માતાનું વાત્સલ્ય જાણે કે મરી પરવાર્યું હોય તેવી ઘટના: રાજકોટના પડધરીમાંથી લાલ કપડામાં વીંટાળેલી બાળકી મળી, માટી નાંખી દાટવાનો પ્રયાસ

રાજકોટઃ માનવતા મરી પરિવારી છે તેનું ઉદાહરણ આપતી ઘટના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખીજડિયા ગામે સામે આવી છે. જનનીને લાંછન લાગે તેવી આ ઘટના અંગે સાંભળીને કોઈના પણ રુંવાટા ઉભા થઇ જાય. એ દયાહીન માતા કેવી હશે કે જેણે પોતાની નવજાત બાળકીને કપડામાં વીંટીને બાદમાં તેના પર ધૂળ પણ નાખી દીધી હતી. જો કે રામરાખે તેને કોણ ચાખે આ કહેવત યથાર્થ સાબિત થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અહેવાલો મુજબ આજે વહેલી સવારે 6:30 કલાક આપસાસ પડધરીના નાની ખીજળિયા ગામના તળાવ નજીક એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકીને લાલ કપડામાં વીંટાળી તળાવ નજીક મૂકી દઈ તેના પર ધૂળ નાખી દેવામાં આવી હતી, પરંતુ બાળકી જીવતી હોવાથી ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારીની નજર તેના પર પડી અને તેણે કપડું ખોલી જોતાં એમાંથી બાળકી મળી આવી હતી, તેથી ગ્રામજનો દ્વારા તળાવ નજીક તાજી જન્મેલી બાળકીને મૂકી ગયું હોવાની જાણ તરત 108ને કરવામાં આવી હતી.

તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરાતાં પાયલોટ, ઇએમટી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને બાળકીને 108માં જ ઓક્સિજન પૂરો પાડીને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જરૂરી સારવાર આપી બાળકીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અંબા બાદ ફરીવાર એક ત્યજેલી બાળકી મળી આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો