સુરતમાં રત્ન કલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ કર્યો આપઘાત, તાપી નદીમાંથી મળ્યો મૃતદેહ

કોરોના મહામારીમાં લોકડાઉન પછી બેરોજગાર થયેલા સુરતના રત્ન કલાકારો આર્થિક ભીંસના કારણે મુશ્કેલીમાં મૂકાયા છે જેના કારણે તેમને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત રત્ન કલાકાર સંઘના પ્રમુખે આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરત રત્ન કલાકાર સંઘના જયસુખ ગજેરાએ તાપી નદીમાં કૂદીને આપઘાત કર્યો છે. આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. કઠોરમાં તાપી નદી કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. તેઓના આપઘાતને લઈને બરાબરનું રહસ્ય ઘેરાયું છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરત રત્ન કલાકાર સંઘના પ્રમુખ જયસુખ ભાઈએ રાત્રે ચેમ્બર્સ ઑફ કોમર્સના પ્રમુખ સાથે વાતચીત કરીને પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેવાની વાત કરી હતી. ત્યારબાદ અચાનક સુરતના કામરેજની તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. રાત્રે તેઓનો ફોન પર સંપર્ક ન થઈ શકતા પરિવારના લોકોએ શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમનું બાઈક કામરેજના કઠોર બ્રિજ પાસેથી મળી આવ્યું હતું. જે બાદમાં નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જયસુખ ગજેરા સુરતના રત્નકલાકારો માટે લડતા રહ્યા છે. રત્નકલાકારોમાં કોરોના વકરતા તેઓએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર પણ લખ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો