સુરતમાં ચર્ચાના ચકડોળે ચડેલા વેવાઈ અને વેવાણે ફરી સાથે ભાગી જઈને નવું ઘર વસાવ્યું, ભાડાના મકાનમાં માંડ્યો સંસાર

સુરતમાં ગત જાન્યુઆરી મહિનામાં ફિલ્મી વાર્તાની જેમ ભાગેલા વેવાઈ વેવાણે એક નવી જ ચર્ચા જગાવી હતી. સંબંધોની આંટીઘૂંટીમાં ફસાયેલા પ્રેમી પંખીડા ભાગી ગયા બાદ ફરી 16 દિવસે પરત આવ્યાં હતાં. પરત આવેલા વેવાઈ વેવાણને સમાજ સ્વિકારવા તૈયાર હતો. પરંતુ વેવાણને પતિએ સ્વિકારી નહીં તેથી પિયર જતી રહી હતી. બીજી તરફ વેવાઈને સમાજના લોકોએ સમજાવવા પ્રયત્નો કર્યા પરંતુ વેવાઈ વેવાણને ભુલી ન શકતાં આખરે 29મી ફબ્રુઆરીએ ફરી ભાગી ગયા અને નવેસરથી સંસાર માંડ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ પહેલી વખત ભાગીને ઘરે આવેલા વેવાઈ-વેવાણ એક દિવસ પહેલાં 29 ફેબ્રુઆરીએ ફરી ભાગી ગયા છે. પહેલી વખત બંને ભાગી ગયા ત્યારે તેઓ ઉજ્જૈન રોકાયા હતા. આ વખતે બંનેએ ભાગીને સુરતમાં જ રહેવા લાગ્યા છે. બંનેએ સુરતના વરાછા વિસ્તારમાં એક મકાન ભાડે રાખીને ઘર સંસાર શરૂ કર્યો છે.

સમજાવવા છતાં વેવાઈ ન માન્યાં

કતારગામમાં રહેતા વેવાઈ નવસારીમાં સાસરીયે રહેતા વેવાણ સાથે નાસી ગયાં હતાં. નાસી ગયા બાદ પરત ફર્યા તેમાં વેવાણનું વિશ્વ બદલાઈ ગયું. પતિએ સાથે રાખવાની ના પાડતાં વેવાણ કામરેજમાં પિયર રહેતા હતાં. આ દરમિયાન વેવાઈને તેઓ ફોન કરતાં રહેતા હતાં. જેથી વેવાઈ તેની સાથે જવા તૈયાર હતાં. પરંતુ સમાજમાં બદનામી થવાના ડરે લોકો વેવાઈને સમજાવી રહ્યાં હતાં પરંતુ આખરે તેઓ ના માન્યા અને વેવાણને લઈને ફરી અલગ રહેવા જતાં રહ્યાં.

વરાછામાં ભાડે મકાન રાખ્યું

સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ વેવાઈએ આ વખતે વેવાણને લઈને અન્ય શહેરમાં ભાગી જવાની જગ્યાએ સુરતમાં જ રહેવાનું પસંદ કર્યું છે. વરાછા વિસ્તારમાં વેવાઈ અને વેવાણે મકાન ભાડે રાખીને નવી ઈનિંગની શરૂઆત કરી છે.

16 દિવસ અગાઉ સાથે રહ્યાં હતાં

વેવાઈ વેવાણ 16 દિવસ સુધી નાસતા ફરતાં રહ્યાં હતાં. 25 વર્ષ અગાઉનો પ્રેમમાં દીકરા દીકરીના લગ્ન નક્કી થયા બાદ તૂટવાની અણીએ આવતાં સંબંધ તૂટવાના ડરે સમાજમાં થનારી બદનામીથી બચવા નાસી ગયા હોવાનું પરત આવ્યા બાદ પોલીસમાં નિવેદન આપતાં વેવાઈએ જણાવ્યું હતું કે, 16 દિવસ સુધી તેઓ ઉજ્જૈનના ગેસ્ટ હાઉસમાં રહ્યાં હતા જ્યાં તેમને લોકેશનના આધારે શોધી લેવાયા બાદ સમજાવટથી પરત ફર્યા હતાં.જે તે વખતે વેવાણ વિજલપોર પોલીસમાં જ્યારે વેવાઈ કડોદરા પોલીસ મથકે હાજર થયાં હતાં.

Gujarat
વેવાઈ-વેવાણે ફરી ભાગીને અહીં ભાડાના મકાનમાં માંડ્યો સંસાર, સમજાવટ પણ કામ ન લાગી
March 1, 2020 newsportal
સુરત: ગુજરાતભરમાં ચગેલું વેવાઈ-વેવાણનું પ્રકરણ પૂરું થવાનું નામ નથી લેતું. આ કિસ્સામાં વધુ એક ફિલ્મી વળાંક આવ્યો છે. સમાજના લોકોની સમજાવટ પણ કામ લાગી નથી. મીડિયા રિપોર્ટ મુજબ વેવાઈ-વેવાણ ફરી ભાગી ગયા છે. પહેલી વખત ભાગીને ઘરે આવ્યા બાદ ફરી વેવાઈ-વેવાણ ભાગી જતાં ગુજરાતભરતમાં ખાસ્સી ચર્ચા જાગી છે.

ગુજરાતી વેબસાઈટ દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ પહેલી વખત ભાગીને ઘરે આવેલા વેવાઈ-વેવાણ એક દિવસ પહેલાં 29 ફેબ્રુઆરીએ ફરી ભાગી ગયા છે. પહેલી વખત બંને ભાગી ગયા ત્યારે તેઓ ઉજ્જૈન રોકાયા હતા. આ વખતે બંનેએ ભાગીને સુરતમાં જ રહેવા લાગ્યા છે. બંનેએ સુરતના વરાછા વિસ્તારમાં એક મકાન ભાડે રાખીને ઘર સંસાર શરૂ કર્યો છે.

નોંઘનીય છે કે અંદાજે બે મહિના પહેલાં કતારગામના વેવાઈ અને નવસારીના વેવાણ પ્રેમમાં ગળાડૂબ થઈને ઘરેથી ભાગી ગયા હતા. આ પ્રકરણે ગુજરાતમાં ખાસ્સી ચર્ચા જગાવી હતી. બંને ભાગીને ઉજ્જૈન રહેતાં હતા. 16 દિવસ સાથે રહ્યા બાદ તેઓ ઘરે પાછા ફર્યા હતા. ઘરે પાછા ફર્યા બાદ વેવાણના પતિએ તેને અપનાવવાની ના પાડી દીધી હતી, જેથી તે તેના પિતાના ઘરે રહેવા ગયા હતા. બાદમાં એવા પણ અહેવાલ આવ્યા હતા કે બધુ ભૂલીને વેવાણના પતિ તેને ફરી અપનાવવા તૈયાર થયા હતા. પણ હવે ફરી 34 દિવસ બાદ વેવાણ વેવાઈ સાથે ભાગી જતાં આ કિસ્સામાં નવો ટર્ન આવ્યો છે.

આ પહેલાં તેઓ ઊજ્જૈન ભાગીને ગયા હતા. જ્યાં 16 દિવસ રહ્યા બાદ અચાનક તેઓ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશન હાજર થયા હતા ત્યાર બાદ વેવાઈ સુરતના કડોદરા પોલીસ સ્ટેશન હાજર થયા હતાં. જેમને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યાં વેવાઈએ પોતાનું નિવેદન નોંધાવતાં કહ્યું હતું કે, મારા દીકરાની સગાઈ તૂટવાના પ્રયાસ થતાં આબરૂ જવાના ડરે ભાગી ગયા હતા અને હવે અમે પરત ફર્યાં છીએ. જ્યારે વેવાણ પોતાનું નિવેદન નોંધાવતાં કહ્યું હતું કે, મારી પોતાની ભૂલ થઈ હોવાની કબૂલાત કરી હતી અને કહ્યું કે, હું મારી મરજીથી ભાગી ગઈ હતી અને મરજીથી પરત ફરી છું. મને કોઈએ દબાણ કર્યું નથી.

આ પહેલાં વેવાઈ અને વેવાણ હાજર થઈ જતાં બંનેના દીકરા-દીકરીના લગ્ન તૂટી ગયા હતા. વેવાણના પતિએ દીકરીના લગ્ન માટે ચડાવેલા દાગીના સહિતનો સામાન સુરતમાં રહેતા સંબંધી મારફતે વેવાઈના ઘરે જઈને ફેંકતા મામલો ફરી એકવાર બિચક્યો હતો. બંને વચ્ચેનો ઝઘડો ફરી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ત્યાર બાદ પોલીસે બન્ને પક્ષોમાંથી ત્રણ લોકોની અટકાયત કરી હતી.

બાદમાં એવા અહેવાલ આવ્યા હતા કે વેવાણના પતિ ફરી પત્નીને અપનાવવા તૈયાર થયા હતા. વેવાણના પતિએ દરિયાદિલી દેખાડતાં બધુ ભૂલીને પત્નીને ફરી સ્વારવા તૈયાર થયા હતા. સમાજની મધ્યસ્થીથી ટૂંક સમયમાં બંને પક્ષ વચ્ચે સમાધાન માટે બેઠક પણ યોજાવાની હતી. વેવાણના પતિએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાથી હું ખૂબ દુ:ખી થયો છું. મારા પર શું વીતી છે તેની કોઈ કલ્પના પણ કરી શકે તેમ નથી. આ મુશ્કેલભરી સ્થિતિમાં હું જરા પણ નકારાત્મક વિચારવાના બદલે મારી પત્નીને સ્વીકારવા તૈયાર છું અને આ જ દાંપત્યજીવનની સાચી વ્યાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે 48 વર્ષના વેવાઈ અને 46 વર્ષની ઉંમરના વેવાણ વચ્ચે યુવાનીમાં પ્રેમસંબંધ બંધાયો હતો પરંતુ બંનેના મેરેજ થઈ શક્યા નહતાં. જ્યારે તેઓ નાના હતા ત્યારે સુરતના અમરોલીમાં રહેતા વેવાઈની સામે જ વેવાણ રહેતા હતા. કહેવાય છે કે બંનેએ અલગ-અલગ પાત્રો સાથે લગ્ન કર્યાં હતા ત્યાર બાદ બન્નેનો સંપર્ક તુટી ગયો હતો જોકે અચાનક બન્ને એકબીજાને મળી ગયા હતાં ત્યા બાદ બન્નેએ એકબીજાનો નંબર લીધો હતો ત્યાર બાદ જૂનો પ્રેમ ફરી શરૂ થયો હતો તેવું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો