પંજાબમાં પાસ માંગતા તલવારથી કાપી નખાયેલ પોલીસનો હાથ ફરી જોડાયો, સાડા સાત કલાક ચાલી સર્જરી

ચંદીગઢ સ્થિત પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMIR)માં ડોક્ટરોએ રવિવારે એએસઆઈનો એ કપાઈ ગયેલો હાથ સાડા સાત કલાકની સર્જરી બાદ સફળતાપૂર્વક જોડી દીધો, જે પંજાબના પટિયાલમાં નિંહંગોના એક જૂથના હુમલામાં કપાઈ ગયો હતો. આ જાણકારી અધિકારીઓએ આપી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

પટિયાલા જિલ્લાના એક શાક માર્કેટમાં કર્ફ્યુ પાસ બતાવવા માટે કહેવા પર નિંહગ શીખોના એક જૂથે પોલીસ ટીમ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એએસઆઈ હરજીત સિંહનો હાથ તલાવરથી કપાઈ ગયો હતો, જ્યારે કે પંજાબ પોલીસના 3 અન્ય પોલીસકર્મીઓ અને યાર્ડના એક અધિકારી ઘાયલ થઈ ગયા હતા. પંજાબ પોલીસે હુમલા સંદર્ભે એક મહિલા સહિત 11 લોકોની ધરપકડ કરી છે.

પાસ માગવાથી શરૂ થયો હતો વિવાદ

હરજીત રવિવારે સવારે પટિયાલા શહેરમાં લોકડાઉન માટે ડ્યૂટી પર તૈનાત હતા. શહેર શાંત હતું, પરંતુ એ દરમિયાન એક વાહનમાં સવાર કેટલાક લોકો બેરિકેડની પાસે પહોંચી ગયા. હરજીતની ટીમે પાસ માગતા વિવાદ શરૂ થયો અને નિંહંગ શીખોએ ડ્યૂટી પર તૈનાત જવાનો પર હુમલો કરી દીધો. આ દરમિયાન કેટલાક લોકોએ તલવારથી હરજીત સિંહનો એક હાથ કાપી નાખ્યો.

આ ઘટના પર પંજાબના સ્પેશયલ ચીફ સેક્રેટરી કેબીએસ સિદ્ધુએ જણાવ્યું કે, બલબેરાના ગુરુદ્વારામાંથી નિહંગોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક પોલીસ ફાયરિંગમાં ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો