કોરોના વાયરસ સામે ઈટાલી કેટલું લાચાર બની ગયું છે તેનો ખ્યાલ આ અહેવાલ પરથી આવે છે. ઈટાલીમાં કોરોના વાયરસની સારવાર કરી રહેલા ડોક્ટર્સ અને નર્સોનું કહેવું છે કે તેમના પ્રયાસો તેમના દેશવાસીઓને બચાવવા માટે પૂરતા નથી. કોરોના વાયરસનો ઉદભવ ચીનમાં થયો છે પરંતુ ઈટાલીમાં આ જીવલેણ વાયરસથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ચીનથી પણ વધી ગઈ છે.
ઈટાલીમાં હોસ્પિટલમાં દર્દીઓની ખડેપગે સારવાર કરી રહેલા ડોક્ટર્સ
શુક્રવારના અહેવાલ પ્રમાણે ઈટાલીમાં 4000થી વધુ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ડોક્ટર્સ આ વાયરસથી ચેપગ્રસ્ત બનેલા લોકોને બચાવવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે તેમ છતાં તેઓ મૃત્યુ આંક અટકાવવામાં સફળ રહેતા નથી.
શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તેવા દર્દીઓને બબલ હેલમેટ પહેરાવવામાં આવે છે
સ્કાય ન્યૂઝના એક આઘાતજનક અહેવાલમાં લોમ્બાર્ડીના બરગામોમાં આવેલી પાપા ગિઓવાની હોસ્પિટલની સ્થિતિનું વર્ણન કરાયું છે. જ્યાં હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે અને ડોક્ટર્સ આકરી મહેનત કરી રહ્યા છે. એક વિડીયોમાં જોવા મળે છે કે લોકોના ચહેરા પર બબલ હેલ્મેટ પહેરાવવામાં આવ્યા છે. જેના કારણે તેઓ શ્વાસ લઈ શકે. આ સિવાય કેટલાક દર્દીઓ જેમને આવા હેલ્મેટ મળ્યા નથી તેઓ શ્વાસ લેવા માટે વલખા મારી રહ્યા છે.
બબલ હેલમેટ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે તેવા દર્દીઓને પહેરાવવામાં આવે છે
હોસ્પિટલમાં કામ કરી રહેલા ડોક્ટર લોરેન્ઝો ગ્રેઝિઓલીએ કહ્યું છે કે મેં મારા જીવનમાં આટલો તણાવ ક્યારેય અનુભવ્યો નથી. હું ઈન્ટેસિવિસ્ટ છું અને હું તેનાથી ટેવાઈ ગયેલો છું, પરંતુ આ પરિસ્થિતિ ઘણી ભયાનક છે. લોકોને સારવાર આપવામાં આવે તે પહેલા જ મરી રહ્યા છે. અમે જ કંઈક કરી શકીએ છીએ. પરંતુ અમે એવા સ્તરે છીએ કે અમને લાગી રહ્યું છે કે અમે તેમનો જીવ બચાવવા પૂરતા નથી. અમે 100 એનેસ્થેટિસ્ટ છીએ અને અમે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ કદાચ અમારા પ્રયાસો પૂરતા નથી.
સ્કાય ન્યૂઝના વિડીયો ફૂટેજમાં જોવા મળે છે કે ડોક્ટર્સ કોરોનાના દર્દીઓની સારવાર માટે બબલ હેલમેટનો ઉપયોગ કરી રહ્યા છે. આ બબલ હેલમેટ જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હોય તેઓ સરળતાથી શ્વાસ લઈ શકે તે માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. આ હેલમેટ એર ટાઈટ હોય છે અને ટ્રાન્સપરન્ટ હોય છે. આ હેલમેટ અત્યંત ક્રિટિકલ હોય તેવા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે જેના કારણે તેઓ સરળતાથી શ્વાસ લઈ શકે.
ઈટાલીના ડોક્ટરોનું કહેવું છે કે તેમના પ્રયાસો પૂરતા સાબિત થઈ રહ્યા નથી
ગ્રેઝિઓલીએ યુકેને સલાહ આપી છે કે પરિસ્થિતિ વણસે તે પહેલા સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવે. તેમણે કહ્યું છે કે કોરોના વાયરસને ફેલાતો અટકાવવાનો શ્રેષ્ઠ રસ્તો છે કે સંપૂર્ણ પણે લોકડાઉન કરવામાં આવે, નહીંતર ઈટાલી જેવી પરિસ્થિતિ ઊભી થસે જેને સંભાળવી મુશ્કેલ બની જશે.
આર્મીની ટ્રકોમાં કોરોનાથી મોત થયેલા લોકોના મૃતદેહો લઈ જવામાં આવ્યા હતા
નોંધનીય છે કે લોમ્બાર્ડીની સ્થિતિ સૌથી ખરાબ છે. બરગામોમાં એટલા મૃત્યુના કેસ નોંધાયા છે કે લોકોની અંતિમક્રિયા માટે કબ્રસ્તાન ઓછા પડી રહ્યા છે. જેના કારણે મૃતદેહોને અંતિમ ક્રિયા માટે અન્ય જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે. આ માટે આર્મીના ટ્રકોની મદદ લેવામાં આવી રહી છે. આર્મી ટ્રકોની લાંબી લાઈન જોઈને ઈટાલીવાસીઓના હ્રદય હચમચી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..