આ પટેલે પ્રમુખ સ્વામી મહારાજે આપેલા નામથી શરૂ કર્યુ રેસ્ટોરન્ટ, NRI પણ છે દિવાના…

અમદાવાદઃ પરંપરાગત ગુજરાતી ખાવાના શોખીનોને જો કોઇ હોટલમાં પોતાના ઘર જેવો આવકાર મળે, ઇકો ફ્રેન્ડલી વાતાવરણની સાથે દેશી જમવાનું મળે તો આવી રેસ્ટોરન્ટમાં જવાની કોઇ શા માટે ના પાડે. અમદાવાદમાં જ આવી એક જગ્યા છે જ્યાં તમને ટ્રેડિશનલ ગુજરાતી ફૂડની સાથે વાતાવરણ પણ એવું જ મળશે જેની તમે આશા રાખતા હશો. આ થીમ બેઝ રેસ્ટોરન્ટનું નામ છે રજવાડુ.

મૂળ અમદાવાદી એવા મનિષ પટેલે 1998માં અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં રજવાડુ રેસ્ટોરન્ટ શરૂ કરી ત્યારે તેમને સાથ મળ્યો પરેશ પટેલ અને રાજેશ પટેલનો. રજવાડુ નામ કેવી રીતે પડ્યું તે અંગે મનિષ પટેલ જણાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજે આ નામ આપ્યુ છે. રજવાડુમાં તમને પરંપરાગત ગુજરાતી વાનગીઓની સાથે મીઠો આવકારો પણ મળશે.

લગભગ 1 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા રજવાડુમાં સ્વાદના શોખીનોને ગુજરાતી થાળીમાં 20 કરતાં વધુ વાનગીઓ પિરસવામાં આવે છે. રેસ્ટોરન્ટમા માલિક મનિષ પટેલ જાતે આ વાનગીઓનું સિલેક્શન કરે છે. રજવાડુનો ટેસ્ટ માત્ર અમદાવાદ પુરતો સીમિત નથી, ગુજરાત અને દેશના અન્ય ભાગો ઉપરાંત એનઆરઆઇ પણ મોટી સંખ્યામાં રજવાડુની વાનગીઓના દિવાના છે.

લોકપ્રિય બોલીવુડ સ્ટાર અરબાઝ ખાન સાથે રજવાડુના માલિક મનિષ પટેલ…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોએ પણ રજવાડુનો ટેસ્ટ માણ્યો છે….
રજવાડુના રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે બોલીવુડ કલાકાર જેકી શ્રોફ…
રજવાડુમાં પરંપરાગત ગુજરાતી વાનગી સાથે રાજસ્થાની સંગીત અને લોકનૃત્યની મજા માણી શકાય છે….
અહીંનું કુદરતી અને નૈર્સગિક વાતાવરણ તમારૂ મન મોહી લેશે…

1 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા રજવાડુમાં સ્વાદના શોખીનોને ગુજરાતી થાળીમાં 20 કરતાં વધુ વાનગીઓ પિરસવામાં આવે છે…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી