકોને ખોરાક વિતરણ કરી રહ્યાં છે. બરાનપુરાના વ્યંડળ કલ્પના કુંવરે જણાવ્યું કે, ‘અમારે કોઈ ધંધો નથી અને અમારી પાસે જે પૈસા છે તે સમાજના જ છે. તેથી આજે જ્યારે સમાજને જરૂરિયાત હોવાથી અમે તેમને પાછા આપી રહ્યાં છીએ પરંતુ જુદા જુદા સ્વરૂપે’.

ગોધરામાં વ્યંડળોએ શનિવારથી ઝૂંપડપટ્ટીમાં અનાજ, દૂધ, પાણી અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ શરૂ કર્યું હતું. ગોધરાના પૂજા કુંવરે જણાવ્યું હતું કે તેઓએ બે દિવસમાં 300 મકાનોમાં અનાજનું વિતરણ કર્યું છે અને હજુ અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાની યોજના છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો