ગાંધીનગરમાં તરબૂચ ખાધા બાદ પરિવારને થયું ફૂડ પોઇઝનિંગ, સારવારમાં બે બાળકોનાં મોત નીપજ્યાં

રાજ્યમાં કોરોના વાયરસનાં કહેર સાથે ગરમીનો પ્રકોપ પણ વધી જ રહ્યો છે. ત્યારે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરનાં જમીયતપુરા ગામમાં ઇંટોનાં ભઠ્ઠામાં રહેતા મજૂર બિપિનભાઇ વર્માનાં પરિવારને તરબૂચ ખાધા પછી ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. જે બાદ તેમની સારવાર પણ કરાવવામાં આવી. જોકે, સારવાર દરમિયાન પરિવારનાં બે બાળકોનાં મોત નીપજ્યાં છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

જમીયતપુરા ગામમાં કનુભાઇ પટેલનાં ઇંટોનાં ભઠ્ઠામાં રહેતા બિપીનભાઇ, પત્ની ગુંજાબેન તેમજ પાંચ વર્ષનો યુવરાજ, ત્રણ વર્ષની કાવ્યા અને 3 મહિનાની કાવિશા સાથે રહે છે. ગત શનિવારે પરિવારે તરબૂચ ખાધું હતું. જે બાદ આ પરિવારની રાતે તબિયત બગડતા ઝાડા, ઉલટી થયા હતાં. જેની જાણ ગામનાં એક મોભીને થતાં તેમને તાત્કાલિક સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં જાણ થઇ કે, તેમને ફૂડ પોઇઝનિંગ થયું છે.

આ આખી વાતની જાણ થતાં પરિવાર જે ઇંટોનાં ભઠ્ઠામાં કામ કરતા હતાં ત્યાનાં માલિક આવીને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં સારવાર દરમિયાન પાંચ વર્ષનો યુવરાજ અને ત્રણ વર્ષની કાવ્યાનું મોત નીપજ્યું હતું. જ્યારે બિપીનભાઇ, પત્ની અને તેમની ત્રણ મહિનાની દીકરી સારવાર હેઠળ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો