પાણીપુરી માટે કરતા હતા ટોયલેટના પાણીનો ઉપયોગ, વિડિયો જોઇને તમને પણ આવશે ઉબકા

સ્વાદિષ્ટ પાણીપુરી (Panipuri)નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. જો તમને ખબર પડે કે જે પાણી તમને ચટાકેદાર લાગી રહ્યું છે તે ટોયલેટ (Toilet)ના પાણી (Water)માંથી બન્યું છે તો સ્વાભાવિક છે કે તમને ગુસ્સો આવશે. એક આવી જ ઘટના મહારાષ્ટ્ર (Maharashtra)ના કોલ્હાપુર (Kolhapur)માં બની છે. આ ઘટનાનો વીડિયો જોતા લોકોને ઉબકા આવી જશે.

જી હા અહીં પાણીપુરીના લારીવાળાની કરતૂત સામે આવતા લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠયો છે. ગુસ્સે ભરાયેલા લોકોએ પાણીપુરીની લારીની તોડફોડ શરૂ કરી દીધી, તેનો બધો સામાન રસ્તા પર વિખેરી નાંખ્યો.

મહારાષ્ટ્રના કોલ્હાપુરના રંકાલા તળાવ પાસે મુંબઇની સ્પેશ્યલ પાણીપુરીના નામથી લારી ઉભી રાખે છે. પોતાના ટેસ્ટી પાણીના લીધે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. લોકો પોતાના પરિવારની સાથે પાણીપુરીનું સ્વાદ લેવા પહોંચે છે. પરંતુ જ્યારે લોકોને ખબર પડી કે આ ટેસ્ટી પાણી બનાવા માટે શૌચાલયમાંથી લઇ આવે છે તો લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો અને પાણીપુરીની લારીમાં તોડફોડ કરી તમામ પાણીપુરી રસ્તા પર ફેંકી દીધી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. જેમાં દેખાય છે કે કંઇ રીતે પાણીપુરીવાળો પાણી ભરીને લાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો